અમદાવાદ: ગુજરાતમાં હાલ ચોમાસું નવસારી સુધી પહોંચ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ભીમ અગિયારસ છે. સામાન્ય રીતે આ અગિયારસના દિવસે ગુજરાતના ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. ત્યારે હજી તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. ચાલુ વર્ષે ગીરમાં ભીમ અગિયારસ આવી જવા છતાં ચોમાસાનો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, મંગળવારે (18મી જૂન) દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રામાશ્રય યાદવે આગાહીમાં જણાવ્યુ છે કે, 19 અને 20મી જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

જેમા અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 21મી તારીખે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે પાંચમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા,દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી જૂનના રોજ (શનિવાર) દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ,નવસારી વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવમાં વરસાદની આગાહી કરવવામાં આવી છે.

આ સાથે સાતમા દિવસે એટલે 23મી જૂનના રોજ (રવિવાર) અરાવલી, ખેડા, આણંદ, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જુનાગઢ ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં વરસાદ હજી નવસારી સુધી આવ્યો છે. આ જે વરસાદ છે તે સાયક્લોનિક સરક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છના સંબંધિત ભાગોમાં બનેલું છે. જેના કારણે હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.