1. News
  2. valsad
  3. કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલી

કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલી

Share

Share This Post

or copy the link

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગતવ યાત્રા કપરાડા તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલ ભોયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

75 આઝાદીનું વર્ષ ઉજવી રહ્યું છે દેશ માટે જે સ્વતંત્ર સેનાનીઓ વીર શહીદો પોતાની પ્રાણની આહુતિ આપી છે તેના માટે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ આગેવાનીમાં યાત્રા 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી યાત્રા ફરવાની છે જેના ભાગરૂપે કપરાડા યુવા મોરચા દ્વારા કપરાડા વિધાનસભામાં બાઇક રેલી કાઢવામાં આવી હતી રેલીનું પ્રસ્થાન જીતુભાઇ ચૌધરી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કલ્પસર, મત્સ્યોધોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠાએ કરાવ્યુ હતું.

વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સ્નેહીલ દેસાઇ,મહામંત્રી મયંક પટેલ અને પ્રભાકર યાદવ ઉપપ્રમુખ વિવેક પટેલ, કિરણ ભોયા,કપરાડા તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલ ભોયા મહામંત્રી દિવ્યેશ રાઉત,
સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપ અગ્રણીઓ ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ , સંઘઠન મંત્રી ચંદર ભાઇ ગાયકવાડ ,રમેશભાઈ ગાંવિત, મુકેશભાઈ પટેલ મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા વિધાનસભાના કપરાડા ના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી કાર્યક્રમ સફળ બનાવવા માટે કાર્યક્રમ યુવા મોરચાની ટીમે જહેમત ઉઠાવી હતી.

Ad….

કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલી
Comment

Your email address will not be published. Required fields are marked *