ઉમરગામ ના ઘોડીપાડા મા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા આયોજિત પંચાહન રામકથા મા આજે કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે બિહાર નો મિનિસ્ટર જીતેનરામ માંજી એમ કહે છે કે અમે રામ ને ભગવાન નથી માનતા,હિન્દૂ ના સંતાનો ને હજી પણ જો રામ અને અયોધ્યા પર શંકા હોય તો એટલુંજ કહેવાનું કે ” સ્વાદ અને સુગંધ મા જો ફેર લાગે તો કોરોના ટેસ્ટ કરાવો અને ભગવાન શ્રી રામ અને અયોધ્યા પર જો સંશય હોય તો DNA ટેસ્ટ કરાવો.અજ્ઞાની માણસો હજી પણ સમજતા નથી કે રામજી નો વૈશ્વિક ભગવાન તરીકે સ્વીકાર થઈ ગયો છે.આજે રામકથા મા ભરતચરિત્ર અને રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો હતો.રજનીકાંત માંડેવાલા,વિલાસભાઈ પાટકર,વિજયભાઈ પાટકર, અંકુશભાઈ કામલી દ્વારા ભગવાન રામેશ્વર મહાદેવ નો 11 રસો થી રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.બ્રહ્મ સમાજ ના પ્રમુખ અક્ષયભાઈ ઓઝા દ્વારા રામેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.સમગ્ર ઉમરગામ તાલુકા ના ભાવિકો વિશાળ સંખ્યા મા રામકથા નો લાભ લઇ રહ્યા છે.રમણલાલ પાટકરજી તરફથી દરરોજ હજારો બહેનો ને સાડી વિતરણ કરાઈ રહ્યું છે. ગુરુવારે રામયજ્ઞ કરી ને રામકથા ને વિરામ આપવામા આવશે અને 27 મી મે એ યોજાનારા સમૂહલગ્ન ની તૈયારી થઈ રહી છે.
Related News
Categories
News 11 hours ago
ઓપરેશન સિંદૂર: નાનાપોઢા રાષ્ટ્રની રક્ષા કરતાં જવાનોના સન્માનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન
કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે આજે એક વિશિષ્ટ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની...
ધર્મ દર્શન 17 hours ago
ખેરગામમાં ભાગવત કથાના તૃતીય દિવસે નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો !
નવસારી જિલ્લાના ખેરગામ ગામમાં આવેલ માતા ભવાનીના પ્રાચીન મંદિરે ચાલી રહેલી ભાગવત કથાના તૃતીય દિવસે પવિત્ર...
News 19 hours ago
આદિવાસી સમુદાય: ઓળખ માત્ર કાર્યક્રમોમાં નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં હોવી જોઈએ !
આદિવાસી સમુદાય ભારતના મૂળ વતનીઓ છે. તેમની સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને મૂલ્યો આપણાં દેશની ધરોહર છે....
હવામાન 20 hours ago
Gujarat Rain / 5 દિવસ ગુજરાત માટે ભારે! વાવાઝોડું બનશે તો 100 કિમી ઝડપે ત્રાટકશે: અંબાલાલની ભવિષ્યવાણી !
ગુજરાતમાં આગામી દિવસોમાં તીવ્ર વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
No more posts to display!
Try again.