આજરોજ તા.18/09/2023 નક દીને ચીખલી ખાતે મામલતદારશ્રી મારફર મુખ્યમંત્રીશ્રી ને વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ,આદિવાસી નેતા તાલુકા પંચાયત ધરમપુર સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યા માં ભાવિ શિક્ષકોની આગેવાની માં રજુઆત કરવામાં આવી
આગામી તા.26/09/2023 ના દીને નવસારી ખાતે નવસારી સર્કિટ હાઉસ ભેગા થઈ કલેક્ટર કચેરી નવસારી,કલેક્ટરશ્રી ને રજુઆત કરવામાં આવશે.
જ્યાં ભાવિ શિક્ષકો ને સમર્થન આપવા અંગત સાથી મિત્ર યુસભ ગામીત,મહા રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, પ્રમુખ શૈલેષભાઈ, નિકુંજ ભાઈ, કમલેશભાઈ અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રીનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે