શક્તિતીર્થ અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર સર્વે શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરે છે.
ગુજરાતના સૌથી મોટા મેળાઓ પૈકીના એક એવા આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે.
આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા નવીન અભિગમને ધ્યાનમાં રાખી યાત્રિકો અને માઇભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવી છે.
અંબાજીના ભાદરવી પૂનમના મેળાની આગવી ઓળખ પગપાળા સંઘ છે. મેળામાં પકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. લોકોની રહેવા, જમવાની અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાતીગળ મેળામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ ચેટ બોટ, ક્યુઆર કોડ, ગુગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચુઅલ રિયાલિટીનો અદ્ભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના થકી યાત્રિકો સમગ્ર મેળાના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એકજ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદ્ભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધશે અને મેળાની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે.
ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. ત્યારે મહામેળાની રોનક યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ જોવા મળી રહી છે. અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાળુઓ માટે અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં માઇભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયધોષ સાથે અંબાજીના માર્ગોથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ચારે બાજુ એક અનેરો ભક્તિમય માહોલ અંબાજીમાં સર્જાયો છે.
@secgujtourism @InfoGujarat @infobanaskantha @GujaratTourism @hareets @raval_ias @CollectorBK @TempleAmbaji
#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela
Ad.