મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, સતત ત્રીજા દિવસે નોંધાયા ૨૦ હજારથી વધુ કેસ

0
170

આઠ દિવસમાં મુંબઈમાં કોરોના સંક્રમણની ઝડપ ખૂબ જ ઝડપથી વધી છે.

ધારાવીમાં 147 કેસ મળી આવ્યા છે. તેવી જ રીતે દાદરમાં 213 અને માહિમમાં 274 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

મુંબઈ મહાનગર પાલિકા (BMC) પ્રશાસન સહિત સામાન્ય મુંબઈગરાંની ચિંતા પણ વધી ગઈ છે.

મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનો સૌથી વધુ દર મુંબઈમાં જ જોવા મળી રહ્યો છે. શનિવારે (8 જાન્યુઆરી) પણ મુંબઈમાં 20,318 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાને કારણે 5 લોકોનાં મોત પણ થયા છે. આ રીતે, મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

ધારાવીમાં 147 કેસ મળી આવ્યા છે. તેવી જ રીતે દાદરમાં 213 અને માહિમમાં 274 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. છેલ્લા આઠ દિવસમાં મુંબઈમાં કોરોના સંક્રમણની ઝડપ ખૂબ જ ઝડપથી વધી છે. આ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે મુંબઈ મહાનગર પાલિકા (BMC) પ્રશાસન સહિત સામાન્ય મુંબઈગરાંની ચિંતા પણ વધી ગઈ છે.

BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે મુંબઈમાં કોરોનાના 20 હજાર 318 નવા કેસ નોંધાયા છે. તો 6000 લોકો કોરોનાથી સાજા થયા છે. પોઝિટિવ મળ્યા બાદ 1257 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે મળી આવેલા કોરોના સંક્રમિતોમાંથી 16 હજાર 661 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. આ તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈમાં કોરોના રિકવરી રેટ 86 ટકા છે. મુંબઈમાં કોરોના ડબલિંગ રેટ વધીને 47 દિવસ થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here