કોરોનાના કહેર વચ્ચે PM મોદીએ બોલાવી ઈમરજન્સી બેઠક, શું ફરી લોકડાઉનનો નિર્ણય લેવાશે ?

0
193

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
  • સાંજે 4.30 કલાકે પીએમ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
  • ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. તે ત્રીજી વેવની તૈયારીઓની પણ સમીક્ષા કરશે
  • આ પહેલા વડાપ્રધાન મોદીએ 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર તબાહી મચાવી રહી છે. ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.સાંજે 4.30 કલાકે પીએમ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.

ત્રીજી વેવની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. દેશમાં પોઝિટિવિટી રેટ 10 ટકાને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં, મોદી સંક્રમણને રોકવા માટે લોકડાઉન જેવા કડક પગલા ભરવાના નિર્દેશ આપી શકે છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને મીટિંગમાં પીએમએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ સૂચનાઓ આપી હતી.

22 ડિસેમ્બરે પીએમ મોદીએ દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રાલય સહિત અનેક વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી. વડાપ્રધાને સ્થિતિની માહિતી લેવાની સાથે સરકારની તૈયારીઓનો પણ હિસાબ લીધો હતો. પીએમએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવા માટે પણ સૂચના આપી હતી. આ સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા પર પણ ભાર આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પીએમએ દૂરના વિસ્તારોમાં રસી અને દવાઓના પુરવઠા માટે આઈટી સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. મોદીએ અધિકારીઓને કહ્યું કે રાજ્યો માટે એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે ઓક્સિજન સપ્લાય સાધનો સંપૂર્ણ રીતે કાર્યરત છે. આમાં કોઈ બેદરકારી ન હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here