કપરાડા તાલુકાના આમધા ગામે ગાજ વીજ સાથે પવન સાથે વરસાદ 15 થી વધુ મકાનો ને થયું નુકસાન

0
207

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવેલ  પલટો વહેલી સવારથી બપોર સુધી ભારે ઉકળાટ બાદ સાંજના જોરદાર પવન સાથે વરસાદ પડતા કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મકાનો અને ઝાડો તૂટી પડ્યા હોવાનું જાણવા માટે છે.

આમધા ગામના ઝરી ફળિયામાં 15 થી વધુ મકાનોને નુકસાન થયું હોવાનું દિવ્યેશ ભાઈ પટેલે જણાવ્યું છે. ગામના સરપંચ અને તલાટી ને જાણકારી આપી હતી. સવારે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે.

નલીમધની માં પણ વૃક્ષો પડ્યા છે  મકાનો પર નલિયા પતરા ઉંડીયા હોવાનું વિલેશ રાઉત દ્વારા જણાવ્યું છે.માલધાર કુકુનિયા ભગવાન વાઘમારે  અધૂરું આવાસ વરસાદ થતાં ઘરમાં પાણી ભરાય જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.

હાલમાં  આવનાર બે દિવસમાં વલસાડ જિલ્લા થી પસાર થતું સંભવિત વાવાઝોડા ને લઈને લોકોમાં ચિંતા પણ વધી રહી છે ખાસ કરીને ખેડૂતોએ તૈયાર કરેલી કેરીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

કપરાડા અને ધરમપુર  આદિવાસી    ક્ષેત્રમાં  વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી આ કમોસમી વરસાદથી લોકોની ખુલ્લામાં પડેલી ચીજ વસ્તુઓ પલળી ગઈ હતી તેમજ આંબા ઉપર રહેલી કેરી નીચે ધરાશાયી થઈ હતી ધરમપુર કપરાડા જેવા વિસ્તારોમાં  ઘરોના પતરા ઉડ્યા ના બનાવ બનવા પામ્યા છે તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે પણ આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here