રાજપુરી તલાટ પ્રાથમિક શાળાએ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાઈડલાઈનના નિયમોનો ઉલ્લંઘન કર્યો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.

0
858

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની રાજપુરી તલાટ પ્રાથમિક શાળાએ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાઈડલાઈનના નિયમોનો ઉલ્લંઘન કર્યો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે જે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, તેનો શાળાના આચાર્ય દ્વારા ખુલ્લેઆમ ભંગ થયો છે.

(રાજપુરી તલાટ પ્રાથમિક શાળાના આચાર્ય કાન્તા બેન અને નંદીગ્રામ પ્રાથમિક શાળામાં નોકરી કરતા તેમના પતિ ગોપાલભાઈ અને તેમનો દીકરો)

સરકારી ગાઈડલાઈનનો ઉદ્દેશ્ય

વડોદરા હરણીમાં માસૂમ બાળકો અને શિક્ષકોના જીવલેણ અકસ્માત પછી સરકાર દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે કડક નીતિ-નિયમો બનાવવામાં આવ્યા હતા. ગાઈડલાઈન અનુસાર, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રાત્રે 10 વાગ્યા પછી શરૂ થનારા પ્રવાસમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. પરંતુ આ શાળા દ્વારા રાત્રે 2 વાગ્યે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો.

(રાજપુરી તલાટ પ્રાથમિક શાળામાં નોકરી કરતાં સ્વાતિબેન અને રાજમહેલ રોડ પ્રાથમિક શાળામાં નોકરી કરતા તેમના પતિ હિરેન ભાઈ અને તેમની પુત્રી)

અનિયમિતતા અને લાપરવાઈ

1. વધારાના લોકોનો સમાવેશ:
બસમાં ફક્ત 45 વિદ્યાર્થીઓ માટેની મંજૂરી હતી, પરંતુ આચાર્ય અને શિક્ષકોએ પોતાની સાથે પતિ, પત્ની, બાળકો, અને સગા વ્હાલાઓને મફતમાં પ્રવાસ માટે લઈ ગયા હતા.

2. બસની ક્ષમતા પરથી વધુ વિદ્યાર્થીઓ:
બસમાં વિદ્યાર્થીઓને સહેજ જગ્યા આપીને વધુ લોકોને બેસાડવામાં આવ્યા. 3 વિદ્યાર્થીઓ માટેની સીટ પર 4 વિદ્યાર્થીઓને ભીડભાડ કરી બેસાડવામાં આવ્યા હતા.

3. શૈક્ષણિક જાગૃતિનું અભાવ:
શિક્ષકોના પરિવારજનોની હાજરીમાં બાળકો પર ધ્યાન આપવું મુશ્કેલ બની ગયું હતું, અને શિક્ષણના ઉદ્દેશ્ય પર સતત પ્રશ્ન ઉઠે છે.

(રાજપુરી તલાટ પ્રાથમિક શાળામાં નોકરી કરતાં તેજલબેન અને તેના પતિ યજુવેન્દ્ર અને તેમની પુત્રી)

ગાઈડલાઈનના મહત્વપૂર્ણ ઉલ્લંઘન:

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સુરક્ષા અને આરામની વ્યવસ્થા કરવી ફરજિયાત છે, પરંતુ આ પ્રવાસમાં એના વિપરીત થયું.

રાત્રિ પ્રવાસ કે જેમાં બાળકોના આરામ અને સુરક્ષા પર ખરાબ અસર પડે છે, એ નિયમનના ઉલ્લંઘન સાથે શરૂ થયો.

શૈક્ષણિક પ્રવાસના નામે પરિવારજનોને સહાયક બનાવવા અથવા મજા માટે લઈ જવાની નીતિ સામે ગંભીર પ્રશ્નો ઉઠે છે.

વિશિષ્ટ દાવા અને જવાબદારીઓ:

મુખ્ય શિક્ષક કાંતાબેન:
તેમણે પોતાના પતિ અને બાળકને પ્રવાસમાં જોડાવા દીધા. તેમના પતિ નંદીગ્રામ સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત છે.

અન્ય શિક્ષકો:

રાજેશ ભાઈએ પોતાની પત્ની અને માતા-પિતાને લાવ્યા.

સ્વાતિબેન, તેજલબેન અને અન્ય શિક્ષકોએ પોતાના જીવનસાથી અને બાળકો સાથે જોડાયા.

માતા-પિતાને શૈક્ષણિક પ્રવાસમાં શામેલ કરીને બાળકો પર ધ્યાન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિમુખ થઈ ગયો.

ભવિષ્ય માટે પડકારો અને જવાબદારી:

જો પ્રવાસ દરમિયાન કોઈ અકસ્માત થાય, તો તેની જવાબદારી કોણ લેવાની છે? બાળકોના જીવન સાથે આ પ્રકારના ભંગાર જોગ અનુભવને સહન કરવું યોગ્ય છે કે નહીં?

શિક્ષણ વિભાગે તાકીદે પગલાં લેવાની જરૂર છે:

પ્રાથમિક શિક્ષણ અધિકારીની તાકીદે તપાસનીશની જરૂર છે.

આવા નિયમોના ઉલ્લંઘન પર કડક પગલાં લઈ શિક્ષકોને જવાબદારીની સમજણ અપાવવી અનિવાર્ય છે.

સરકારની ગાઈડલાઈન વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત બનાવવા માટે છે. જો આ પ્રકારની બેદરકારી ચાલુ રહેશે, તો શાળાઓ પર પરિવારજનોના સ્વાર્થ અને અરાજકતા હાવી થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here