વાપી તાલુકાના કવાલ ગામે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ભવન તેમજ રૂ.૫.૫૦ લાખના ખર્ચે આંગણવાડીના નવા બનાવવામાં આવનારા નવા મકાનનું ખાતમુહૂર્ત

0
214


વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણથનારા ગ્રામ પંચાયત ભવન તેમજ રૂ.૫.૫૦ લાખના ખર્ચે આંગણવાડીના નવા બનાવવામાં આવનારા નવામકાનનું ખાતમુહૂર્ત નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અનેપાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.

આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગામના અનેકવિધ વિકાસના કામો સહિત આખા ગામનો વહીવટ ગ્રામ પંચાયતના માધ્‍યમથી થાય છે.સમગ્ર રાજ્‍યમાં વધુમાં વધુ વિકાસકાર્યો થાય તે માટે પંચાયતથી લઈ પાર્લામેન્‍ટ સુધીના પદાધિકારીઓ સતત કાર્યરત રહે છે. કવાલ ગામનો રસ્‍તો નવો બની રહયો છે તેમજ તંબાડી ગામે ૬૬ કે.વી સબસ્‍ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મૂડી છે. ગામના અનેકવિધ વિકાસના કામો અને સરકારની યોજનાઓની કામગીરી પણ ગ્રામ પંચાયત ખાતેથી થાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે,
વિસ્‍તારમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અનેક વિકાસકાર્યો ચાલી રહયા છે. પાણી પુરવઠાની નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, તાલુકા વિકાસ અધિકારી, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ અગ્રણી મહેશભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો, આંગણવાડી વર્કરો ઉપસ્‍થિત રહયા હતા.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here