દેગામ ગામે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે સંપન્ન

0
155


વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ગામે રૂ.૫ લાખના ખર્ચે નિર્માણ થનારા સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ,નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.


આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ બનનારા આ સ્‍મશાનગૃહ વિવિધ સમાજના લોકોને ઉપયોગી નીવડશે.અહીંના પ્રજાનોની જરૂરીયાતોને ધ્‍યાને લઇ દેગામને જોડતા રસ્‍તાઓ મુખ્‍યમંત્રી સડકયોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ બનાવવાનું આયોજન કરાશે

, તેમ તેમણે જણાવ્‍યું હતું. ખેતી અને બાગાયત યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી તેનો લાભ લેવા જણાવ્‍યું હતું.

આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, દેગામ સરપંચ જયાબેન પટેલ, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, અગ્રણી
સુરેશભાઈ પટેલ
, રજનીભાઇ, નગીનભાઈ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here