- વલસાડ-વાપીના સિનેના ગૃહમાં જય શ્રી રામના નારા ગૂંજી ઉઠયા
- અઠવાડિયા સુધી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાઉસફુલ રહેશે.
- કાશ્મીરા પંડિતો પર તૈયાર કરેલી આ ફિલ્મને જોવા ભુદેવો સૌથી વધુ આગળ આવી રહ્યાં
કાશ્મીરના પંડિતો પર થયેલા હત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. વાપી અને વલસાડના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રજુ થતાં વલસાડ જિલ્લાના ભુદેવો તેને જોવા ઉમટી પડયા હતાં. વલસાડના સિનેમા ગૃહમાં ભુદેવોના જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠયુ હતું. અઠવાડિયા સુધી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાઉસફુલ રહેશે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઇ જાય છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવતાં લોકો ઉમટી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરા પંડિતો પર તૈયાર કરેલી આ ફિલ્મને જોવા ભુદેવો સૌથી વધુ આગળ આવી રહ્યાં છે. સોમવારે વલસાડ રાજહંસ સિનેમા ગૃહમાં વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ બી.એન.જોષી, મુંબઇથી સતિષભાઇ જોષી,સમીરભાઇ જોષી, ભરતભાઇ જોષી, વલસાડથી આશિષ જોષી,નયન જોષી, દ્રુમિલ જોષી,નિકુંજ જોષી, કેતન જાની, ધર્મેશ જાની સહિત મોટી સંખ્યામાં વલસાડ,ધરમપુર,ખેરગામ ,વાપી વલસાડના ભુદેવોએ એકત્ર થયા હતાં. જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. ફિલ્મ જોઇને બહાર આવેલાં ભુદેવોએ તમામ લોકોને આ ફિલ્મ જોવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેરના રોલની પ્રશંસા થઇ રહી છે.
Ad…