કપરાડાની ઘટના / આદિવાસી પરિવારનું સરકારી વહીવટી તંત્ર દ્વારા ઘર તોડી પાડવામાં આવ્યું છે સ્થાનિક અને તાલુકાના આગેવાનો રાજનીતિ કરી હિરોગીરીનો અભરખો..

0
167

(હાલમાં ઘરની સાચી પરિસ્થિતિ)

દક્ષિણ ગુજરાત માંથી આદિવાસી સમાજમાં માટે અનેક લોકો મદદરૂપ બન્યા છે સ્થાનિક લોકો તાલી ઠોકે છે.

કહેવાતા આપણા આદિવાસી સમાજના સમાજ સેવકો પોતાની રાજનીતિ કરી ખુરશીઓ મેળવીને લાખ્ખો રૂપિયા ની મિલકત બનાવી છે. એવા આપણી નજીકના આપણે જોઈએ છીએ એવા લોકોને આદિવાસી સમાજે ઓળખવામાં આવે એ જરૂરી…

કપરાડાઆદિવાસી પરિવાર નિરાધાર બન્યું છે. ત્યારે તાલુકા માંથી એવા પરિવારને મદદરૂપ થવા માટે કોઈપણ આગળ આવ્યું નથી.એ શરમ જનક ઘટના બાબત છે.

કપરાડા મામલતદાર લેખિતમાં આવેદનપત્ર આપવામાં માટે વલસાડ ધરમપુર પારડી ચીખલી વાંસદા જેવા વિસ્તાર માંથી આવી એવા પરિવારનાની પડખે ઉભા રહીને મદદરૂપ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ નિષ્પક્ષ તપાસ કરી ગરીબ પરિવાર માટે ખાત્રી આપી સરકારનું વહીવટી તંત્ર દ્વારા એવા પરિવારને મદદરૂપ થઇ શકે તો સ્થાનિક આપણા કપરાડા ખેસ પાઘડી અને રેલી ઓમાં માઇક મીડિયા અને સોશિયલ મીડયા પોતાની જાતને હીરો સેવકો છે. એવા લોકોને જાહેર

મંચ કે સામાજિક ધાર્મિક કાર્યક્રમો જવાબ આપે એ સમયની માંગ છે. સેવકો કયા છે. …?

રાઉત લક્ષ્મણભાઈ કાકડભાઈ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર પોતાની મરજી મુજબ જી.સી.બી. લાવીને બે ગાળાનું ઘર તોડી પાડવામાં ગામનાજ લોકોનો સહકાર હોવાનું પણ લોકો કેટલાક સમાજના અગ્રણીઓની ચર્ચાઓ થઈ રહી છે.

ગિરનાર ગામના સરપંચને કયા આપણા નેતાઓએ હુકમ કર્યો છે જે પોતાની મનમાની કરી ઘર તોડવામાં આવ્યુ.

કપરાડા ના લોકો દરેક ગામમાં સર્વે કરીને આપણા કહેવાય છે એવા નેતાઓની મિલકત જાહેરાત કરવામાં આવે એટલે કપરાડા માં વિકાસ કોનો થયો છે.

જે મતદારો દ્વારા મત આપીને ખુરશી આપી એવા બની ગયેલા કોન્ટ્રાકટર રાજકીય હમણા ચૂંટાયેલા પ્રજાના સેવકો મદદરૂપ થવા આગળ આવિયા નથી એ આદિવાસી માટે દુઃખદ બાબતો કહેવાય છે.
કપરાડા તાલુકામાં ગિરનાર ગામની જે ઘટના બની છે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. વીડિયો વાયરલ કોમેન્ટ ચલાવી રહ્યા છે. મદદરૂપ થવા માટે એક પણ રૂપિયા ની જાહેરાત કરવામાં આવી નથી શરમ જનક બાબત છે.

આવેદનપત્ર માટે કેટલીક વ્યક્તિ ઓ મીડિયા અને સોશિયલ મીડિય પોતાની જાતને વાહ વાહ કરવા માટે આવિયા પણ એવા પરિવાર માટે મદદરૂપ થવા માટે ની ચર્ચાઓની વાત થતા ગલી શોધી પલાયન થઈ ગયા છે. ફક્ત લોકોની સામે હીરો ગીરી રાજકીય હિરોગીરી રાજનીતિ આદિવાસી સમાજના નામે કરવી હવે એ બંધ કરવી જોઈએ.

એક ગરીબ નું ઘર તૂટે અને એના નામે રોટલા શેકવાનું બંઘ કરો સ્થાનિક આગેવાનો પણ પોતાની જાતને ભૂલી ગયા છે. ધર્મ અને રાજકીય ગુલામ બનીને ગુમરાહ કરવાનું બંધ કરો વિરોધ અને શાસક પાર્ટી એકજ બાપના દિકરાઓ છે.

હદ કરી છે કપરાડા તાલુકા માટે શરમ કરો……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here