રાશિ ભવિષ્ય 23 November 2021

0
237

૫રિણીત દં૫તીઓ વચ્‍ચેની ઘનિષ્ઠતા વધશે અને તેઓ નિકટનું સાંનિધ્ય માણી શકશે. જો આપ કોઈ સાથે પ્રણયસંબંધ ધરાવતા હશો તો પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની આપને ઇચ્‍છા થશે.

મેષ

આજે સમાન વિચારસરણી ધરાવતી વ્‍યક્તિ સાથે આપ મહત્ત્વની બૌદ્ધિક ચર્ચા કરશો. આ ચર્ચા પાછળ આપ ખૂબ ઉત્‍સાહથી શરૂ કરેલાં કાર્યો અધવચ્‍ચે ન છોડી દો એનું ધ્‍યાન રાખવા ગણેશજી ચેતવે છે.

વૃષભ

ગણેશજી આપને બેફામ ખર્ચ સામે, ખાસ કરીને ક્રેડિટ કાર્ડના ઉ૫યોગ દ્વારા ખરીદી કરવા સામે ચેતવણી આપે છે. વેપાર-ધંધામાં આર્થિક લેવડદેવડ કરવામાં ૫ણ સાવધાની રાખવાની જરૂર છે.

મિથુન

આજનો દિવસ જોમ અને ઉત્‍સાહથી ભરપૂર હશે. જીવનનો પૉઝિટિવ અભિગમ દરેક કાર્યને સફળતા તરફ દોરી જશે. આપ આપની મરજી મુજબ કાર્ય કરી શકશો અને એ માટે અનુકૂળતા સર્જાશે.

કર્ક

૫રિવારના સભ્‍યો પાસે આપે રાખેલી અપેક્ષાઓ તેમનો સહકાર ન મળતાં પૂર્ણ નહીં થાય. સંતાનો તરફથી ૫ણ આપને નિરાશા સાં૫ડશે. ૫રિવારમાં આજે વિસંવાદિતા ઊભી થવાની સંભાવના છે.

સિંહ

આજે ઘણી બાબતમાં આપ અન્‍ય લોકોનો અભિપ્રાય માગશો. કોઈ સાથે ચર્ચા કરતી વખતે વધારે ન બોલવા અને ધીરજથી વાત સાંભળવા ગણેશજી કહે છે. આજે આપનો આત્મવિશ્વાસ ડગુમગુ હશે.

કન્યા

ગણેશજી કહે છે કે આજે મોજશોખની વસ્‍તુઓ પ્રત્‍યે આપનું આકર્ષણ રહેશે અને કદાચ એ ખરીદવાનું ૫ણ વિચારો. ૫રિવારજનો તેમ જ મિત્રો સાથે આનંદમાં સમય ૫સાર થાય. આજે મહત્ત્વની પ્રવૃત્તિ નહીં કરો.

તુલા

આપની વ્‍યાપારી કુનેહ આપની કારકિર્દીની તકો વધારે ઊજળી કરશે. આપની અંદર રહેલી કલાસૂઝ પ્રગટ થશે અને આપ મન૫સંદ કલાકૃતિની ખરીદી કરશો. ગણેશજી આપને શુભેચ્છા પાઠવે છે.

વૃશ્ચિક

આજે આ૫ ૫ર કામનું બમણું દબાણ થવાથી માનસિક તાણ અનુભવશો. ઑફિસમાં સહકર્મચારીઓ અને અધિકારીઓ આપની મહેનતની પ્રશંસા કરશે. દિવસના અંતે આપની પ્રામાણિકતાનો બદલો મળી જશે.

ધનુ

૫રિણીત દં૫તીઓ વચ્‍ચેની ઘનિષ્ઠતા વધશે અને તેઓ નિકટનું સાંનિધ્ય માણી શકશે. જો આપ કોઈ સાથે પ્રણયસંબંધ ધરાવતા હશો તો પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની આપને ઇચ્‍છા થશે.

મકર

આપ કોઈ મહત્ત્વનાં કાર્યો કરવાનું વિચારતા હો તો એ થોડા દિવસ મોકૂફ રાખવાની ગણેશજીની સલાહ છે. કામ કરવામાં ઉતાવળ ન કરવા અને ધીરજ રાખવાની ૫ણ સલાહ છે.

કુંભ

આજે આપ દિવાસ્‍વપ્‍નમાં રાચતા હશો. નકામી પ્રવૃત્તિઓ પાછળ સમય ન વેડફતાં સ્‍વપ્‍નોની નોંધ લઈ ભવિષ્યમાં એ સાકાર કરવા પ્રયત્‍નશીલ બનો એમ ગણેશજી આપને જણાવે છે.

મીન

બેદરકારીથી ઘણાં બધાં કામ બગડી જાય છે. એથી ઑફિસમાં આપે બહુ સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ એમ ગણેશજીને લાગે છે. જો આપ સાવધ રહેશો તો કોઈ વાંધો નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here