આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ લાંચરુશ્વત બંધ કરી દઈશું : અરવિંદ કેજરીવાલ

0
269

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ લાંચરુશ્વત બંધ કરી દઈશું : અરવિંદ કેજરીવાલ

અમારી સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ રીશ્વતખોરી બંધ કરીશું, તમે પોલીસ, સરકારી વિભાગને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા તમારી પાસે બચી જશેઃ અરવિંદ કેજરીવાલ

અમે દિલ્હીમાં લાંચરુશ્વત સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. કલમ 188 દિલ્હીમાં પણ હતી અને તે દિલ્હીમાં પણ લોકોને હેરાન કરતી હતી. ખોટો કેસ કરીને લોકોની સાથે હત્યારા જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

દિલ્હીમાં પણ રીક્ષા ચાલકોને આમાંથી મુક્તિ મળી છે અને ગુજરાતમાં પણ રીક્ષા ચાલકોને કલમ 188માંથી મુક્તિ મળશે. લાયસન્સ રીન્યુ કરાવવા, માલિકી બદલવી, પરમીટ બદલવી જેવા તમામ સરકારી કામો માટે RTO જવાની જરૂર નથી. અમે દિલ્લીમાં એક નંબર જાહેર કર્યો છે જેના પર ફોન કરતા એક અધિકારી અધિકારી ઘરે આવશે અને તમારું તમામ કામ કરશે. આવા કામો માટે દિલ્હીના રીક્ષા ચાલકોને કોઈ દલાલ પાસે જવાની જરૂર નથી, આજે તેઓ ઘણા પૈસા બચાવે છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ લાંચરુશ્વત બંધ કરી દઈશું, તમે પોલીસ, સરકારી ખાતાને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા દ્વારા બચત કરી શકશો. પરંતુ આ માટે તમારે સૌએ સાથે મળીને અમારી સરકાર બનાવવી પડશે.

*ગુજરાતના તમામ ઓટો ડ્રાઈવરોએ પોતાની સવારીઓને કહેવું પડશે કે દિલ્હીમાં કેજરીવાલે કેટલા અદ્ભુત કામ કર્યા છે: અરવિંદ કેજરીવાલ*

આગામી 2 મહિના સુધી ગુજરાતના તમામ રીક્ષા ચાલકોએ એક કામ કરવું પડશે, વોટ્સએપ દ્વારા દરેક વ્યક્તિને લખો કે હું આમ આદમી પાર્ટીનું સમર્થન કરું છું. દિલ્હીમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં અમારી જીતમાં રીક્ષા ચાલકોનો મોટો હાથ હતો. ત્યારબાદ દરેક રીક્ષા ચાલકો પોતાનાં દરેક પેસેન્જરને કહેવા લાગ્યા હતાં કે અરવિંદ કેજરીવાલ જીને એક તક આપવી જોઈએ. તો તમારે પણ ગુજરાતમાં તમારાં દરેક પેસેન્જર સાથે આ વાત કરવી પડશે. જ્યારે તમારો પેસેન્જર તમને પૂછે છે કે કેજરીવાલને શા માટે તક આપવી જોઈએ, તો તમારે આ બધી માહિતી આપવી પડશે કે કેજરીવાલે દિલ્હીમાં શાળાઓ સારી કરી છે, હોસ્પિટલો સારી કરી છે, વીજળી મફત કરી છે, જો તમારો પેસેન્જર તમને પૂછે કે એક મોકો કેજરીવાલને કેમ આપવો ત્યારે તમારે કહેવાનું છે કે, બાળકોને મફત શિક્ષણ મળવું જોઈએ કે નહીં, લોકોને મફત સારવાર મળવી જોઈએ કે નહીં? અન્ય લોકોની જેમ કેજરીવાલે પણ ₹50 કરોડ ખર્ચીને MLA ખરીદ્યા નથી, ખરું? કેજરીવાલ ભ્રષ્ટાચાર કરતા નથી, કટ્ટર ઈમાનદાર માણસ છે. અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીને પોતાની બચતના પૈસાથી જનતાને મફતમાં સુવિધા આપે છે. અન્ય પક્ષના લોકો ભ્રષ્ટાચાર કરીને તમામ ખોટા કામો કરે છે, જેમ કે તેઓ ધારાસભ્યો ખરીદે છે, ઝેરી દારૂ વેચે છે પરંતુ આપણે બધા આ કામ કરતા નથી કારણ કે આમ આદમી પાર્ટી સજ્જનની પાર્ટી છે. તમારે સૌએ બધા પેસેન્જરને આ બધી બાબતો જણાવવી પડશે. અને સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકોને મેસેજ મોકલવો પડશે કે માત્ર એક વાર આમ આદમી પાર્ટીને તક આપો.

*હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું: અરવિંદ કેજરીવાલ*

પહેલીવાર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે દિલ્હીના લોકોએ અમને તક આપીને 28 બેઠકો અપાવી અને તે 28 બેઠકો પર અમારી સરકાર બનાવ્યા પછી અમે માત્ર 49 દિવસ કામ કર્યું અને તે 49 દિવસમાં અમે એવું કામ કર્યું કે બીજી વખત દિલ્હીની જનતાએ અમને 67 સીટો આપી દીધી. પછી અમે 5 વર્ષ સુધી એવું શાનદાર કામ કર્યું કે દિલ્હીની જનતાએ અમને બીજી વખત 62 સીટો આપી દીધી. ત્યારપછી પંજાબના લોકોને ખબર પડી કે દિલ્હીમાં શાનદાર કામ થઈ રહ્યું છે, તો પંજાબના લોકોએ પણ અમને તક આપી અને આજે પંજાબમાં પણ વીજળી ફ્રી થઈ ગઈ છે, પંજાબમાં યુવાનોને સરકારી નોકરી મળવા લાગી છે, પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિકની સ્થાપના થઈ છે, દવાઓ અને સારવાર મફત થઈ ગઈ છે અને શાળાઓ પણ સારી થવા લાગી છે. તેથી જ હું ગુજરાતની જનતાને મારી વાત કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં એક તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here