નાનીવહિયાળ વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
ધરમપુર ગાયત્રી પરિવાર દ્વારા વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહિયાળ તા. ધરમપુર, જિ. વલસાડ માં સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી શુદ્ધ ભાવના તેમજ પવિત્ર આસ્થા સાથે હાઇસ્કુલ પટાંગણમાં આચાર્ય શૈલેષભાઈ પટેલ ,શાળા પરિવાર અને ગ્રામજનોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધરમપુર ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ દ્વારા આહુતિ આપી તેની અસર અંગેની સમજ આપી હતી.ગાયત્રી પરિવાર દ્વારા આચાર્ય શૈલેષભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું.
ગાયત્રી યજ્ઞમાં શાળા પરિવાર દ્વારા ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ગામના સરપંચ અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Ad..