કયા નિયમ હેઠળ વિરોધ પ્રદર્શનની અનુમતિ ન અપાઈ તે જાણવાનો નાગરિકોને છે અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

0
323

  • વિરોધ પ્રદર્શનની મંજૂરીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળના નિયમોને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનની મંજૂરી અંગે HCમાં સુનાવણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવની મહત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. હાઈકાર્ટે જણાવ્યું કે, જે નિયમો હેઠળ વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી મળતી તે નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા જણાવ્યું છે. અરજદારે 29 ડિસેમ્બર, 2019ના રોજ CAAના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજવા પોલીસની મંજૂરી માગી હતી. પોલીસે મંજૂરી ન આપ્યા બાદ પણ અરજદારે રેલી યોજતા અટકાયત કરાઈ હતી.

નિયમો વેબસાઈટ પર પ્રકાશિત કરો ‘
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા હાઈકોર્ટે ટકરો કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં CAAના વિરોધમાં રેલી યોજવા અરજદારે મંજુરી માગી હતી.અને તેને મંજુરી ન આપતા તેણે મંજુરી વિના જ રેલી યોજી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here