આસારામ જોધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે કોર્ટે 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા છે. આવતીકાલે સવારે 11 વાગે આસારામને સજાનું એલાન કરવામાં આવશે

0
305

સુરત દુષ્કર્મ કેસમાં આસારામ બાપુને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આસારામ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આસારામ સહિત કુલ 7 આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગરઃ સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારાને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત કુલ 7 લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2001માં ઘટના બની હતી અને વર્ષ 2013માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આવતીકાલે સજા આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, હાલમાં આસારામ જોધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે કોર્ટે 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા છે. આવતીકાલે સવારે 11 વાગે આસારામને સજાનું એલાન કરવામાં આવશે.

શું છે મામલો?
સુરતની બે બહેનોએ આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કરપ્યો હતો. ત્યારે બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર, 2013ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમના અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતા ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરગો ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.

આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

ઓગસ્ટ મહિનામાં આરોપીઓનાં નિવેદન લેવાયાં હતાં
આસારામ વિરુદ્ધ દુષ્કર્મના કેસ મામલે ગાંધીનગર કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓનું ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી.

કોની કોની સામે નોંધાયો હતો ગુનો?

આશુમલ ઉર્ફે આસારામ
ભારતી (આસારામની પુત્રી)
લક્ષ્મીબેન (આસારામનાં પત્ની)
નિર્મલાબેન લાલવાણી ઉર્ફે ઢેલ
મીરાબેન કાલવાણી
ધ્રુવબેન બાલાણી
જસવંતીબેન ચૌધરી
આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ
આસારામને દુષ્કર્મના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં દસ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here