આયુષ મેળો: સાઈધામ સુખાલા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન મફત સારવાર કેમ્પ

0
142

વલસાડ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજીત આયુષ મેળો અને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ
ગામ સુખાલા, તા.કપરાડા ખાતે તા. ૦૯,૦૨,૨૦૨૩ ને ગુરૂવાર સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૩.૦૦ કલાક
સ્થળઃસાઈધામ (ગાર્ડન), સુખાલા, તા. કપરાડા, જિ. વલસાડ યોજવામાં આવશે.

સચીવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજીત આયુષ મેળો અને
નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ ગામ સુખાલા, તા.કપરાડા ખાતે ગ્રામજનોના આરોગ્યની જાળવણી માટે આયુષ પ્રણાલીનાં સિધ્ધાંતોનું પ્રચાર થાય તે હેતુ સબંધિત આયુષ મેળાનું આયોજન થઇ રહ્યું છે. તો તેવા આરોગ્યલક્ષી
કાર્યક્રમમાં પોતાના સ્વાસ્થ્ય સબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અવશ્ય ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

Ad…

આ કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી પધ્ધતિથી દરેક પ્રકારના રોગોના નિદાન તેમજ સારવાર અને દવા વિતરણબકરવામાં આવશે.રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.રોગ પ્રતિરોગધક આર્સેનિક આલ્બમ-૩૦ દવાનું વિત્તરણ કરવામાં આવશે.
• ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને હોમીયોપેથીક આરોગ્ય પેયના ટીપા પીવડાવવામાં આવશે.
દરેક પ્રકારના દુઃખાવા માટે આયુર્વેદની ચિકિત્સા પધ્ધતિ-મર્મ ચિકિત્સા-અગ્નિકર્મ ચિકિત્સા પધ્ધતિથી સારવાર.સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ તથા સાંધાના વા માટે અકસીર હોમીયોપેથી દવાઓનો લાભ લો.પેટના રોગો, શ્વાસની તકલીફ, માનસીક રોગો, મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, થાઇરોઇડ, મસાની તકલીફ, પથરી સબંધિત રોગોમાં અકસીર.
વૃધ્ધાવસ્થા જન્ય વિકારો સબંધિત દવાઓ.આ ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા, હોમીયોપેથી ચાર્ટ તથા આયુર્વેદ વાનગીઓનું આહાર પ્રદર્શન.પંચકર્મ, અગ્નિકર્મ તથા પ્રકૃતિ પરીક્ષણ ની ચિકિત્સા અને આ ઉપરાંત ઘણી બધી રત્નકણિકાઓનો લાભાલાભ.
યોગ ચાર્ટ પ્રદર્શન દ્વારા યોગ અને પ્રાણાયામ સબંધિત માર્ગદર્શન.

સદરહું કેમ્પમાં આયુર્વેદ તથા હોમીયાપેથી નિષ્ણાંતો સેવા આપશે. કેમ્પ બાદ સારવાર ચાલુ રાખવા માટે તમારી નજીકનાં સરકારી કે જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ/હોમિયોપથી દવાખાનામાં જવું. આયુર્વેદ આપણા દેશની સંશોધન પામેલી,ખૂબ અસરકારક અને ઓછી આડઅસર વાળી સારવાર પધ્ધતિ છે. જે અમૃત સ્વરૂપ છે. તેને આદર સાથે અપનાવીએ.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here