ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, ‘હું એવા મહાન લોકોના કાર્યકરો અને નેતાઓને નમન કરું છું જેમણે આજ સુધી પાર્ટીને પોષણ આપ્યું, સમૃદ્ધ કર્યું અને સશક્ત કર્યું.’ભાજપની રચના 43 વર્ષ પહેલાં 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી.
ભાજપનો 44મો સ્થાપના દિવસ:મોદીએ કહ્યું-ભાજપ હનુમાનજીના ‘કેન ડૂ’ એટિટ્યૂટની જેમ કામ કરે છે, બધાની મદદ કરે છે.
Ad..
ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, ‘હું એવા મહાન લોકોના કાર્યકરો અને નેતાઓને નમન કરું છું જેમણે આજ સુધી પાર્ટીને પોષણ આપ્યું, સમૃદ્ધ કર્યું અને સશક્ત કર્યું.
ભાજપની રચના 43 વર્ષ પહેલાં 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી.
તેમણે કહ્યું, ‘આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છીએ. બજરંગબલીના નામનો પોકાર સર્વત્ર ગુંજી રહ્યો છે. હનુમાનજીનું જીવન અને ઘટનાઓ આજે પણ ભારતના વિકાસની યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. મહાન શક્તિના આશીર્વાદ આપણી સફળતાઓમાં પ્રતિબિંબિત થાય છે.’
મોદીના ભાષણની 8 મોટી વાતો,કહ્યું- ભાજપ હનુમાનજી પાસેથી પ્રેરણા લે છે
ભારતે બજરંગબલી જેવી સુષુપ્ત શક્તિઓને અનુભવી છે
‘હનુમાનજીમાં અસીમ શક્તિ છે, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકા સમાપ્ત થઈ જાય. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. ભારતને હવે બજરંગબલી જેવી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો અહેસાસ થયો છે. ભાજપના કાર્યકરો અને પાર્ટી હનુમાનજીના આવા ગુણોમાંથી પ્રેરણા લે છે.
Ad…
ભાજપ હનુમાનજીની જેમ કામ કરે છે:
‘હનુમાનજી બધું જ કરી શકે છે, દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. આ ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ બને છે.
Ad..
ભાજપ પણ ‘કેન ડુ’ એટિટ્યુડ જેવો પ્રયાસ કરે છે:
જો આપણે હનુમાનજીના સમગ્ર જીવન પર નજર કરીએ તો, દરેક પ્રકારની સફળતામાં તેમની અંદર કેન ડુ વલણ અને નિશ્ચય શક્તિનો મોટો ભાગ છે. દુનિયામાં કયું કામ મુશ્કેલ છે, જે તમારાથી થતું નથી. એવું કોઈ કામ નથી જે હનુમાન ન કરી શકે. લક્ષ્મણ જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે હનુમાન સંજીવની પર્વત લઈને આવ્યા હતા. જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ પણ આવા પ્રયાસો કરતું આવ્યું છે, કરતો રહેશે. રામ કાજ કિન્હે બિનુ મોહી, કહાં વિશ્રામ
Ad.
ઘણા લોકો ભાજપનું કામ પચાવી શક્યા નથી:
‘જ્યારે તેઓ અમારી મજાક ઉડાવીને સફળ ન થયા ત્યારે સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા લોકોમાં નફરત વધી ગઈ. દાયકાઓથી હિંસાનો સામનો કરી રહેલા કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિનો સૂરજ ઊગશે એવું તેણે વિચાર્યું ન હતું. તેમણે કલ્પના પણ નહોતી કરી કે કલમ 370 ઇતિહાસ બની જશે. જે કામો દાયકાઓથી થયાં ન હતાં, તે ભાજપ કેવી રીતે કરી રહી છે, તે પચતું નથી.
Ad..
હેબતાઈ ગયેલા લોકો કહી રહ્યા છે- મોદીની કબર ખોદાશેઃ
‘નફરતથી ભરેલા આ લોકો જૂઠું બોલી રહ્યા છે. તેમનાં ભ્રષ્ટ કાર્યોને ખુલ્લાં જોઈને તેઓ બેચેન અને નિરાશાથી ભરાઈ જાય છે. તેથી તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મોદીની કબર ખોદાશે. તેઓ કબરો ખોદવાની ધમકી આપી રહ્યા છે.
Ad ..
આજે સામાન્ય લોકો ભાજપની ઢાલ બનીને ઊભા છેઃ
સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા આ લોકો અને પક્ષો એક વાત જાણતા નથી. આજે દેશના ગરીબો, સામાન્ય માણસો, યુવાનો, માતાઓ-બહેનો, શોષિત-વંચિતો દરેક ભાજપના કમળને બચાવવા ઢાલ બનીને ઊભા છે. પરંતુ અમારો ભાર વિકાસ, દેશવાસીઓના કલ્યાણ પર છે.
Ad.?
હું એક શ્વાસમાં જેટલું બોલી શક્યું તેટલું બોલ્યો:
હું આંકડાઓ આપતો રહું છું. હું 15-20ની વાત કહું છું. GST પછી એક જ નાણાકીય વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન, 16 લાખ કરોડનો ટેક્સ ચૂકવવામાં આવ્યો, UPI દ્વારા 14 લાખ કરોડના ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ નોંધાયો, નિકાસ 750 અબજને પાર, 16 હજાર કરોડની સંરક્ષણ નિકાસ, રેલવે નૂર 1500 મેટ્રિક ટનથી વધુ લોડિંગ. આ રેકોર્ડ દર્શાવે છે કે દેશ કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. હું એક શ્વાસમાં બને એટલું બોલી ગયો.
Ad..
વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો:
ભાજપને 21મી સદીના ભવિષ્યનો પક્ષ બનાવવો પડશે. વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો. લોકો પહેલેથી જ કહી રહ્યા છે કે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહીં. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર તરીકે આપણે દરેક નાગરિકના દિલ જીતવાના છે. દરેક ચૂંટણી એ જ ખંતથી લડવાની હોય છે જે રીતે આપણે 80ના દાયકાથી લડતા આવ્યા છીએ.