વલસાડ પોલીસને મળી સફળતા : વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની હત્યારાઓની કરવામાં આવી ધરપકડ

0
732

ભાજપ અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે દિવસ રાત ઉજાગરા કરી અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના દેશના અનેક રાજ્યોમાં ધામા નાંખ્યા હતા

બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર વાપીના શૈલેષભાઇ પર ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારતા શૈલેષભાઇ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા.

ગઇ તા.૦૮/૦૫/૨૦૨૩ ના સવારના ૬:૭/૩૦ વાગ્યાના સુમારે રાતા કોપરલી રોડ, રામેશ્વર શિવ મંદીર ખાતે કોચરવા ગામના શ્રી શૈલેષભાઇ પટેલ તેના પરીવારના મહીલા સભ્યો સાથે તેઓની સ્કોર્પીયો કારમાં દર્શન કરવા ગયેલ હતા ત્યારે પરીવારના સભ્યો શિવ મંદીરમાં દર્શન કરવા ગયેલ તે દરમ્યાન શૈલેષભાઇ પોતાની કારમાં ડ્રાઇવીંગ શીટ પર મોબાઇલમાં વ્યસ્ત હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ શૈલેષભાઇ પર ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારતા શૈલેષભાઇ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા આ બનાવની પોલીસને જાણ થતા તાત્કાલીક મરણ જનાર શૈલેષભાઇના પત્નિ શ્રીમતી નયનાબેન નાઓ આ ઘટનાના નજરે જોનાર સાહેદ હોય તેણીની ફરીયાદ લઇ ડુંગરા પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧)એ, ૨૫(૧-બી)(એ), ૨૭ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

ફરીયાદમાં ફરીયાદીએ (૧) મિતેશ ઈશ્વરભાઈ કો.પટેલ (૨) પીનલ ઈશ્વરભાઈ કો.પટેલ (3) વિપુલ ઈશ્વરભાઈ
કો.પટેલ (૪) શરદભાઈ ઉર્ફ શદીયો દયાળભાઈ કો.પટેલ (૫) સિધ્ધાર્થ ઉર્ફે અમીત સદીયો ઉર્ફે શરદભાઈ કો.પટેલ તમામ રહે.કોચરવા, કુંભારફળીયા (૬) નિલેશ ઉર્ફે નીલુ બાબુભાઈ આહીર રહે.પંડોર કુલ-૬ ઇસમો દ્વારા દશ વર્ષ જુના ઝઘડાની અદાવતનુ મન દુ:ખ રાખી શૈલેષભાઇની હત્યા કરાવી હોવાનુ જણાવેલ હતુ.

ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય , પોલીસ મહાનિર્દેશક શ્રી, સુરત વિભાગ, સુરત શ્રી પિયુષ પટેલ તેમજ ઇન્ચાર્જ પોલીસ/મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, શ્રી સંદીપસીંઘ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ડો.રાજદિપસિંહ ઝાલાના નેતૃત્વમાં વાપી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, બી.એન.દવે તથા વાપી ડીવિઝન તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના તમામ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સ.ઇ તથા પોલીસ માણસોની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ અને જુદા જુદા રાજયોમાં આ ગુન્હાની અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરવામાં આવેલ હતી.
તપાસ દરમ્યાન ફરીયાદમાં જણાવેલ શકદારો તેમજ મરણ જનારના સંપર્કવાળા ઇસમોની સતત ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવેલ, ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ તેમજ પોલીસના આધારભુત બાતમીદારોનો સંપર્ક કરી હ્યુમન ઇન્ટેલીજન્સ મેળવવામાં આવેલ આ સમગ્ર તપાસ દરમ્યાન એવી હકીકત
ખુલવા પામેલ છે કે, ફરીયાદમાં જણાવેલ ઇસમો પૈકી નં.(૧) શરદ ઉર્ફે સદીયો દયાળભાઇ કોળી પટેલ તથા
તેનો ભત્રીજો નં.(૨) વિપુલ ઇશ્વરભાઇ પટેલ અને નં.(૩) મિતેશ ઇશ્વરભાઇ પટેલ નાઓએ ભેગા મળી કાવતરૂ રચી તેઓના ઓળખીતા નં.(૧) અજય સુમનભાઇ ગામીત રહેવાપી, ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફલેટ નં.સી/૧ તા.વાપી જી.વલસાડ મુળ રહે.કુરેલીયા, નાયકી ફળીયું તા.વાંસદા જી.નવસારી (૨) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ રાજનાથસિંગ (રાજપુત) રહે.હાલ ચણોદ ગામ સાગ ફળીયા બલરામ વાટીકા નીલકંઠ રો-હાઉસ નંબર-૧૭૬ અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ હરનીડેહરા પોસ્ટ બ્યોહરા પોલીસ થાના.દેવગામ તા.લાલગંજ જી.આઝમગઢ યુ.પી.નાઓ મારફતે ઉત્તરપ્રદેશના શાર્પશુટરોને રૂ।. ૧૯,૦૦,૦૦૦/-માં શૈલેષ પટેલને જાનથી મારી નાંખવાની સોપારી આજથી આશરે એક વર્ષ પહેલા આપેલ હતી. તેમજ શૈલેષ પટેલનો સોશ્યલ મીડીયામાંથી ફોટો મેળવી શાર્પશુટરને આપેલ હતો.આમ, રચેલ કાવતરા મુજબ સૌપ્રથમ ત્રણ શાર્પશુટરો માટે.ડીસેમ્બર-૨૦૨૨ માં આવેલા અને તેઓ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રોકાયેલા. આ શાર્પશુટરોની રોકાવાની વ્યવસ્થા ઉપરોક્ત કાવતરા ખોરોએ તેમના સગા મારફતે દમણ મુકામે કરેલી અને તેઓને આ ગુન્હાને અંજામ આપવા માટે એક નવુ બજાજ પલ્સર મોટર સાયકલ શાર્પશુટરોના નામેજ દમણ મુકામેથી ખરીદ કરી આપેલુ આ રોકાણ દરમ્યાન
શાર્પશુટરોએ કાવતરાખોરો સાથે મળી શૈલેષ પટેલના ઘરની તથા તેઓના ઘરથી આવવા જવાના રસ્તાની રેકી કરેલ હતી પરંતુ તેઓના આયોજનમાં સફળ થયેલ નહી અને નવુ ખરીદેલ મોટર સાયકલ દમણ મુકામે ઉપરોક્ત કાવતરાખોરોના સગાને ત્યાં મુકી પરત પોતાના વતનમાં જતા રહેલ હતા.ત્યારબાદ ફરીથી ઉપરોક્ત કાવતરાખોરોએ શાર્પશુટરોનો સંપર્ક કરતા આ જ ત્રણ શાર્પશુટરો ફરીથી તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ આવેલા અને આ વખતે કાવતરાખોરોએ આ શાર્પશુટરોને રોકાવા/જમવાની વ્યવસ્થા પંડોર ગામની સીમમાં આવેલ પોતાની વાડીમાં કરી આપેલ હતી દરમ્યાન આ શાર્પશુટરોએ દમણ મુકામે રાખેલ મોટર સાયકલ મેળવી શૈલેષ પટેલને ફરીથી રેકી કરી તા.૦૮/૦૫/૨૦૨૩ ના રોજ વહેલી સવારે૭/૩૦ વાગ્યે રાતા કોપરલી રોડ ઉપર શિવ મંદીર પાસે શૈલેષ પટેલને ફાયરીંગ કરી ગોળી મારી હત્યા કરી
મોટર સાયકલ ઉપર ત્રણેય શાર્પશુટર નાસી ગયેલ હતા. આ ગુન્હાનો અંજામ આપનાર શાર્પશુટરો અન્ય રાજયના છે.ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓ નં.(૧) વિપુલભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો પટેલ
ઉ.વ.૩૧ રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (૨) મિતેશભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો.પટેલ ઉ.વ.૩૫ રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (૩) શરદભાઈ ઉર્ફે સદિયો દયાળભાઈ કો.પટેલ ઉ.વ.૪૮ રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (૪) અજયભાઇ S/O સુમનભાઇ દલુભાઇ ગામીત ઉ.વ.૩૦ રહે.વાપી, ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફલેટ નં.સી/૧ તા.વાપી જી.વલસાડ મુળ રહે.કુરેલીયા, નાયકી ફળીયું તા.વાંસદા જી.નવસારી (૫) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ S/O રાજનાથસિંગ કેહુલીસિંગ (રાજપુત) ઉ.વ.૩૫ રહે.હાલ. ચણોદ ગામ, સાગ ફળીયા, બલરામ વાટીકા, નીલકંઠ રો-હાઉસ નંબર- ૧૭૬,અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ.હરનીડેહરા પોસ્ટ. બ્યોહરા પોલીસ થાના.દેવગામ, તા.લાલગંજ, જી.આઝમગઢ, યુ.પી. નાઓની તા.૨૯/૦૫/૨૦૨૩ ના રોજ ધરપકડ કરેલ છે.આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય તમામ ઇસમોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગુન્હાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર નાઓ કરી રહેલ છે.
આ બનાવની તપાસ દરમ્યાન બનાવનુ મુળ કારણ જાણવા મળેલ છે કે, સને.૨૦૧૩ ના વર્ષ દરમ્યાન મૃતક શૈલેષ પટેલના ઘર પાસે મૃતક તથા તેના પરીવારજનો તેમજ શકદાર આરોપી શરદ ઉર્ફ સદીયો પટેલ તથા તેના ભાઇ ઇશ્વર પટેલ અને તેના પરીવારજનો વચ્ચે મારામારી થયેલ જે બનાવમાં ઇશ્વર પટેલને ગંભીર ઇજા થતા કોમામાં સરી પડેલ જે ઇજાઓના કારણે આજદીન સુધી તેઓ પેરેલાઇઝડ હોય અને બનાવમાં આરોપી શરદ ઉર્ફે સદીયા પટેલને પણ પગના ભાગે ગંભીર ઇજા થવાથી ખોડખાપણ રહી ગયેલ તેમજ ઇશ્વર પટેલના દિકરા પિનલ પટેલ તથા વિપુલ પટેલને પણ ઇજાઓ થયેલ હતી. જે અંગે બન્ને પક્ષો તરફથી સામસામે ફરીયાદો જે તે સમયે કરવામાં આવેલ ત્યારબાદ સને.૨૦૧૪ માં આ આરોપીઓએ શૈલેષ પટેલ ઉપર જીવલેણ હુમલો કરેલ જે બાબતે પણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ ત્યારબાદ આ આરોપીઓએ ફરીથી સને.૨૦૧૭ માં શૈલેષ પટેલ ઉપર હુમલો કરેલ જે અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ. આમ, અગાઉની અદાવતનો બદલો લેવા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી આપી શાર્પશુટરો મારફતે શૈલેષ પટેલની હત્યા કરાવેલ.

ઉપરોક્ત ગુન્હાની તપાસમાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે જોડાયેલ હતા
નં.(૧) શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ
નં.(૨) જે.એન.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ.વાપી)
નં.(૩) વી.જી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર વાપી ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન
નં.(૪) કે.એમ.બેરીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ
નં.(૫) એચ.એ.સિંધા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ
નં.(૬) એન.સી.સગર પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ.વાપી)
નં.(૭) જે.જી.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નાનાપોંઢા પોલીસ સ્ટેશન

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ:-
આરોપી વિપુલ ઇશ્વર પટેલ તથા મિતેષ પટેલ તથા શરદ પટેલ વિરૂધ્ધ વાપી ટાઉન તથા ૩ ગુન્હ ડુંગરા તથા પારડી પો.સ્ટે.માં રાયોટીંગ, ખુનની કોશિષ અને મારામારીના કુલ નોંધાયેલ છે. આરોપી અજય ગામીતના વિરૂધ્ધમાં ખુનનો એક ગુન્હો તથા પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયેલ છે.

શું હતો પોલીસ માટે પડકાર?

આરોપીઓ વાપીથી હત્યાને અંજામ આપ્યા બાદ એક જ બાઈક પર ત્રણ આરોપીઓ પૂરપાટ ઝડપે વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ બાકીના બે આરોપીઓ બાઈકમાં છેક મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા. આથી આરોપીઓનું પગેરૂં મેળવવા વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટર જેટલા વિસ્તારના સેકન્ડો સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here