પંજાબમાં મતદાનની તારીખમાં ફેરફાર, જાણો હવે ક્યારે થશે મતદાન

0
1065

રાજ્યમાં હવે 20 ફેબ્રુઆરીએ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારે ચૂંટણી પંચની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.કોરોના કહેર વચ્ચે ચૂંટણીને લઈ દેશભરમાં ધમાસાણ મચી છે. એવામાં પંજાબ (Punjab)માં મતદાનની તારીખ લંબાવવામાં આવી છે.

રાજ્યમાં હવે 20 ફેબ્રુઆરીએ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારે ચૂંટણી પંચની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

હકીકતે, પંજાબમાં અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું, જ્યારે ગુરુ રવિદાસ જયંતિ 16 ફેબ્રુઆરીએ છે. પંજાબના SC સમુદાયના લોકો ગુરુ રવિદાસ જયંતિ પર વારાણસી જાય છે. આ કારણોસર મતદાન મોકૂફ રાખવાની માંગ વધી રહી હતી. હવે પંજાબની ચૂંટણી માટે 25 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે.

આ પહેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ ચૂંટણી પંચને પંજાબમાં મતદાન છ દિવસ માટે સ્થગિત કરવાની માંગ કરી હતી. આ પછી ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ રવિવારે ચૂંટણી પંચને પત્ર લખીને મતદાન મોકૂફ રાખવાની માંગ કરી હતી. ભાજપે પત્રમાં લખ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિના પવિત્ર તહેવારને કારણે રાજ્યનો મોટો વર્ગ વારાણસી જઈ શકે છે. આવી સ્થિતિમાં જો રાજ્યમાં મતદાન થશે તો તે લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જશે. આવી સ્થિતિમાં, ભાજપ પંજાબ ચૂંટણી પંચ પાસે રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ યોજાનારી મતદાનને થોડા દિવસો લંબાવવાની માંગ કરે છે.

ગુરુ રવિદાસજીની 645મી જન્મજયંતિ 16 ફેબ્રુઆરીએ છે

પંજાબમાં અનુસૂચિત જાતિના 32 ટકા લોકો રહે છે. 16 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રવિદાસજીની 645મી જન્મજયંતિ છે. આવી સ્થિતિમાં લાખો લોકો તેમના જન્મસ્થળ ગોવર્ધનપુરની મુલાકાત લે છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે. 13-14 ફેબ્રુઆરી દરમિયાન લોકો સ્પેશિયલ ટ્રેનો મારફતે રવાના થશે. રાજકીય પક્ષો ઉપરાંત, અનુસૂચિત સમાજ પણ 14 ફેબ્રુઆરીએ મતદાનના વિરોધમાં આવ્યા હતા. સોમવારે રવિદાસિયા સંગઠનોએ દસુહામાં મતદાન મોકૂફ રાખવાની માગણી સાથે જલંધર જમ્મુ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here