મોરબી ખાતે જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહુર્ત કરતા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય શિક્ષણમંત્રી

0
139

મોરબી, સંજીવ રાજપૂત:

નવરાત્રીના પાંચમા નોરતે મોરબી ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જીના વરદ હસ્તે તેમજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહર્ત કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે કાર્યાલય જનતાને સંગઠન સાથે જોડવામાં અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે એક કડી રૂપ ભૂમિકા નિભાવે છે અને પાર્ટીમાં કાર્યકરોનું સન્માન એ મૂડી છે અને એ કાર્યાલય રૂપી મંદિર બની રહ્યુ છે. આ ઉપરાંત રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌ દેવતુલ્ય કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારઓ, સાંસદ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here