1. News
  2. ગુજરાત
  3. Gujarat Corona:કોરોનાએ ફરી માથું ઉચક્યું, રાજ્યમાં કોવિડના 7 કેસ એક્ટિવ, કેરળમાં સૌથી વધુ કેસ

Gujarat Corona:કોરોનાએ ફરી માથું ઉચક્યું, રાજ્યમાં કોવિડના 7 કેસ એક્ટિવ, કેરળમાં સૌથી વધુ કેસ

Share

Share This Post

or copy the link

કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર દસ્તક આપી છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ એક્ટિલ 7 કેસ છે.

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર ચિંતા વધારી છે.

આ નવા વેરિયન્ટના 257 કેશ દેશમાં નોંધાયા છે તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયું છે. ઉલ્લેખનિય છે કે, 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે. 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ 95 એક્ટિવ કેસ નોંધાયા છે. તો તમિલનાડુ બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે.

ફરી એકવાર, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ 2020 જેવો કહેર વર્તાવશે.

એશિયાના કયા દેશોમાં કેસ વધી રહ્યા છે?

સિંગાપોર અને હોંગકોંગ જેવા એશિયન દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના કેસ સૌથી વધુ વધી રહ્યા છે. LF.7 અને NB.1.8 વેરિઅન્ટ્સને કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બંને કોરોનાવાયરસના JN.1 પ્રકારમાંથી ઉદ્ભવ્યા છે. 1 મે થી 19 મે દરમિયાન, સિંગાપોરમાં કોરોનાના 3000 કેસ નોંધાયા હતા. હોંગકોંગમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 30 દર્દીઓના મોત થયા છે.

એશિયાના કયા દેશોમાં કેસ વધી રહ્યા છે?

ભારતમાં કોરોનાના કેટલા નવા કેસ નોંધાયા?

આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશમાં કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે સુધીમાં ભારતમાં કોરોનાના 257 સક્રિય કેસ મળી આવ્યા હતા. દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા આ આંકડો ખૂબ જ ઓછો છે. મુંબઈમાં પણ બે દર્દીઓએ ચેપને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જોવા મળ્યા છે. જોકે, ભારતમાં ફરતા JN.1 કોરોના વેરિઅન્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પીટીઆઈએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, “દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોના કેસ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

Author : gujarati.abplive.com

Gujarat Corona:કોરોનાએ ફરી માથું ઉચક્યું, રાજ્યમાં કોવિડના 7 કેસ એક્ટિવ, કેરળમાં સૌથી વધુ કેસ
Comment

Your email address will not be published. Required fields are marked *