Home Blog Page 3

લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7 મે એ ચૂંટણી, 4 જૂને પરિણામ

0

2024ની લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં
જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા છે.
લોકસભાની સાથે જ 4 રાજ્ય – આંધ્રપ્રદેશ, ઓડિશા,
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા
ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે.
543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થઈ
શકે છે. પ્રથમ તબક્કા માટે 15થી 18 એપ્રિલની વચ્ચે
મતદાન થઈ શકે છે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન
19 મેના રોજ થઈ શકે છે. 23મી મેના રોજ પરિણામ
શક્ય છે.
ચૂંટણીપંચે લોકસભા અને ચાર વિધાનસભા ચૂંટણી
માટે 3.4 લાખ કેન્દ્રીય દળોની માગણી કરી છે.
આયોગ 97 કરોડ મતદારો માટે દેશભરમાં લગભગ
12.5 લાખ મતદાન મથકો બનાવી શકે છે.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી પોતાના મનમાં ઉદ્ભવેલા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેમજ શ્રીકાંત કોને રૂપિયા 50,000 મોકલતો હતો, એ જાણવા માટે સુધીર દત્ત પાસે જાય છે, અને સુધીર તેને તેનાં પુછ્યા પહેલાં જ બધી જ વાત જણાવી દે છે. શ્રીદેવી આશ્ચર્યચકિત થઈ જાય છે, એટલે સુધીર દત્ત કહે છે, મેડમ ડીટેક્ટીવ હું ઈતના તો પતા હોના ચાહિએ! અને એને મનમાં સંશય થાય છે કે શું આ બધું મને ભ્રમિત કરવા માટે તો નથી થઈ રહ્યું ને? આ આખાં ષડયંત્રનો હું ભાગ બની રહી હોઉં, એવું મને લાગે છે. સિક્યુરિટી ગાર્ડ પણ હવે તો આ લોકોના નાટકનો એક માણસ હોય એવું એને લાગે છે, અને સુધીર દત્તના કહેવા મુજબ શ્રીધરરાય શેઠના નાજાયિશ સંતાન તરીકે મનમોહિની જે તો માત્ર એક કાલ્પનિક પાત્ર હતું, એ પણ સાબિત થઈ ચૂક્યું છે, તો પછી આ સાર્થક એ કોનું બાળક છે? અને એને બંગલોમાં લાવવાનું કોઈ પ્રયોજન તો જરૂરથી હશે! હજી કોઈ શ્રીકાંતના જીવનની એવી વાત છે, જે હું જાણતી નથી. અથવા તો એ બાળક પણ નાટકના ભાગરૂપે જ બંગલોમાં પ્રવેશ્યું હશે. પરંતુ જન્મેલા બાળકને એમ તરત આપી દેવું? એવી તે માતાની કઈ મજબૂરી હશે? કે પછી રૂપિયાની ચમક મમતા આગળ વધી ગઈ! એક કરોડ રૂપિયા આપી અને હોટલ ભાડે રાખી હતી, એમાંથી સુરેખા અને અન્ય સાગરીતો કેટલું કમાતા હશે? દેશની યુવાનીને આ રીતે બરબાદ કરવા માં શું ઇન્સ્પેક્ટર અને સુધીર દત્તનો પણ સાથ હશે? હવે જ્યાં કાયદો અને કાયદાનો રક્ષક બંને જ ભક્ષકનું રૂપ ધારણ કરી ને બેઠા હોય, ત્યાં મારી જેવી સામાન્ય વ્યક્તિ ક્યાંથી પહોંચે? એ જે હોય તે પરંતુ સાર્થક ને હું આ બધાનો ભોગ નહીં બનવા દઉં, એ વાત તો પાકી છે! આમ શ્રીદેવી પોતાની જાત સાથે જ સંવાદ કરતી કરતી પોતાના આઉટ હાઉસમાં પ્રવેશે છે, અને હવે તેની સાથે આગળ શું થાય છે, તે જાણવા માટે વાંચો આગળ….

કેટલી બધી અસમંજસતા હતી અને કશ્મકશથી ભરેલું મન ક્યાંય શાંત થતું નહોતું, અને સતત તેને એવું વિચારવા પ્રેરતું હતું કે, સુધીર દત્ત શું એની જિંદગીમાં બદલો લેવા તો નહીં આવ્યો હોય ને? આજે એને એવો સંશય સતત થયે રાખતો હતો! પણ આ માત્ર ભ્રમ પણ હોય શકે! કારણકે શ્રીકાંતનું મર્ડર થયું છે, એવો વિચાર પ્રથમ મને જ આવ્યો હતો, અને હું જ એ જગ્યાની તપાસ કરવા ગઈ હતી, તેમજ હું જ ઇન્સ્પેક્ટર પાસે ગઈ હતી. એટલે 60% થી 70/% ચાન્સ સુધીર દત્ત એ કોઈ ષડયંત્ર રચ્યું નથી, એવું માની શકાય! પરંતુ 30 % માં ચોક્કના રહેવાની તો જરૂર છે જ.

એ વધુ કંઈ વિચારે એ પહેલાં જ એના ફોનમાં એની ખાસ સહેલી પ્રિયદર્શીનીનો ફોન આવ્યો, કે જેને સુધીર દત્ત બહુ ગમી ગયો હતો,પણ એણે એનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. આમ તો શ્રીકાંતના મૃત્યુનો શોક વ્યક્ત કરવા ફોન હતો, અને માઈન્ડ ચેન્જ કરવા માટે ગમે ત્યારે એના ઘરે જઈ શકે છે, એમ ઇન્વિટેશન પણ આપ્યું. પોતે પણ અહીં થોડા વખતમાં આવવાની છે, અને ત્યારે ચોક્કસ મળીશું એવું પણ કહ્યું. શ્રીદેવીને ચોક્કસ ખાતરી હતી કે સુધીર દત્ત વિશેની તમામ માહિતી પ્રિયદર્શીની પાસે હશે, કારણ કે એ તેને હૃદયથી ચાહતી હતી. એટલે એને પૂછવાથી સચ્ચાઈ સામે આવી શકે એમ હતી, પરંતુ એમ પૂછવું કઈ રીતે! કારણ કે હવે તે અન્ય પાત્ર સાથે લગ્ન કરી અને સેટ થઈ ગઈ હતી, તેને બે બાળકો પણ હતા! છતાં શ્રીદેવીનું મન કહેતું હતું કે પહેલા પ્રેમને કોઈ એટલી આસાનીથી ભૂલી શકતા નથી અને એની પાસે સુધીર દત્ત વિશે સો ટકા માહિતી હશે! પોતાની પરિસ્થિતિનાં રોદણાં રડવા, એ શ્રીદેવીને આમ તો ગમતું નહોતું. છતાં એણે કહ્યું કે શ્રીકાંત સાથે લગ્ન કરી અને સુધીર દત્તનું મેં દિલ દુભાવ્યું, ઈશ્વરે કદાચ મને એનો બદલો આપ્યો હોય એવું મને લાગે છે!; પ્રિયદર્શની સુધીર દત્તનું નામ સાંભળી, અને એક મિનિટ માટે સાવ મૌન થઈ ગઈ. પછી તેણે વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે, તે તો તારા માતા-પિતાની મરજીને સ્થાન આપ્યું હતું! અને સંતાન માટે માતા-પિતાથી મોટો કોઈ ઈશ્વર હોતો નથી!; શ્રીદેવી એ કહ્યું કે હા, એ વાત પણ સાચી, પરંતુ સુધીર દત્ત બિચારો મારે કારણે કુંવારો રહી ગયો, એનો રંજ મને આજ સુધી તડપાવે છે! પ્રિયદર્શનીએ કહ્યું કે હા એ વાત તો છે, એ તને સાચે જ બહુ પ્રેમ કરે છે. મેં તેની પાસે નહીં તો કેટલી એ વાર પ્રેમનો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મેં એમ પણ કહ્યું હતું કે, ભલે તમે મને પ્રેમ ન કરો, પરંતુ આપણે લગ્ન કરી સાથે રહીએ, તો પણ હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મને મારા પ્રિય પાત્ર સાથે જિંદગી વિતાવવાનો મોકો મળે, તો બાકી બધી જ વસ્તુઓ મારી માટે ગૌણ છે! પણ એણે મારી માફી માંગતા સ્પષ્ટપણે ના કહી દીધી! પ્રિયદર્શનીએ કહ્યું કે હું તો સાચું કહું છું કે ઈશ્વરે બદલો લીધો એવું વિચારવા કરતાં, ઈશ્વર એ એને પ્રેમ જતાવવાની એક તક આપી એવું પણ વિચારી શકાય, તું એને શોધી અને ફરીથી નવી જિંદગીની શરૂઆત કરી શકે છે. એ તને ખૂબ જ સુખી રાખશે! શ્રીદેવી એ કહ્યું કે પણ એમ હું એને શોધું કઈ રીતે, અને એ શું કરે છે? પ્રિયદર્શનીએ કહ્યું કે આમ તો અત્યારે તો મને પણ ખબર નથી, પરંતુ એ કોઈ ડિટેક્ટીવ એજન્ટ છે, અને એનું બહું મોટું નામ છે. તારે તો આ બાજુ પણ હવે કોઈ રહ્યું નથી, એટલે કે શ્રીકાંત અને તારા સસરા બંને ચાલ્યા ગયાં અને આવડી મોટી જાગીરની તું એકલી વારસદાર છે, એટલે આર્થિક રીતે તો તને કોઈ તકલીફ નથી. પરંતું તને એક કંપેનિયનની જરૂર તો પડશે જ! માટે જ કહું છું કે તું સુધીર દત્તની તપાસ કરાવી અને એને લગ્નનો પ્રસ્તાવ મોકલ! શ્રીદેવી એ કહ્યું પ્રિયદર્શીની સાચું કહું તો મને મારા પતિનું મૃત્યુ નહીં, પરંતુ મર્ડર થયું હોય એવું લાગે છે, અને તું જે રૂપિયાની વાત કરે છે, એમાંથી 10% જેટલા જ રૂપિયા હવે મારી પાસે છે. બાકી હું એક ભયાનક ષડયંત્રનો ભોગ બની છું, અને એ બધી વાત ફોન પર થઈ શકે તેમ નથી. પરંતુ તારી એક વાત સાચી કે કુદરતે સુધીર દત્તને એનો પ્રેમ નિભાવવાની એક તક આપી હોય એવું કદાચ સંભવ બને, અને મારા પતિના મર્ડર કેસ માટે મેં એક ડિટેક્ટિવ હાયર કર્યો, હું એને મળવા ગઈ, ત્યારે મને ખબર પડી કે એ સુધીર દત્ત જ છે!: પણ અચાનકનું એનું મારા જીવનમાં આવવાનું કારણ મને એની પ્રત્યે પણ શંકા ઉપજાવે છે! પ્રિયદર્શનીએ કહ્યું કે દુનિયામાં બધી જ વાત તું કહે તો હું સ્વીકારવા તૈયાર છું! પરંતુ સુધીર તારી સાથે બેવફાઈ કરે, એ વાત હું ક્યારેય સ્વીકારી શકું તેમ નથી. માટે આ પ્રકારનો સંશય તારા મનમાંથી કાઢી નાખ, અને એ તારો ખરેખર હમદર્દ છે, તારા દુઃખમાં એ જ ભાગીદાર થશે, અને તને તમામ પ્રકારની વ્યાધિ માંથી બહાર લાવશે, માટે એની પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ નથી. પ્રિયદર્શની સાથે વાત કરીને શ્રીદેવીને ઘણું સારું લાગ્યું, અને તેને થયું કે સારું થયું કે મેં સુધીર દત્ત પર અવિશ્વાસ કરીને, એને ગમે તેમ કહ્યું નહીં!; એને સુધીર દત્તના વાક્યો યાદ આવતા હતા. મેડમ હમ ડિટેક્ટિવ હે, ઈતના તો પતા રખના પડતા હૈ”! અને એ મનોમન હસી પડી. એને થયું કે હું નાહક ડીટેક્ટીવ બની આ બધો બોજ મગજ પર લઈને ફરું છું, પણ સાર્થક મારા હાથ માંથી જવો ન જોઈએ! બસ‌ એનાથી વધુ મને કંઈ જ જોઈતું નથી, એને સમજાતું નહોતું કે એને સાર્થક પ્રત્યે આટલું ખેંચાણ કેમ છે?

કપડાં વગેરે બદલી અને તે હળવી થઈ, એને થયું કે લાવ આજે સામેથી સુધીર દત્ત ને ફોન કરું! બે ચાર જૂની વાતો કરી એનું મન ટટોળી જોઉં! હજી એને ફોન લગાડવા જતી હતી ત્યાં જ તેનાં મોબાઈલ માં કેટલાય ફોટા અપલોડ થયાં! એણે જોયું કે કોણે વળી અત્યારે ફોટા મોકલ્યા! જોયું તો કોઈ દાઢી મૂછ વાળો ઉંચો ગોરો , અને હેન્ડસમ સિગારેટ નાં ધૂમાડા કાઢતો હતો, બીજા ફોટામાં એ જ હેન્ડસમ શરાબ પીતો હતો, અને ત્રીજામાં એ ગોરી યુવતી સાથે ડાન્સ કરી ફ્લર્ટિંગ કરતો નજર આવતો હતો, ફોટાનો એ હેન્ડસમ થોડો થોડો સુધીર દત્ત જેવો લાગતો હતો,અને વળી એનું મન ઘુમરી ખાઈ ગયું કે આ છે તેની અસલિયત! પણ પછી એમાં લખ્યું હતું, યે તેરા આશિક વેશ બદલકર આયા થા, મગર ફીર ભી પકડા ગયા!! અને પછી એક સન્નાટો, અને પછી એનું અટ્ટહાસ્ય હાહાઆઆઆ… શ્રીદેવી ધ્રુજી ગઈ! એને થયું કે હવે તો સુધીર દત્ત પણ પકડાઈ ગયો, છે તો હવે શું થશે? હવે એ લોકો મને મારીને જ રહેશે! મારા બચવાના કોઈ ચાન્સ નથી! આમ હતાશ થઈ તે રૂમમાં આંટા મારતી હતી, ત્યાં જ તેના ફોનમાં સુધીર દત્તનો ફોન આવ્યો, અને તેણે ફોન રિસીવ કરીને કહ્યું કે ક્યાં છો? મારા ફોનમાં…. એણે શ્રીદેવીની વાતને કાપતા કહ્યું કે હા મને ખબર છે તારા ફોનમાં મારા ફોટા આવ્યાં, અને સાથે મેસેજ પણ હશે કે હું પકડાઈ ગયો! પરંતુ હું પકડાયો નથી, મારા કપડાં કોઈને પહેરાવી હું ત્યાંથી છુંમંતર થઈ ગયો હતો. એક્ચ્યુલી હું આજે સ્વીટી ઉર્ફે સુરેખાની કેસીનો હોટલમાં ત્યાં શું શું પ્રવૃત્તિ ચાલે છે? એની તપાસ માટે વેશ બદલીને ગયો હતો. પરંતુ એ લોકોએ મને પકડી પાડ્યો, એનો મતલબ એ કે એ લોકો જાણે છે કે, તે કોઈ ડિટેક્ટિવ હાયર કર્યો છે, અને મારું નામ સહિત એ લોકો જાણે છે. એટલે હવે તારો જીવ ત્યાં જોખમમાં છે, આજની રાત તારે ત્યાં આગળ કાઢવી પડશે, પણ કોઈપણ સંજોગોમાં બારણું ખોલતી નહીં, અને તારી રક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ ત્યાં આગળ મોજુદ છે, એ વાત યાદ રાખજે. એટલે કોઈ પણ તકલીફ હોય તો, એનો સહારો વિના સંકોચે લેજે! એ મારો જ માણસ છે, અને બ્લેક કમાન્ડોની તાલીમ પામેલો છે. એટલે એ બધી રીતે તારી રક્ષા કરી શકે તેમ છે, એની ખાતરી થતા જ મેં ત્યાં તેને મુક્યો છે!: શ્રીદેવી એકદમ ડરી ગઈ, એને થયું કે હું તો ખુશ થતી હતી કે, એ લોકો હજી કંઈ વિચારે એ પહેલાં જ એ બધાં ને પકડી પાડીશું! પરંતુ આ તો એ લોકો બધું જ જાણે છે, હવે સુધીર શું કરશે, એ લોકોને પકડવા? અથવા તો મને બચાવવા……. એને કેમ એ કરીને નીંદર આવતી નહોતી અને આવે પણ ક્યાંથી? પોતાનું મૃત્યુ દરવાજે ઊભું હોય, અને કોઈ કઈ રીતે સૂઈ શકે? તે આમથી તેમ પડખા બદલતી હતી, ઘડીકમાં પાણી પીતી હતી, ઘડીકમાં વોશરૂમ જતી હતી, તો ઘડીકમાં સિક્યુરિટી ગાર્ડ દેખાય છે કે નહીં એ જોતી હતી. ત્યાં બરાબર અઢી વાગે આઉટ હાઉસની બહાર, મોટી મમ્મી! મોટી મમ્મી! એમ કરીને સાર્થકનો અવાજ સંભળાયો, અને એ બારણા તરફ દોડી! પરંતુ તરત જ તેને સુધીરના શબ્દો યાદ આવ્યા, કે ગમે તે થાય પણ તું બારણું ન ખોલતી! તેનું કાળજું થરથર કાપવા લાગ્યું, કે સાર્થક ને શું થયું હશે…..

તો સુધીર દત્ત હવે શ્રીદેવીને કઈ રીતે બચાવશે? અને બંગલો માંથી લઈ જઈ, અને ક્યાં રાખશે? એની સુરક્ષા માટે બીજા કયા પગલા ભરશે?અને રાતના ત્રણ વાગ્યે આઉટ હાઉસના બારણે સાર્થક શું કામ આવ્યો હશે? એ ગભરાઈને મોટી મમ્મી! મોટી મમ્મી! કરતો હતો તો શું એ સાચે સાર્થક જ હશે? કે પછી સુરેખા ગેંગની કોઈ ચાલ હશે? સુધીર દત્ત કોને પોતાના કપડા પહેરાવી ત્યાંથી ભાગી નીકળ્યો! અને તેને ભાગવામાં કોણે મદદ કરી? શું સુરેખાની ગેંગમાં પણ કોઈ ફૂટલું હતું? જેના સહારે સુધીર દત્ત કેસીનો સુધી પહોંચ્યો, અને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર પણ નીકળી ગયો! આઉટ હાઉસના બારણે, સાચે જ જો સાર્થક હોય તો એને શું થયું હશે? અને રાતના 03:00 વાગ્યે આમ એ શું કામ અહીં આવ્યો હશે? બંગલોમાંથી નીકળતા એને કોઈએ નહીં જોયો હોય? કે પછી સાર્થક પાસે આ નાટકની મહત્વની ચાલ ચલાવવામાં એ લોકો કામયાબ થઈ ગયા!; શું સુરેખા ગેંગ શ્રીકાંતની જેમ જ શ્રીદેવીનો કાંટો પણ પોતાના માર્ગમાંથી કાઢવામાં કામયાબ થશે? કે સુધીર દત્ત તેને બચાવી લેશે? શું શ્રીદેવી સિક્યુરિટી ગાર્ડ પર ભરોસો કરી એની મદદ લેશે? સાર્થક ને અંદર લેવા માટે બારણું ખોલશે? અને! અને! અને! શું તમને આ અનેનાં જવાબો ખબર છે? મને તો નથી ખબર! પરંતુ વિધાતાની વિચિત્રતાનાં નામે, શ્રીદેવી સાથે ઘણું બધું થયું, પણ એ અંતે પ્રિયદર્શનીનાં કહેવા મુજબ સુધીરનાં પ્રેમ માટે કુદરતે ઊભી કરેલી તક છે!; શું શ્રીકાંતને ભૂલીને શ્રીદેવી સુધીર દત્તને અપનાવી શકશે? એની સાથે લગ્ન કરી સુધીરની આટલા વર્ષોની ઝંખના પૂરી કરશે કે કેમ? એ બધું જ જાણવા માટે હજી વધુ થોડું થોભો…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કાલે ચૂંટણી જાહેર થશે

0

બ્રેકિંગ ન્યુઝકાલે ચૂંટણી જાહેર થશે: ઈલેક્શન
કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ
કરશેઈલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ
કરશે. પહેલાં કે બીજા જ તબક્કામાં ગુજરાતનું
મતદાન થાય તેવી શક્યતા.

શીર્ષક વિધાતાની વિચિત્રતા!

0

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવીને હવે સુરેખા ઉર્ફે સ્વીટી પર વધુને વધુ શંકા જતી હતી, અને એને હવે તો યકીન થતું જતું હતું કે સાર્થક એનો પુત્ર નથી, નહીં તો કોઈ મા આટલી બધી રૂઢ કેમ થઈ શકે? તેમજ નિયમિત રીતે એ પાંચ થી નવ સુધી ક્યાં જાય છે એની પણ હવે તપાસ કરવી પડશે પોતાના પતિની ફાઈલનો પોર્ટફોલિયો લઈને તપાસ કરી રહી હતી, તો એનાથી જાણવા મળ્યું કે શ્રીકાંત દર મહિને કોઈને 50,000 જેવી મોટી રકમ આપી રહ્યા હતાં. શું શ્રીકાંતને કોઈ બ્લેકમેલ કરતું હતું કે પછી શ્રીકાંતનો પણ કોઈ સાથે અફેર હતો? આ બધું તેને મૂંઝવતું હતું શ્રીકાંત આજ સુધી તેની સાથે ક્યારેય દ્રોહ કર્યો હોય એવી કોઈ ઘટના તેને યાદ આવતી નહોતી, તે તેને ખૂબ જ પ્રેમ કરતા હતાં. તો પછી આ બધું શું છે એ જાણવા માટે એ સુધીર દત્ત પાસે જવાનું વિચારે છે, સાર્થકની તબિયત એકાએક ખરાબ થઈ જતા થોડો સમય એને હેન્ડલ કરી અને એ સુધીર દત્ત ને મળવા માટે બહાર નીકળે છે, તો સિક્યુરિટી ગાર્ડ તેને બુરખો આપે છે, અને સુધીર દત્ત પાસે આવે છે તો એને જે જે પ્રશ્નો થયા હતાં, અને જે સંબંધ પ્રત્યે શંકા ઉપજી હતી એ તમામ વાત સુધીર તેને જણાવે છે, અને એક એવું સત્ય જણાવે છે જે સાંભળીને શ્રીદેવીના હોંશકોસ ઉડી જાય છે તો એ શું હતું એ જાણવા માટે વાંચો આગળ….

શ્રીદેવી એ સુધીર દત્તની ચેમ્બરમાં પ્રવેશ કર્યો, અને એના લહેરાતા કાળા વાળ અને સુંદર પરિવેશ થી તે ખૂબ જ સુંદર લાગતી હતી! સુધીર દત્ત તેની સામે એકીટશે જોઈ રહ્યા, અને કહ્યું, યુ લાઈક વેરી બ્યુટીફુલ! અને એણે થેન્કયુ કહ્યું! પછી શ્રીદેવી અને સુધીર દત્ત બેઠાં હતાં, અને આ બધી વાત શ્રીદેવી કરે એ પહેલા જ કહેવા લાગ્યાં, પરંતુ તે અચાનક ઊભા થયાં, અને પોતાની ચેમ્બરનુ દ્વાર લોક કર્યું. શ્રીદેવીને શંકા ગઈ કે આજે આ સુધીર આવું કેમ કરે છે? એનો કોઈ બદ ઇરાદો તો નથી ને? પરંતુ પછી એને પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું કે તને ખબર છે શ્રીકાંતનું મર્ડર થયું છે? અને એ કરાવનાર કોણ છે?; શ્રીકાંત દર મહિને 50000 રૂપિયા નિયમિત રીતે બદનામ ગલીમાં મોકલતો હતો, એ કોણ હતું? એ જાણવું છે તારે? શ્રીદેવી એ કહ્યું ઓફકોર્સ!: મારા પતિ સાથે જોડાયેલું એક એક સત્ય હું જાણવા માગું છું. સુધીર દત્તે કહ્યું કે આમ જુઓ તો એ તારા પતિ સાથે નહીં, પરંતુ તારા સસરા સાથે જોડાયેલું સત્ય છે! શ્રીદેવીના પગ નીચેથી ધરતી ખસકી ગઈ. એણે કહ્યું કે શ્રીધર રાય શેઠ જુવાનીમાં વિધૂર થયાં હતાં, અને એમના સગા સંબંધીઓએ એને બીજા લગ્ન કરી લેવા માટે ખૂબ જ દબાણ કર્યું, પરંતુ પોતાના બંને પુત્રો માટે થઈને એમણે લગ્ન કરવાનું માંડી વાળ્યું. સાવકી મા કદાચ બાળકોને સરખી રીતે ન રાખે તો! અને એવું એના કુટુંબમાં બન્યું પણ હતું. પરંતુ યુવાનીનો સાપ ક્યારેક ક્યારેક બહુ ડંખ દેતો હતો, અને પોતાના મિત્ર સાથે તે આ બધી વાતચીત કરતા હતાં. તેનો એક મિત્ર શૈલેન્દ્ર એક વાર તેને બદનામ ગલીમાં લઈ ગયો, અને પછી ત્યાં રહેતી એક સ્ત્રી મધુમાલા સાથે તેને મોહ થઈ ગયો,એટલે તે વારંવાર ત્યાં જવા લાગ્યાં. મધુમાલા એ પોતાની ચીકણી ચૂપડી વાતોમાં શેઠને ફસાવી લીધાં, અને કહ્યું કે આપણા સંબંધથી તે મા બનવાની છે, અને પોતે એની સાથે લગ્ન કરી અને એ બાળકનું જીવન સુરક્ષિત કરે! શેઠ શ્રીધરરાયને પોતાની ઈજ્જત પ્યારી હતી, એટલે એણે ત્યાં જવાનું બંધ કરી દીધું, અને થોડા ઘણા થોડા ઘણાં રૂપિયા મોકલવા લાગ્યાં,હકીકતમાં મધુમાલા ને દિવસો ચડ્યા હતાં,પણ શેઠજીથી નહીં! એનાં સાગરિત બહાદૂરથી એને એક દીકરી થઇ, અને શેઠજી એ એની સાથે લગ્ન ન કર્યા તેમજ એનાં સંતાનની જવાબદારી પણ લેવી નથી! કોઠામાં એનું ભવિષ્ય અંધકારમય બની ગયું,અને માતાનો વ્યવસાય જ અપનાવવો પડશે! એમ કરી એણે મોટી રકમ એઠી લીધી. આમ વારંવાર માંગણી થવા લાગી, અને શેઠ શ્રીધરરાય ને તો એક નાની એવી દુકાન હતી, એટલે કેટલું આપી શકે‌ છતાં મૃત પત્ની ના દર દાગીના વેચી સાટીને વળી પાછાં રુપિયા આપી દીધાં. મધુમાલા ને થયું કે હવે માલ ખલાસ થઈ ગયો છે! એટલે એણે બીજા ગ્રાહકમાં મન પરોવી દીધું! પણ જેમ જેમ શ્રીકાંતનો ધંધો જામતો ગયો, અને તેની એને ખબર પડતાં વળી પાછી શેઠને બ્લેકમેઇલ કરવા લાગી. એક વખત શ્રીકાંત શ્રીધર શેઠની પાછળ પાછળ ગયો, એટલે તેને આ સચ્ચાઈની ખબર પડી, અને મધુમાલા એ રડવાનું નાટક કર્યું. દીકરા દીકરા કરી કહ્યું કે શેઠની દીકરી મનમોહિની નું જીવન તું સુધાર, એને મારે અહીથી બહાર કાઢવી જ છે! આખરે એ તારી બેન છે! અને ત્યારથી શ્રીકાંત એની એ કહેવાતી બહેન માટે મધુમાલા ને રૂપિયા આપે છે, જે હવે વધતા વધતા રુ 50,000 જેવી માતબર છે. પરંતુ શ્રીકાંત રૂપિયા આપવાનું શરૂ કર્યું, અને થોડા સમયમાં જ મધુમાલા એ કહ્યું કે અંતે એની દીકરીને બચાવી ન શકી અને એ પણ માં બનવાની છે, અને એના બાળકનું પણ અહીં ભવિષ્ય સુરક્ષિત નથી. દીકરો હોય કે દીકરી કોઠા માં ઉછેરનાર એની જેવા જ બની જાય છે! અને એ બાળક એટલે સાર્થક સાર્થક ને બંગલોમાં લાવવા માટે સુરેખા સાથે શ્રીપાલના લગ્ન થયાં, સુરેખાએ પ્રેગ્નેટ હોવાનો ડોળ કર્યો,અને હોસ્પિટલમાં એ જ સમયે મનમોહિની એ દીકરાને જન્મ આપ્યો, જેને લઈને સુરેખા આ બંગલોમાં ‌પ્રવેશી! તમને લોકોને સંતાન તો હતું નહીં, એટલે શ્રીકાંતે વિચાર્યું કે ગમે તેમ તો એ આ કુટુંબનો વારસદાર છે, અને શ્રીપાલની નબળાઈ પણ તે જાણતો હતો, એટલે કે તે ક્યારેય બાપ બની શકે તેમ હતું નહીં! તો સાર્થક ને લીગલી દત્તક લઈને તમામ સંપત્તિનો વારસદાર બનાવી શકાય, એ માટે સુરેખા દ્વારા સાર્થક ને ઘરમાં લાવવામાં આવ્યો. તને એમ થશે કે આનાથ આશ્રમમાં પણ સાર્થક ને રાખીને દતક લઈ શક્યા હોત! પરંતુ તું એવી રીતે કોઈ આનાથ બાળકને પોતાનું બાળક માની શકે નહીં તો! એટલા માટે શ્રીપાલને તો તે નાના ભાઈ જેમ ઉછેર્યો છે, અને અંતે એક જ પરિવારનું લોહી હોવાથી, લગભગ વાંધો નહીં આવે એમ માની શ્રીકાંત એ જ આ આખો વ્યુહ ગોઠવ્યો હતો, અને એમાં તે કામયાબ પણ થઈ ગયો, એટલે કે તને કોઈ શંકા ન પડી. હાલાકી શ્રીકાંતનું ચરિત્ર શુદ્ધ છે, એણે જિંદગીભર તારી સિવાય કોઈને પ્રેમ કર્યો નથી! પણ સુરેખા ને લાવવા પાછળનું કારણ શું હતું! એ થોડું બ્લેકમેઇલ ને કારણે, કારણ કે મનમોહિની તો બેન થાય એટલે એની સાથે તો લગ્ન થાય નહીં,પણ એનું બાળક જ વારસદાર બનાવવું હોય તો એ લોકો કહે, એની સાથે જ લગ્ન કરવાં પડે! અને ત્યાં શ્રીકાંત થાપ ખાઈ ગયો, એણે બંગલોમાં આવી શ્રીકાંત ને ફસાવવાની હરકત શરું કરી દીધી,પણ એ ચેતીને ચાલતો હતો, એટલે તે નાકામિયાબ રહી.પણ એ લોકોનાં કહેવા મુજબ મનમોહિની બાળકને જન્મ આપીને આ દુનિયા છોડી ગઈ, અને એ લોકો એ આ બંધા માટે શેઠને જવાબદાર ગણ્યા! અને આ બધાં આઘાતમાં એને હાર્ટએટેક આવી ગયો. હકીકતમાં મનમોહિની નું પ્રાત્ર જ કાલ્પનિક છે! અને શેઠજી થી મધુમાલા ને કોઈ સંતાન જ નહોતું થયું! પણ શ્રીકાંત ની ચડતી નો લાભ ઉઠાવવા આ રીતની કહાની ઉભી કરવામાં આવી. સુરેખા ઘરમાં તો શ્રીકાત ને ફસાવી શકી નહીં એટલે હવે સુરેખા એ એક બીજો પ્લાન ઘડ્યો,અને બિઝનેસ ટૂર પર શ્રીકાંત ને ફસાવવા એક અન્ય યુવતી મોકલી અને એણે એને ચા કોફી માં કંઈક પીવરાવી દીધું, એટલે એણે એની સાથે બિભત્સ ચેનચાળા કરતાં વિડિયો ઉતારી લીધાં, અને શ્રીકાંત ને બ્લેકમેઇલ કરી એક કરોડ‌ રુપિયા પડાવ્યા, એમાંથી એક હોટલ ભાડે રાખી. જેમાં‌ અંડર ગ્રાઉન્ડ એક માળ છે, અને ત્યાં એ ગેરકાનૂની રીતે કેસિનો ચલાવે છે, ડ્રગ્સ દારુ અને હુક્કા પાર્ટી થાય છે! જેમ જેમ શ્રીદેવી સાંભળતી ગઈ એમ એમ એની આંખ ફાટીને ફાટી રહેવા લાગી! પણ સુરેખાની તો હજી ઉંમર જ કેટલી છે! આવડી ઉંમરમાં! એની વાત ને વચ્ચે થી જ કાપતા સુધીર દત્ત બોલ્યા કે માસ્ટર માઇન્ડ બહાદૂર અને કોઠાની માલિક સુરૈયા છે, અને સુરૈયા ની દીકરી સ્વીટી એ જેમ કહે તેમ કરે છે! સુરૈયા શહેરના ઈજ્જતદાર લોકો રાતનો અંધાર ઓઢી પોતાની વાસના સંતોષી જાય છે, પણ અમારી જેવી સ્ત્રી ઓની ઈજ્જત નું કંઈ વિચારતા નથી એટલે આ રીતે પુરુષ પ્રધાન સમાજ સામે અદાવત કરીને બદલો વાળે છે! જેમાં હકીકતમાં શ્રીધરરાય શેઠ અને શ્રીકાંત એનાં જાંસામાં આવી ગયા! પણ સ્વીટી ઉર્ફે સુરેખા કે સુરૈયા આમ હોટલ ભાડે રાખીને આવું કરશે! તેમજ એ ધંધાની આવક એ હોટલ ખરીદવા માં વાપરી સમાજમાં વ્યાભિચાર ફેલાવશે એવી ધારણા તો નહોતી જ ધારી! અને જ્યારે સચ્ચાઈ ખબર પડી ત્યારે શ્રીકાંત એ એને સ્પષ્ટ પણે કહી દીધું કે તું તારે મારા વિડિયો! મારા પિતાની કરણી! બધું જ શ્રીદેવી ને જણાવી દે! પણ પોલીસને તમારા એકોએક ધંધાની બાતમી હવે તો આપીને જ રહીશ! અને શ્રીકાંત એની ધમકી થી ડરશે નહીં એવું લાગતાં એનું મર્ડર કરાવ્યું! અને એક્સીડન્ટ માં આખો કેસ ખપાવી દીધો! તને જો તારા પતિનું મર્ડર થયું છે, એવી શંકા ન ગઈ હોત તો કાનોકાન કોઈને ખબર પણ ન પડત! ઓહ નો! સચ આ ડીસકસ્ટીંગ ! હાઉ ઇઝ પોસીબલ સુધીર ! બટ‌ આઈ કુડન્ટ સેવ હીમ! એમ શ્રીદેવી કરી રડવા લાગી, સુધીર એ કહ્યું કે પણ આપડે એને છોડીશું નહીં! આપણે એને સજા કરાવી ને રહીશું! અને હા શ્રીદેવી એ કહ્યું બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ મને આ બુરખો શું કામ આપ્યો એમ કરી બુરખો બતાવ્યો! સુધીર દત્ત અચાનક થી હસવા લાગ્યો, અને કહ્યું એ મારો માણસ છે! શ્રીદેવી તો જોઈ જ રહી! એણે કહ્યું ભવિષ્યમાં તારી પર હુમલો થઈ શકે છે! એટલે બંગલોનાં સિકયોરીટી ગાર્ડ ને આંતરી ને ધમકાવી રજા પર ઉતરવા રાજી કરી લીધો અને એનાં ઓળખીતા તરીકે એણે જ મારા માણસને ગોઠવી દીધો, કે જે માત્ર તારી સુરક્ષા માટે અને એ લોકોની હિલચાલ પર નજર રાખવા માટે જ છે. ઓહ થેન્કયુ સો મચ! પણ આટલું બધું આગોતરું તને કેમ સુજે છે? સુધીર દત્ત એ હસી ને કહ્યું કારણ કે હું ડીટેક્ટીવ છું અને બંને હસી પડ્યાં….

શું શ્રીદેવીની આ હસી ને સુધીર દત્ત બરકરાર રાખી શકશે? સુરેખા સુરૈયા,અને સિદ્ધાર્થ ના કાળાં કર્મ નો પર્દાફાશ કરી શકશે! શ્રીકાંત નાં મર્ડરર તરીકે એ લોકો ને સજા કરાવી શકશે? અને સાર્થક નથી સુરેખાનો પુત્ર ! મનમોહિની તો એક કાલ્પનિક પાત્ર છે? તો અસલમાં સાર્થક કોનો પુત્ર છે? અને આમ જન્મતા વેંત કંઈ મા એ પોતાના બાળકને આપી દીધું? તેની આની પાછળ શું મજબૂરી હશે? બાપરે… એક સવાલ શ્રીદેવી ને મુજવે છે? કે ઇન્સ્પેક્ટર થી ડીટેક્ટીવ સુધીર સુધી બધા જ મને ગુમરાહ કરવા માટે તો નથી ને! નહીં તો હજી હું કંઈ કહું એ પહેલા જ સુધીર દત્ત ને કંઈ રીતે ખબર પડે? તમારું શું કહેવું છે? આ બધાં સવાલો ના જવાબ જાણવા હજી થોડું થોભો…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વલસાડ ડાંગ લોકસભા :ડો.હેમંત ભાઈ પટેલે બીજેપી દ્રારા જાહેર કરેલ ઉમદેવાર ધવલ પટેલની શુભેચ્છા મુલાકાત કરી ….

0

લોકસભા ચુંટણી: વલસાડ બેઠકમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ

બીજેપી ના દાવેદારો માંથી માત્ર એક જ દાવેદાર ડો.હેમંત ભાઈ પટેલે બીજેપી દ્રારા જાહેર કરેલ ઉમદેવાર ધવલ પટેલની શુભેચ્છા મુલાકાત કરી ….
જયારે બીજા દાવેદારોની સૂચક ગેરહાજરી બીજેપી કાર્યાલયમાં આ અવસરે જોવા મળી હતી.

મૂળ વાંસદા તાલુકાના પણ રહે સુરતમાં વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

વલસાડ બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે મંગળવારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને જાહેર કર્યા હતા.

તેના બીજા જ દિવસે બુધવારે ભાજપે આ બેઠક ઉપર તેના ઉમેદવાર તરીકે ધવલ પટેલના નામની જાહેરાત કરી છે.અહીં ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ભાજપના કે.સી. પટેલ છે. તેમની ટિકિટ કાપી પક્ષે આ વખતે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.ધવલ પટેલ મૂળ વાંસદા તાલુકાના ઝરી પંથકના છે. તેમનો પરિવાર નવસારીમાં પણ નિવાસ કરી ગયાની માહિતી છે. હાલ સુરતમાં રહે છે અને ભાજપના આદિવાસી મોરચાના અગ્રણી છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. : મોરારીબાપુ

0

  • મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે.
  • વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે.

જે મોહગ્રસ્ત થઈ જાય છે, વિષાદગ્રસ્ત થઈ જાય છે એવા અનેક અર્જુનોને યોગ અને વિયોગનો આ નિનાદ જગાડતો રહે છે. એક વાત યાદ રાખજો કે ભગવદ્ગીતા ઘંટડી છે અને રામાયણ આરતી છે. રામાયણના સાત કાંડ એ એની આરતીની સાત જ્યોતિઓ છે. જેને નિત્ય પૂજારી બનવાનું છે, કોઈ મંદિરના નહીં પોતાના જીવનના પૂજારી બનવાનું છે, જે રામાયણની ઘંટડી લઈ ફરતું રહે તો પોતાના જીવનના પૂજારી બની શકે છે.

મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે. એ વ્યક્તિ જીવનની ઝોળીમાં સંપૂર્ણ ખુશીઓ નાખી દે છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. એક વાત જીવનમાં યાદ રાખવી કે તમારે તુલના કરવી હોય તો પોતાથી મોટાઓ સાથે ન કરવી, નીચેનાઓ સાથે કરવી; નહીં તો તમે ક્યારે સુખી નહીં થાવ. જો તુલના તમારાથી નીચેનાઓ સાથે કરી તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ઊલટાનું વિજ્ઞાનવાન બનવાની દિશા ખૂલી જશે.

વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે. આ બહારી ઉડાન છે. ભારતીય વિજ્ઞાન એ છે જે આંતરિક ગહેરાઈઓમાં જાય છે. વિજ્ઞાનવાનનો અર્થ એ થાય છે જે આંતરખોજમાં વ્યસ્ત રહે છે. વિજ્ઞાનીને ગુલાબનું ફૂલ આપશો તો તે અન્વેષણ કરશે કે એમાં કયાં-કયાં આ કેમિકલ્સ છે. આ ફૂલનો રંગ લાલ કેમ છે? પીળો કેમ છે? એ ખૂલે તો એમાંથી સુગંધ કેમ આવે છે? આ અને આવા બીજા અનેક સવાલના જવાબ શોધવાનું કામ વિજ્ઞાનીઓ કરશે. ભારતીય ઋષિ હશે તો તે એમ વિચારશે કે આ ફૂલ જેણે બનાવ્યું છે તે કૃષ્ણ કેવા હશે? ભારતીય ઋષિ હશે તો એ એમ વિચારશે કે આ ફુલમાં સુગંધ ભરનારા રામની હાજરીમાત્રથી કેવી સુગંધ પ્રસરી જતી હશે? ભારતીય ઋષિ આ અને આ પ્રકારના બીજા સવાલો અને એ સવાલોમાંથી ઊભા થતા બીજા પ્રશ્નોના જવાબોની શોધમાં આગળ વધશે. જ્ઞાન ક્રિયાત્મક હોય, જ્ઞાન પ્રયોગાત્મક હોય, જ્ઞાન પરિણામાત્મક હોય. જેમ વિજ્ઞાનનું કોઈ સૂત્ર તમે વાંચી લીધું અને પછી પ્રયોગશાળામાં જઈને એ સૂત્રનો પ્રયોગ કરો તો એ સૂત્ર સિદ્ધ થઈ જાય છે એવી જ રીતે જીવનનું કોઈ સૂત્ર તમે વાંચીને પ્રયોગમાં લીધું તો એ સૂત્ર પણ સિદ્ધ થઈ જાય છે.

Ad..

વિધાતાની વિચિત્રતા !

0

ગયાં અંકમાં આપણે જોયું કે સુરેખાની બેદરકારીને કારણે સાર્થક અત્યંત ગંભીર રીતે બીમાર થઈ ગયો, અને શ્રીદેવી પાસે જવાની હટ લઈ ને બેઠો, એટલે સુરેખાએ ના છૂટકે શ્રીદેવીને બંગલોમાં આવવા દેવી પડી. શ્રીદેવીની સૂઝબુજને કારણે સાર્થકની તબિયત સુધારા પર આવી ગઈ, અને તેણે સુરેખા ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, હજી પણ હું ધારું તો સાર્થકની કસ્ટડી માટે કેસ કરી શકું એમ છું, અને તને આ બંગલોમાંથી પણ બહાર કાઢી શકું એમ છું, માટે મારી સાથે એકદમ વિવેકથી વર્તન કરજે.આ ઉપરાંત શ્રીદેવી શ્રીકાંતના બિઝનેસ વિશે જોઈ રહી હતી ત્યાં દર મહિને શ્રીકાંત કોઈને 50,000 જેવી મોટી રકમ મોકલતા હતાં. તો શું હશે એનું રહસ્ય એ જાણવા શ્રીદેવી હવે શું કરશે ડિટેક્ટર સુધીર દત્તને વાત કરશે, કે પછી આ પ્રકરણને એમનેમ જ બંધ કરી દેશે. કારણ કે શ્રીકાંત માટે તેના દિલમાં ભારોભાર માન સન્માન હતું, જો કોઈ એવી વાત નીકળે તો શ્રીકાંત એની નજરમાંથી ઉતરી જાય એમ હતાં, માટે શ્રીદેવીએ બહુ વિચારી વિચારીને આગળના પગલાં ભરવાં પડે તેમ હતાં, પણ શ્રીકાંતનું મર્ડર કોઈ શું કામ કરે? શું કોઈ સાથે એની જૂની અદાવત હતી, કે પછી માત્ર રૂપિયા માટે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો? એ જાણવા માટે વાંચો આગળ….

સુધીર દત્તના કહેવા મુજબ સુરેખા અને સિદ્ધાર્થ તો આ કાવતરાના પ્યાદા હતા.મેન સૂત્રધાર કોણ છે, એ પણ હજી સ્પષ્ટ રીતે દેખાતું નહોતું. પણ 25 એક વર્ષની સ્ત્રીમાં કોઈ માટે આટલી બધી નફરત અને રૂપિયાનું આટલું આકર્ષણ આ બંને વસ્તુ આશ્ચર્ય પમાડતી હતી. અને ઉપરથી સાર્થક પ્રત્યેનું તેનું વલણ પણ વિચિત્ર હતું! એટલે શું ખરેખર સાર્થક તેનો પુત્ર નહોતો? એ પણ આ નાટકનો હિસ્સો હોવાથી એને ક્યાંકથી લઈ આવ્યાં હતાં? કે આખરે વાત શું છે! શું શ્રીકાંત બધું જાણતા હતાં, અને કદાચ એની મરજીથી જ સુરેખા બંગલોમાં આ બાળકને લાવી હતી! તો શું ડોક્ટર પાસે પ્રેગ્નેન્સીનું પણ નાટક હતું? વગેરે કેટ કેટલા રહસ્યો ભરેલા દેખાતા હતાં, અને શ્રીદેવી પાસે એનો કોઈ ઉત્તર નહોતો. અંતે એણે નક્કી કર્યું કે મારે જો સત્ય ને જાણવું હોય, તો એને પચાવવાની હિંમત પણ કેળવવી પડશે! અને સત્ય સુધી પહોંચવા માટે મારે સુધીર દત્તનો સહારો લેવો જ પડશે. નહીં તો આ રહસ્ય આમ જ રહેશે, અને ક્યાં સુધી એમ 50000 રૂપિયા જે તે વ્યક્તિને હું આપીશ! શ્રીકાંત આપતાં હતાં કારણ કે એ કારણ જાણતા હતાં અને કદાચ એની આ વ્યક્તિ સાથે કોઈ કૂણી લાગણી પણ જોડાયેલી હોય! પરંતુ મારા મનમાં એની માટે એવો કોઈ જ ભાવ નથી, તો પછી મારે શું કામ રૂપિયા આપવા અથવા તો રૂપિયા જાય તે જોતા રહેવું? એણે પાક્કે પાયે નક્કી કરી લીધું કે હવે તો આ પાર કે પેલે પાર! પરંતુ સુધીર દત્ત સાથે આ બધી જ વાતની ચર્ચા કરી સત્ય સુધી પહોંચવાનું છે, અને એને ખાસ તાકીદ કરવાની છે, કે શ્રીકાંતના કેરેક્ટરમાં કોઈ એવી વાત મળે તો, એ સમાજમાં ક્યાંય ચર્ચિત ન થાય! એની તકેદારી પણ આપણે લેવાની છે. પૂર્ણપણે સાઉન્ડ પ્રુફ પ્લાન બનાવી, અને છેક સુધી જવું પડશે. જેમ સુરેખા આ બંગલોમાં પ્રવેશી, એમ જ આપણે પણ બદનામ ગલી સુધી જવાનું છે,અને છતાં કોઈ ને ખબર પડવા દેવાની નથી. સુધીર દત્ત સાથે આટલી બધી વાતો ફોનમાં કરવો યોગ્ય ન હોવાથી એણે તેને કોફી શોપમાં મળવાનો મેસેજ કરી દીધો. સુરેખા રોજ પાંચ થી નવ સુધી લગભગ બહાર રહેતી હતી, એ સમય દરમિયાન એક કલાક તો એને મળી જ જાય એમ હતું. આ બધામાંથી પરવારી એટલે એને વળી પાછી સાર્થક ની યાદ આવી એને થયું કે હવે સાર્થક ને કેમ હશે?એ સૂઈ ગયો હશે !એને કંઈ ખાધું હશે કે નહીં! ત્યાં સર્વન્ટ સાથે સાર્થક આઉટ હાઉસમાં આવ્યો, અને સર્વન્ટ એ કહ્યું દીદી છોટી મહેસાબને બોલા હૈ કે બાબા અબ થોડી દેર ઇધર હી રહેંગે!: શ્રીદેવી એ વ્હાલથી સાર્થક ને ઉચકી લીધો અને ગળે લગાડી લીધો! સાર્થકે કહ્યું મોટી મમ્મી તમે કેમ ચાલ્યા આવ્યાં ?મને ત્યાં આગળ ગમતું નથી, હવે હું પણ તમારી સાથે અહીં જ રહીશ. શ્રીદેવીએ એને સમજાવ્યું કે ના ના હું બીમાર છું એટલે તો અહીં રહેવા આવી છું, સાજી થઈ જાઉં એટલે મારી મેળે જ પાછી ત્યાં રહેવા આવી જઈશ, આખો આખો દિવસ તું મારી સાથે રહીશ, તો તું પણ બીમાર પડી જઈશ! સમજ્યો એમ કરી તે એને લઈ કિચનમાં ગઈ અને તેની માટે ચોકલેટ વાળું દૂધ બનાવી એને પીવડાવ્યું, પછી તેને લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને સાર્થકે કહ્યું કે, મોટી મમ્મી મને એક વાર્તા સાંભળવી છે, કેટલાય દિવસથી મને કોઈએ સ્ટોરી કરી જ નથી! શ્રીદેવી વિચારતી હતી કે આ વાત હું વાર્તાના રૂપમાં સાર્થક ને કરું !પણ પછી થયું કે ના એનો નાજુક હૃદય આવો આઘાત સહન ન કરી શકે, અને કેટલાય પ્રશ્નો એનાથી ઊભા થાય એનું નાનકડું મગજ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવામાં અટવાઈ જાય, એની કરતાં સાર્થક માટે તો સસલા કાચબાની, કે પછી હંસ કાગડાની, સિંહ શિયાળ કે ઉંદર કબૂતરની અને બહુ બહુ તો રાજા રાણીની વાર્તા બરાબર છે. શ્રીદેવીએ ઉંદર કબુતરની વાર્તામાં થોડો ફેરફાર કરીને, એ વાર્તા સાર્થક ને કરી. સાર્થક ને હજી પણ એટલી બધી નબળાઈ હતી કે, એ વાર્તા સાંભળતા સાંભળતા જ શ્રીદેવીના ખોળામાં માથું રાખીને સુઈ ગયો. શ્રીદેવી એના માથામાં હાથ ફેરવતી હતી, અને વિચારતી હતી કે બાળકો કેટલા માસુમ અને નિર્દોષ હોય છે! મોટા થયા પછી જ એના મનમાં રાગ દ્વેષ કે નફરત અને દુશ્મની વગેરેના ભાવ ઉત્પન્ન થતાં હોય છે. અચાનક એને ખ્યાલ આવ્યો કે, સાર્થક સૂઈ ગયો એટલે હવે શું કરવું! ‌કારણ કે સાર્થક ને એમ આઉટ હાઉસમાં એકલો મૂકીને સુધીર દત્ત ને મળવા નહીં જવાય! અને જો સર્વન્ટ ને બોલાવી ને સાર્થક ને ત્યાં મોકલી આપું તો સુરેખા ને વહેમ આવે! જોકે નથી સુરેખા, હવે લાગે છે સાર્થકની મા પણ નથી! પણ એમ ઘરમાં બંધ કરીને તો જવાશે નહીં! તેમજ સાથે પણ લઈ જવાશે નહીં!! તો શું કરવું! શું કરવું! એને થયું કે હમણાં તો આમ પણ જવાનું નથી, સુરેખા ઉર્ફે સ્વીટી જાય પછી જ જવાનું છે! અને એ જાય પછી મેં એને ત્યાં મોકલી દીધો કે નહીં એ ક્યાં એને ખબર પડવાની છે? અને હું તો તરત પાછી આવતી રહીશ! શ્રીકાંત નાં ગયા પછી એકસાથે એટલી બધી ઘટના ઘટી ગઈ કે, હવે તેને એકાંતમાં થોડો ડર લાગતો હતો,અને સુધીરનો સાથ તો એને આમ પણ પસંદ હતો.

સાર્થક ને સૂવાડતા સૂવાડતા શ્રીદેવીને પણ ઝોકું આવી ગયું,અને મર્સિડીઝ નું હોર્ન ન વાગ્યું હોત તો એ કદાચ હજી જાગી પણ નહોત! ગઈકાલે સાર્થક માટે આખી રાતનો ઉજાગરો થયો હતો, એટલે આવું થવું સ્વાભાવિક છે. એને થયું કે આ સુરેખા રોજ ક્યાં જતી હશે! ઓફિસમાં! કે પછી બીજે! એની પણ તપાસ કરાવવી પડશે,ન જાણે એક પછી એક એમ જુદાં જુદાં વિચારોનાં ફિતુર નીકળે જ જાય છે, પણ એની એક એક ચાલ પર નજર ન રાખીએ તો કંઈ પગેરું મળે નહીં. એણે ધીરેકથી સાર્થક નું માથું ઓશીકા પર ગોઠવ્યું, અને પોતે વોશરૂમ માં આવી. એસી ન હોવાથી ગરમી થઈ ગઈ હતી, એટલે મોઢું ધોયું અને અરીસામાં જોયું. પહેલાં તો આમ જ જવાં વિચાર્યું પણ પછી થયું કે ના, સુધીર શું વિચારશે! શ્રીકાંતનાં જતાં તો એની દુનિયા ઉજડી ગઈ હતી, અને એને કંઈ ગમતું જ નહોતું! જમવાનું પણ ભાવતું નહોતું, ત્યાં શાજ શણગાર તો ક્યાંથી ગમે! પણ સુધીરને જ્યારથી મળી ત્યારથી હવે તેને થોડું થોડું તૈયાર થવું ગમતું હતું. એણે સી ગ્રીન કલરની સાડી પહેરી, અને વાળનો ચોટલો વાળવા જતી હતી, ત્યાં જ સુધીરના પહેલી મુલાકાત વખતનાં શબ્દો યાદ આવ્યાં, યે કાલી કાલી ઘટાયે, ઔર યે કાતિલ નજર! દોનોં હી કયામત કર દેતી હૈ,ઔર મુજ નાચિઝ મેં ભી શાયર સી નજાકત ભર દેતી હૈ!! અને એ ત્યારે જેમ મુક્ત મને હસી પડી હતી,એમ જ હસી પડી! એણે સર્વન્ટ ને બોલાવી સાર્થક ને બંગલોમાં મોકલી દીધો, અને એ જાગી ન જાય એનું ધ્યાન રાખવા કહ્યું, તેમજ ઉઠે‌ ત્યારે શું આપવું એની જરુરી સુચના પણ આપી‌.

શ્રીદેવીએ પર્સ લીધું અને આઉટ હાઉસ લોક કરી તે બહાર નીકળી,પણ જે કોન્ફિડન્સથી તેણે બહાર પગ મૂક્યો હતો એ કોન્ફિડન્સ અચાનક એક વિચારે ખળભળી ગયો. એણે આમ તો સાવ સાદી સાડી પહેરી હતી પરંતુ વાળ ખુલ્લાં મુક્યાં હતાં, અને તન અને મનની સુંદરતાને કારણે એટલો નિખાર હતો કે જાણે ફેશન કરી હોય એવું લાગતું હતું. એને થયું કે લોકો શું વિચારશે!! અને તે વિચારતી જ હતી કે હું વાળ બાંધી લઉં, સાડી છેડો કવર કરી લઉં, ગોગલ્સ કાઢી નાખું! ત્યાં જ બંગલો ના ગેટ પર ઉભેલો સિક્યુરિટી ગાર્ડ એક મિનિટ મેમસાબ!! એમ કરીને પાસે આવ્યો, અને એણે શ્રીદેવીને એક કાળો બુરખો આપ્યો, અને કહ્યું મેમસાબ યે પહેન લો!: શ્રીદેવી ને પણ એટલું જ જોઈતું હતું.તેણે બુરખો પહેરી લીધો અને તે ગેટની બહાર નીકળી. એણે ઓટો રીક્ષા કરી,અને ઓટોમાં બેઠા પછી, એને વિચાર આવ્યો કે સિક્યુરિટી ગાર્ડ પાસે બુરખો ક્યાંથી આવ્યો! અને એણે મને જ શું કામ આપ્યો? આ બધા વિચારોમાં કોફી શોપ આવી ગઈ, અને તે નીચે ઉતરી પોતાના બુક કરેલા ટેબલ પાસે પહોંચી. સુધીર દત્ત ત્યાં આગળ પહેલેથી જ મોજુદ હતાં, અને તેણે એક સુંદર લાલ ગુલાબ આપી શ્રીદેવીનું અભિનંદન કર્યું! શ્રીદેવી પોતાની ચેર પર બેઠી, ગુલાબ માટે થેન્ક્યુ કહ્યું, અને ઠંડુ પાણી પીધું. પોતાની વાતની રજૂઆત કરવા જતી જ હતી ત્યાં જ, સુધીર એ કહ્યું કે સાર્થક સુરેખાનું બાળક નથી, તેમ જ સુરેખા એ માત્ર રૂપિયા માટે શ્રીપાલ સાથે લગ્ન કર્યા નથી. કોઈ અદાવત ને કારણે તે આ બંગલોમાં આવી છે. શ્રીદેવી સુધીર દત્ત સામે આશ્ચર્યથી જોઈ રહી? અને તેણે કહ્યું કે હજી તો મેં કંઈ કહ્યું જ નથી, ત્યાં મારા પ્રશ્નોના જવાબ!! એવું કઈ રીતે? સુધીર હસવા લાગ્યો અને તેને કહ્યું કે તારી નજરમાં ભલે હું કંઈ નથી. પરંતુ હું પેશા થી એટલે કે વ્યવસાયથી એક ડિટેક્ટિવ છું, અને મારે બધી જ બાજુએ નજર દોડાવી પડે, તો જ કંઈક હાથ લાગે! બદનામ ગલીમાં મારા બાતમીદારે મને એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે, અને એ સમાચાર મુજબ શ્રીકાંત દર મહિને એને ₹50,000 આપતો હતો, અને આ વાત સાચી પણ છે, મેં ઓફિસમાં તપાસ પણ કરાવી લીધી છે. પછી હજી વધુ ઊંડી ખબર મેળવવા માટે એ બદનામ ગલીની જ રહેવાસી એવી એક સલમા નામની યુવતીને ફોડી લીધી છે, જે મને બધી જ બાતમી આપે છે! શ્રીદેવીનું આશ્ચાર્ય હજી શમ્યુ ન્હોતું, ત્યાં એણે એક એવી સચ્ચાઈ એની સામે રાખી કે, જે સાંભળવી કદાચ શ્રીદેવી માટે વધુ આઘાતજનક હતું. શ્રીકાંત માટે તો એ હજી પણ કંઈક ન ઈચ્છવા છતાં વિચારી શકે કે જુવાન હતો, અને ક્યાંક પગ લપસી ગયો હોય, પરંતુ આ વાત તો એના ગળે ઉતરે એમ જ નહોતી! પણ સુધીર દત્ત એ બધી જ વાત એવિડન્સ સાથે રજૂ કરી હતી એટલે માનવું પણ પડે એવું હતું.

એવું તો સુધીર દત્ત એ શું કહ્યું, કે શ્રીદેવી આટલી બધી ચોકી ગઈ? અને સુરેખા રોજ સાંજે 5 થી 9 /10 સુધી ક્યાં જાય છે? સાર્થક એનો પુત્ર નથી તો કોનો પુત્ર છે? અને રૂપિયા 50,000 જેવી મોટી રકમ શ્રીકાંત શું કામ બદનામ ગલીમાં કોઈને મોકલતો હતો? અને સૌથી વધુ આશ્ચર્યજનક તો બંગલો ના સિક્યોરિટી ગાર્ડ એ કેમ બુરખો આપ્યો! અને એમ એની પાસે બુરખો રાખવા નું કારણ! ઉપરથી જે જે શંકા હતી,અને સુધીર દત્ત સાથે મોકળા મને વાત કરવા આવી હતી,એ બધી વાત તો એણે જ કહી દીધી!: આશ્ચર્ય પર આશ્ચર્ય! શ્રીદેવી ને તો થાય જ! પણ હવે તો હું ય મુંઝાઈ છું,કે ક્યાં અને કેવો વણાંક આવશે! પણ કંઈ નહીં! સુધીર દત્ત આજે પણ શ્રીદેવીને ખૂબ ચાહે છે, એટલે એ એકોએક વિશે તપાસ કરશે જ, અને એને જરુરથી ન્યાય મળશે! આ બધાં જ સવાલોના જવાબ જાણવા માટે હજી થોડું થોભો! વધુ આવતા અંકે!…

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

કપરાડા માં બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

0

આજ રોજ તારીખ 11/03/2024 ના દિવસે બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ નુ આયોજન એન્કર બાય પેનાસોનીક અને બીસલ્ડ બાયફ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ નો હેતુ મહિલા સશ્ક્તિકરણ અને આત્મનિર્ભર કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, એન્કર બાય પેનાસોનીક ના આસિસ્ટન્ટ મેનેજર કિરણભાઇ મોરે, થાણે, નીતીનભાઇ સોનાવાલા, આર્ટ્સ વિનયન કોલેજ, કપરાડાના પ્રીન્સીપાલ ડૉ. ડી. એન. દેવરી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા અને અન્ય મહેમાનો કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા.

બીસલ્ડ બાયફ કપરાડાના જીતીનભાઇ સાઠે, બાયફ ટીમના સ્ટાફ અને બાયફ દ્વારા ચાલતા પ્રોજેક્ટ કાર્યવિસ્તારમાંથી સ્વ સહાય જુથના 500 બહેનો હાજર રહી આ દિવસને સફળ બનાવ્યો હતો. વિશ્વ મહિલા દિવસ નીમીતે અલગ-અલગ જુથ દ્વારા વિવિધ સાંસકૃતિક કૃતિઓ ભજવવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુરૂપ મુખ્ય મહેમાનશ્રોઓ દ્વારા બહેનોને ઉત્સાહિત કરવા સંબોધનો કરવામાં આવ્યુ, અને બહેનો દ્વારા પણ સ્વેચ્છાએ પોતાના મંતવ્યો રજુ કરમાં આવ્યા.

મહિલા દિવસ નિમીતે જીતુભાઇ ચૌધરી દ્વારા બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવવાની અને યોજાતી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે બહેનોને મફત મેદાનનું આયોજન કરી આપવાની ખાતરી આપી. સખી સહીયારી ફેડરેશન કપરાડા દ્વારા નારી ભવન બનાવવા માટે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને લેખીતમાં રજુઆત કરવામાં આવી.

Ad…

વિધાતાની વિચિત્રતા!! (ભાગ- ૪)

0

ગયાં અંકમાં આપણે જોયું કે શ્રીદેવી સુધીર દત્ત ને મળવા જાય છે, અને ત્યાંથી વાતચીત કર્યા બાદ પાછી આવે છે, અને હવે થોડેઘણે અંશે નિશ્ચિત પણ થઈ જાય છે કે, એના પતિનું જો મર્ડર થયું હશે, તો એને ચોક્કસ ન્યાય મળશે. આમ તો થયું હશે કે નહીં? એવો હવે સવાલ ઉપસ્થિત થતો નથી, કારણ કે સુરેખાનાં જીવનની ઘણી બધી સચ્ચાઈ સુધીર દત્ત એ શ્રીદેવીને ફોનમાં જણાવી, અને શ્રીપાલ સાથેના તેના લગ્ન પણ એક સમજી વિચારેલી ચાલ હતી. સુરૈયા નામની તેની માતા બદનામ ગલીની રહેવાસી હતી, અને માતાએ કદાચ મજબૂરીમાં આ ધંધો પસંદ કર્યો હતો, પણ સુરેખા એ તો આ દુનિયાનાં પુરુષ સાથે વેર વાળવા આ ધંધો સ્વીકાર્યો હતો. કોઈનાં પાંચ, પંદર હજારમાં હવે તેનું મન ધરાતું નહોતું! એટલે એકસાથે મોટો હાથ મારી અને ક્યાંક કોઈ ઓળખે નહીં એવાં સ્થળે જતાં રહેવું એવો, એણે અને તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ એ પ્લાન કર્યો હતો. આ બધું સાંભળીને શ્રીદેવીને કમકમા આવી ગયાં, કે કોઈ એટલી હદ સુધી કેમ જઈ શકે? અને એ પણ માત્ર રૂપિયા માટે! પણ શું ખરેખર રૂપિયા માટે જ આ બધું થતું હતું, કે કંઈક બીજું પણ કારણ હતું ચાલો જાણીએ આજે….

Ad..

સુધીર દત્તના ફોનથી શ્રીદેવીનું મન વિચલિત થઈ ગયું હતું, અને તે વિચારતી હતી કે આ બધામાં નાનકડો સાર્થક બિચારો … એમાં એનો શું દોષ છે? એમ એની મમતા વારંવાર તેને કહેતી હતી! હજી તે કંઈક વધુ વિચારે એ પહેલાં જ બંગલોમાંથી એક સર્વન્ટ દોડતો આવ્યો, અને કહ્યું દીદી છોટી મેમસાબ બુલા રહી હૈ! નન્હે બાબા કો બુખાર આંયાં હૈ! અને શ્રીદેવી રીતસરની દોડીને બંગલોમાં પહોંચી ગઈ. હકીકતમાં સાર્થક ને શ્રીદેવીના એટલા બધા હેવા હતા કે શ્રીદેવી વગર તે દૂધ પણ પીતો નહોતો, અને જમતો પણ નહોતો! એટલે એને કારણે તેને તાવ આવી ગયો હતો. સતત તે શ્રીદેવી પાસે આવવાની જીદ કરતો હતો, અને સુરેખા તેને રોકતી હતી, કે ખીજાતી હતી, ક્યારેક તો મારી પણ લેતી હતી! પરંતુ આજે તો તાવ એટલો અસહ્ય થઈ ગયો કે, સુરેખાએ ન ઈચ્છવા છતાં શ્રીદેવીનો સહારો લેવો જ પડે એમ હતો! એના દિલમાં તો મમતા નહોતી, પણ રૂપિયા પૈસા માટે પણ સાર્થક નું જીવતાં રહેવું બહુ જરૂરી હતું, એ વાત તેને સિદ્ધાર્થે યાદ દેવડાવી, અને તેણે સર્વન્ટને શ્રીદેવીને બોલાવી લાવવા કહ્યું. પથારીમાં પડેલા સાર્થક ને જોઈને શ્રીદેવીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, તેણે સાર્થક ને ગળે લગાડી લીધો અને અડધો તાવ તો જાણે પોતે લઈ લીધો હોય, તેમ સાર્થકે આંખ ખોલી,અને બોલ્યો મોટી મમ્મી તમે ક્યાં હતાં! મને તમારી વગર જરાય ગમતું નથી! શ્રીદેવીએ સુરેખા સામે વેધક નજરે જોયું અને સાર્થક ને કહ્યું કે એ તો મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, ખૂબ ઉધરસ અને શરદી થઈ ગઈ છે, એટલે તને ચેપલાગી જાય નહીં એ માટે હું નીચે આઉટ હાઉસમાં રહેવા ચાલી ગઈ છું! એટલે તારી મમ્મી તને મારી પાસે નથી આવવા દેતી સમજ્યો! બાકી હું જ તારી વગર ન રહું! પણ હવે મને છોડીને નહીં જતાં! આટલું તો તે માંડ માંડ બોલી શક્યો, એટલી તેને નબળાઈ લાગતી હતી. શ્રીદેવીએ તાત્કાલિક ફ્રુટ જ્યુસ મંગાવ્યું, અને પોતાના હાથેથી સાર્થક ને પાયું. હવે તેને થોડું સારું લાગતું હતું, એણે સાર્થકમાં કપાળે પાણીના પોતા પણ મૂક્યાં, અને તળિયામાં પણ એરંડિયું ઘસ્યું, એટલે તેનો તાવ ઉતરવા લાગ્યો! એ આખી રાત શ્રીદેવી સાર્થકના ઓશીકા પાસે બેઠી રહી, કારણ કે સાર્થકે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. એ મનમાં ને મનમાં વિચારતી હતી કે, કેટલા નિર્દોષ હોય છે બાળકો, એને દુનિયાદારી કે રૂપિયા પૈસાથી કંઈ લેવાદેવા હોતી નથી! એને તો માત્ર પ્રેમ સાથે જ સંબંધ હોય છે. બાકી માતા કેવી જાનવર જેવી છે, અને છતાં એનું બાળક કેટલું લાગણીશીલ છે? જોકે હોય જ ને સાર્થક નો ઉછેર તો શ્રીદેવી પાસે જ થયો હતો! સુરેખા તો માત્ર કહેવા પૂરતી જેની મા હતી. એણે કદી એને પોતાનું દૂધ પણ આવતું નથી કરીને પાયું નથી! પહેલાં બકરીનું, અને પછી ગાયના દૂધ પર શ્રીદેવીએ સાર્થક ને ઉછેર્યો હતો, અને રાત રાત એ જ તેની માટે જાગી પણ હતી. દૂધ આવતું નથી પર શ્રીદેવીને વધુ એક વિચાર આવ્યો કે શું આ બાળક પણ નાટક માટે કોઈ નું લાવવામાં આવ્યું હશે! શું સુરેખા એ પ્રેગ્નન્સી નું પણ નાટક કર્યું હતું? કરી શકે એમ છે! બાપરે આને તો સ્ત્રી કહેવી પણ ગમે તેવી નથી મા તો ક્યાંથી કહેવાય!

AD…

સાર્થક સાવ સુઈ ગયો છે, એની ખાતરી કરવા સુરેખા રૂમમાં આવી, અને એને કહ્યું દીદી આજે સાર્થકની તબિયત સારી નહોતી, એટલે તમને બોલાવ્યાં! એનો મતલબ એ નથી કે તમારે અહીં રહેવાનું છે! એ તો નાનો છે, પણ તમે તો મોટા છો ને! તમને તો ખબર પડવી જ જોઈએ કે, હવે આ બંગલા પર તમારો અધિકાર નથી! શ્રીદેવીએ કહ્યું કે મને મારા અધિકારની પણ જાણ છે, અને મારી ફરજની પણ જાણ છે! અને સૌથી મોટો અધિકાર તો, એટલે કે સાર્થકની કસ્ટડીનો અધિકાર તો હજી આજે પણ મારી પાસે જ છે; એટલું સુરેખા તું પણ સમજી લેજે! શ્રીદેવી ને એને તેના મૂળ નામથી બોલાવવાનું મન થઈ આવ્યું કે, એને કહી દઉં કે તું કોણ છે? તેની મને ખબર પડી ગઈ છે, પણ તરત જ તેણે પોતાની પર કંટ્રોલ કરી લીધો. કારણ કે સુરેખા ઉર્ફે સ્વીટી જો આ વાત જાણી જાય કે, શ્રીદેવી ઘણી બધી સચ્ચાઈ જાણી ચૂકી છે, તો એ એની માટે વધારે ભયંકર પરિણામદાયી બની શકે,અને નાનકડા સાર્થકને એનું પરિણામ ભોગવવું પડે! શ્રીદેવી ધીરેકથી હાથ છોડાવી ને ઊભી થઈ અને જતાં જતાં બોલી, મને ખબર હતી કે તે સાર્થકને માત્ર જવાબ આપ્યો છે,પણ તને એનામાં રસ નથી. પરંતુ શું સાવ તારી મમતા મરી ગઈ છે? તને દેખાતું નથી,કે સાર્થક બોલી પણ શકતો નથી! ચાલો સમજ્યા કે મારી પાસે ન લાવી! પણ ડોક્ટર પાસે તો લઈ જઈ શકી હોત! સુરેખા તને ખરાબ લાગશે પણ, કહેવું તો પડશે! આ રુપિયા અને આ રુપ બંને કાયમી નથી! એટલું યાદ રાખી લેજે! અને તારે કારણે મારું બાળક સહન કરે એવું તો હું થવા નહીં દઉં! એટલે ઉલ્ટી ગીનતી શરૂ કરી દેજે! આમ કહી એ ઝડપથી બહાર નીકળી ગઈ.

AD..

આઉટ હાઉસમાં આવી શ્રીદેવી વિચારતી હતી પોતાનું પણ કોઈ અંગત સ્વજન છે! એ એક માત્ર વિચાર આત્મ વિશ્વાસ વધારવા કાફી છે. કિસ્મત થી એને તો બે કારણ છે, એક સાર્થક, અને બીજું સુધીર! એ ન ઈચ્છવા છતાં અતિતની ગલીમાં ઘુમવા લાગી, જ્યાં એક સમયે સુધીર અને શ્રીદેવી એ પોતાના સુંદર ભવિષ્યની ઈમારત ચણી હતી, કેટલા ખુશ હતાં! પણ બાપુજી એ શ્રીધરરાય ને વચન આપ્યું હતું, એટલે એણે શ્રીકાંત સાથે લગ્ન થયાં. જોકે શ્રીકાંત ખૂબ સારાં સ્વભાવનાં હતાં, અને પોતે પણ નક્કી કર્યું હતું કે પતિ સિવાય કોઈ વિષે વિચારશે નહીં! અને આજ સુધી એણે એ જાણતી પણ નહોતી કે સુધીર ક્યાં છે? પણ વિધીને શું મંજૂર હશે કે, આમ એકાએક એનો ભેટો થયો! સુધીર વિશે વિચારતી હતી તો પહેલાં તો એને થયું કે આ પાપ છે! હું શ્રીકાંતની વિધવા છું! મારાથી પર પુરુષ વિશે વિચારાય નહીં.

AD..

શ્રીદેવી પોતાના માનસમાં ચાલતા આ વિચારોનાં ધમાસાણ યુદ્ધ ને રોકવા ઈશ્વર સ્મરણ કરવા લાગી,એ નવકાર મહામંત્રનો જાપ કરવા લાગી, અને લગભગ એક કલાક થયો, ત્યારે માંડ માંડ તેનું મન શાંત થયું! એણે પોતાના મોબાઈલમાં સેવ કરેલી ફાઈલમાં જોયું કે શ્રીકાંતનાં બીઝનેસ માંથી કંઈક જાણવા મળે તો! શ્રીદેવી જેમ જેમ ફાઈલ તપાસતી ગઈ, એમ એને ધ્યાનમાં આવ્યું કે શ્રીકાંત દર મહિને કોઈને રૂપિયા આપે છે, કોણ હશે એ? શ્રીકાંત એ તો આવી વાત કોઈ વાર કરી નથી! હા ડોનેશન કે ચેરિટી માટે એ વારંવાર રૂપિયા આપતાં હતાં, અને એ તો બંને જણાં સમાજસેવા કરતી સંસ્થાઓમાં સાથે જ દેવા જતાં હતાં. કોઈ વાર લાખ તો કોઈ વાર બે લાખ એમ શક્ય એટલી સમાજની સેવા તેઓ આ રીતે કરતા હતાં! તો પછી આ કોણ હશે જેને શ્રીકાંત એ દર મહિને 50,000 રૂપિયા આપવા પડતાં હતાં શું શ્રીકાંતને પણ કોઈ અફેર હશે કે પછી કોઈ બીજું કારણ હશે? ના ના શ્રીકાંત એવા બિલકુલ નહોતા, એના ચરિત્ર પર એક પણ ડાઘ હતો નહીં, તો રૂપિયા 50,000 જેવી મોટી રકમ કોઈ કોઈને આપે શું કામ? અને એ પણ લગભગ દસ વર્ષથી નિયમિત રૂપે પેલી અથવા બીજી તારીખે મોકલાયા હતાં એણે એમાંથી ડીટેલ મેળવવા કોશિશ કરી કે આ રૂપિયા આખરે કોને જાય છે ? પરંતુ બેંકમાંથી ખાલી ટ્રાન્ઝેક્શન થયાનું જ પ્રુફ મળતું હતું! એણે એકવાર ઓફિસ જઈ અને ત્યાંના સ્ટાફ સાથે વાત કરવા વિચાર્યું. કારણ કે કોઈને કોઈ તો આ વિશે જાણતું જ હશે, એમાં પણ ખાસ કરીને શ્રીકાંતનો ખાસ માણસ કહેવાય એવો શ્રીનિવાસ ચેટરજી જે માત્ર એમ્પ્લોઇડ નહોતો! એ તેનો ખાસ મિત્ર, હમદર્દ, અને હમરાજ પણ હતો. શ્રીકાંત ઘણી વાર કહેતા શ્રીદેવી કદાચ ને હું ન હોઉં! ત્યારે તું સૌથી વધુ ભરોસો શ્રીનિવાસ પર કરી શકે છે. શ્રીનિવાસ મારા જીવનના બધા જ રહસ્યને જાણે છે, અને તને સાચી સલાહ આપશે! આ ઉપરાંત બિઝનેસ સંભાળવામાં પણ મદદ કરશે! એવે સમયે તો શ્રીદેવી મીઠો છણકો કરીને કહેતી કે! એવું અશુભ શુ કામ બોલો છો? મને એવી કોઈ દિવસ જરૂર પડવાની જ નથી. તમારી પહેલા તો આ દુનિયામાંથી હું જવાની છું! પરંતુ વિધાતા ની વિચિત્રતાના કારણે શ્રીદેવી પહેલા જ શ્રીકાંત ચાલ્યા ગયાં, અને કોણ જાણે કેટલાય રહસ્યો એમની સાથે ચાલ્યા ગયાં!! આ મહિને એ વ્યક્તિને 50,000 નહીં મળે તો એનું જીવન ગાડું કેમ ચાલશે, એવો વિચાર પણ શ્રીદેવીને આવ્યો. શું કરું સુધીર દત્તને જ વાત કરું! કેપછી એકવાર શ્રીનિવાસને હું રૂબરૂ મળી આવું!!કારણ કે શ્રીકાંત સાથે જોડાયેલી આ ઘટના સુધીરને કહેવા શ્રીકાંતના કેરેક્ટર પર સવાલ પણ ઉઠે એટલે પોતે જ મનોમન એને મળવા જવાનું નક્કી કર્યું!

AD..

કોણ હશે એ વ્યક્તિ કે જેને શ્રીકાંત દર મહિને 50,000 રૂપિયા જેવી માતબર રકમ આપતો હતો શું એ સ્ત્રી હશે કે પુરુષ? શ્રીદેવીને બાળક ન થતા શ્રીકાંત કોઈ અન્ય સાથે સંબંધ બાંધ્યો હશે શું? એ સ્ત્રીને કોઈ બાળક હશે કે પછી અતીતના હજી કોઈ વધુ ઊંડા રહસ્ય વિશે શ્રીદેવીને જાણવા મળશે! શ્રીકાંતનો મર્ડર કેસ તો સુલજવાનું નામ જ લેતો નથી! અને સુરેખા સિદ્ધાર્થ ઉપરાંત હવે આ બીજું કોણ છે, જેને શ્રીકાંત સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબંધ છે, અને એને કારણે એ તેને દર મહિને 50000 રૂપિયા આપે છે! બાપ રે મારી તો બુદ્ધિ જ ઢેર મારી ગઈ છે! આ તો એક પછી એક પત્તા ઉંધા જ પડતા જાય છે, અને બિચારો ડિટેક્ટિવ સુધીર પણ હવે ક્યાં ચાલવું એ વિશે વિચારતો હશે, ત્યાં તો આ બીજી બાજુ પણ રહસ્યથી ભરેલી દેખાય છે. એટલે કે સુરેખા અને સિદ્ધાર્થની સચ્ચાઈ તો સામે આવી ગઈ, પરંતુ શું શ્રીકાંત પણ દૂધે ધોયેલો ન ન્હોતો?; ના!ના! એવું તો સાવ શ્રીકાંતનું કેરેક્ટર ના જ હોય! એમ શ્રીદેવી પોતાના મનને આશ્વાસન આપે છે. તો શું કોઈ તેને બ્લેકમેઇલ કરતું હશે! આમ આવાં કેટલાય તર્ક એની ચોમેર ઘુમતા હતાં,અને તૈયાર થઈને શ્રીકાંતની ઓફિસે જવાં નીકળે છે!

Ad..

ઓફિસમાં પહોંચીને જુએ છે તો શ્રીકાંતની ચેર પર શ્રીનિવાસ બેઠાં હતાં! અને શ્રીદેવી ને જોતાં જ એને પરસેવો છૂટી વળે છે. શ્રીદેવી વિચારે છે કે શું શ્રીકાંત નું મૃત્યુ એ શ્રીનિવાસ ચેટરજીની કોઈ ચાલ તો નહીં હોયને! શું સુરેખા એ એને રુપિયાની લાલચ આપી પોતાનાં વિશ્વાસમાં લઈ લીધો હશે? ન જાણે આવાં બધાં કેટલાય સવાલોના જવાબ તો હવે ખુદ શ્રીદેવી પણ આપી શકતી નથી. શું શ્રીનિવાસ પણ પહેલેથી જ વિશ્વાસઘાતી હશે? કે પછી સુરેખા એ તેને ફોડ્યો હશે! અને આ બધામાં શું શ્રીપાલ પણ સામેલ છે?, કે પછી એની આંખમાં પણ ધૂળ જોકવામાં આવી છે! અને પેલા પચાસ હજાર રુપિયા દર મહિને કોને મોકલવામાં આવતા! શ્રીદેવી નાં ન ઈચ્છવા છતાં શ્રીકાંત માટે એનું મન વિચારથી બદનામ ગલી તરફ વળ્યુ,અને એને થયું કે શું સુરૈયા સાથે કોઈને સંબંધ હશે? અને સૌથી વધુ અગત્યનું તો શું શ્રીદેવી સાર્થકનું ભવિષ્ય સર્વાઇવ કરી શકશે! આવાં તો કેટલાંય સવાલોના જવાબ જાણવાં માટે હજી થોડું થોભો!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો અનુભવ

0

  • કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો.
  • આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો
  • ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા.જોકે, થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.આથી દિપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે, ત્યારે આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Ad..