ગયાં અંકમાં આપણે જોયું કે શ્રીદેવી સુધીર દત્ત ને મળવા જાય છે, અને ત્યાંથી વાતચીત કર્યા બાદ પાછી આવે છે, અને હવે થોડેઘણે અંશે નિશ્ચિત પણ થઈ જાય છે કે, એના પતિનું જો મર્ડર થયું હશે, તો એને ચોક્કસ ન્યાય મળશે. આમ તો થયું હશે કે નહીં? એવો હવે સવાલ ઉપસ્થિત થતો નથી, કારણ કે સુરેખાનાં જીવનની ઘણી બધી સચ્ચાઈ સુધીર દત્ત એ શ્રીદેવીને ફોનમાં જણાવી, અને શ્રીપાલ સાથેના તેના લગ્ન પણ એક સમજી વિચારેલી ચાલ હતી. સુરૈયા નામની તેની માતા બદનામ ગલીની રહેવાસી હતી, અને માતાએ કદાચ મજબૂરીમાં આ ધંધો પસંદ કર્યો હતો, પણ સુરેખા એ તો આ દુનિયાનાં પુરુષ સાથે વેર વાળવા આ ધંધો સ્વીકાર્યો હતો. કોઈનાં પાંચ, પંદર હજારમાં હવે તેનું મન ધરાતું નહોતું! એટલે એકસાથે મોટો હાથ મારી અને ક્યાંક કોઈ ઓળખે નહીં એવાં સ્થળે જતાં રહેવું એવો, એણે અને તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ એ પ્લાન કર્યો હતો. આ બધું સાંભળીને શ્રીદેવીને કમકમા આવી ગયાં, કે કોઈ એટલી હદ સુધી કેમ જઈ શકે? અને એ પણ માત્ર રૂપિયા માટે! પણ શું ખરેખર રૂપિયા માટે જ આ બધું થતું હતું, કે કંઈક બીજું પણ કારણ હતું ચાલો જાણીએ આજે….
Ad..
સુધીર દત્તના ફોનથી શ્રીદેવીનું મન વિચલિત થઈ ગયું હતું, અને તે વિચારતી હતી કે આ બધામાં નાનકડો સાર્થક બિચારો … એમાં એનો શું દોષ છે? એમ એની મમતા વારંવાર તેને કહેતી હતી! હજી તે કંઈક વધુ વિચારે એ પહેલાં જ બંગલોમાંથી એક સર્વન્ટ દોડતો આવ્યો, અને કહ્યું દીદી છોટી મેમસાબ બુલા રહી હૈ! નન્હે બાબા કો બુખાર આંયાં હૈ! અને શ્રીદેવી રીતસરની દોડીને બંગલોમાં પહોંચી ગઈ. હકીકતમાં સાર્થક ને શ્રીદેવીના એટલા બધા હેવા હતા કે શ્રીદેવી વગર તે દૂધ પણ પીતો નહોતો, અને જમતો પણ નહોતો! એટલે એને કારણે તેને તાવ આવી ગયો હતો. સતત તે શ્રીદેવી પાસે આવવાની જીદ કરતો હતો, અને સુરેખા તેને રોકતી હતી, કે ખીજાતી હતી, ક્યારેક તો મારી પણ લેતી હતી! પરંતુ આજે તો તાવ એટલો અસહ્ય થઈ ગયો કે, સુરેખાએ ન ઈચ્છવા છતાં શ્રીદેવીનો સહારો લેવો જ પડે એમ હતો! એના દિલમાં તો મમતા નહોતી, પણ રૂપિયા પૈસા માટે પણ સાર્થક નું જીવતાં રહેવું બહુ જરૂરી હતું, એ વાત તેને સિદ્ધાર્થે યાદ દેવડાવી, અને તેણે સર્વન્ટને શ્રીદેવીને બોલાવી લાવવા કહ્યું. પથારીમાં પડેલા સાર્થક ને જોઈને શ્રીદેવીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, તેણે સાર્થક ને ગળે લગાડી લીધો અને અડધો તાવ તો જાણે પોતે લઈ લીધો હોય, તેમ સાર્થકે આંખ ખોલી,અને બોલ્યો મોટી મમ્મી તમે ક્યાં હતાં! મને તમારી વગર જરાય ગમતું નથી! શ્રીદેવીએ સુરેખા સામે વેધક નજરે જોયું અને સાર્થક ને કહ્યું કે એ તો મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, ખૂબ ઉધરસ અને શરદી થઈ ગઈ છે, એટલે તને ચેપલાગી જાય નહીં એ માટે હું નીચે આઉટ હાઉસમાં રહેવા ચાલી ગઈ છું! એટલે તારી મમ્મી તને મારી પાસે નથી આવવા દેતી સમજ્યો! બાકી હું જ તારી વગર ન રહું! પણ હવે મને છોડીને નહીં જતાં! આટલું તો તે માંડ માંડ બોલી શક્યો, એટલી તેને નબળાઈ લાગતી હતી. શ્રીદેવીએ તાત્કાલિક ફ્રુટ જ્યુસ મંગાવ્યું, અને પોતાના હાથેથી સાર્થક ને પાયું. હવે તેને થોડું સારું લાગતું હતું, એણે સાર્થકમાં કપાળે પાણીના પોતા પણ મૂક્યાં, અને તળિયામાં પણ એરંડિયું ઘસ્યું, એટલે તેનો તાવ ઉતરવા લાગ્યો! એ આખી રાત શ્રીદેવી સાર્થકના ઓશીકા પાસે બેઠી રહી, કારણ કે સાર્થકે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. એ મનમાં ને મનમાં વિચારતી હતી કે, કેટલા નિર્દોષ હોય છે બાળકો, એને દુનિયાદારી કે રૂપિયા પૈસાથી કંઈ લેવાદેવા હોતી નથી! એને તો માત્ર પ્રેમ સાથે જ સંબંધ હોય છે. બાકી માતા કેવી જાનવર જેવી છે, અને છતાં એનું બાળક કેટલું લાગણીશીલ છે? જોકે હોય જ ને સાર્થક નો ઉછેર તો શ્રીદેવી પાસે જ થયો હતો! સુરેખા તો માત્ર કહેવા પૂરતી જેની મા હતી. એણે કદી એને પોતાનું દૂધ પણ આવતું નથી કરીને પાયું નથી! પહેલાં બકરીનું, અને પછી ગાયના દૂધ પર શ્રીદેવીએ સાર્થક ને ઉછેર્યો હતો, અને રાત રાત એ જ તેની માટે જાગી પણ હતી. દૂધ આવતું નથી પર શ્રીદેવીને વધુ એક વિચાર આવ્યો કે શું આ બાળક પણ નાટક માટે કોઈ નું લાવવામાં આવ્યું હશે! શું સુરેખા એ પ્રેગ્નન્સી નું પણ નાટક કર્યું હતું? કરી શકે એમ છે! બાપરે આને તો સ્ત્રી કહેવી પણ ગમે તેવી નથી મા તો ક્યાંથી કહેવાય!
AD…
સાર્થક સાવ સુઈ ગયો છે, એની ખાતરી કરવા સુરેખા રૂમમાં આવી, અને એને કહ્યું દીદી આજે સાર્થકની તબિયત સારી નહોતી, એટલે તમને બોલાવ્યાં! એનો મતલબ એ નથી કે તમારે અહીં રહેવાનું છે! એ તો નાનો છે, પણ તમે તો મોટા છો ને! તમને તો ખબર પડવી જ જોઈએ કે, હવે આ બંગલા પર તમારો અધિકાર નથી! શ્રીદેવીએ કહ્યું કે મને મારા અધિકારની પણ જાણ છે, અને મારી ફરજની પણ જાણ છે! અને સૌથી મોટો અધિકાર તો, એટલે કે સાર્થકની કસ્ટડીનો અધિકાર તો હજી આજે પણ મારી પાસે જ છે; એટલું સુરેખા તું પણ સમજી લેજે! શ્રીદેવી ને એને તેના મૂળ નામથી બોલાવવાનું મન થઈ આવ્યું કે, એને કહી દઉં કે તું કોણ છે? તેની મને ખબર પડી ગઈ છે, પણ તરત જ તેણે પોતાની પર કંટ્રોલ કરી લીધો. કારણ કે સુરેખા ઉર્ફે સ્વીટી જો આ વાત જાણી જાય કે, શ્રીદેવી ઘણી બધી સચ્ચાઈ જાણી ચૂકી છે, તો એ એની માટે વધારે ભયંકર પરિણામદાયી બની શકે,અને નાનકડા સાર્થકને એનું પરિણામ ભોગવવું પડે! શ્રીદેવી ધીરેકથી હાથ છોડાવી ને ઊભી થઈ અને જતાં જતાં બોલી, મને ખબર હતી કે તે સાર્થકને માત્ર જવાબ આપ્યો છે,પણ તને એનામાં રસ નથી. પરંતુ શું સાવ તારી મમતા મરી ગઈ છે? તને દેખાતું નથી,કે સાર્થક બોલી પણ શકતો નથી! ચાલો સમજ્યા કે મારી પાસે ન લાવી! પણ ડોક્ટર પાસે તો લઈ જઈ શકી હોત! સુરેખા તને ખરાબ લાગશે પણ, કહેવું તો પડશે! આ રુપિયા અને આ રુપ બંને કાયમી નથી! એટલું યાદ રાખી લેજે! અને તારે કારણે મારું બાળક સહન કરે એવું તો હું થવા નહીં દઉં! એટલે ઉલ્ટી ગીનતી શરૂ કરી દેજે! આમ કહી એ ઝડપથી બહાર નીકળી ગઈ.
AD..
આઉટ હાઉસમાં આવી શ્રીદેવી વિચારતી હતી પોતાનું પણ કોઈ અંગત સ્વજન છે! એ એક માત્ર વિચાર આત્મ વિશ્વાસ વધારવા કાફી છે. કિસ્મત થી એને તો બે કારણ છે, એક સાર્થક, અને બીજું સુધીર! એ ન ઈચ્છવા છતાં અતિતની ગલીમાં ઘુમવા લાગી, જ્યાં એક સમયે સુધીર અને શ્રીદેવી એ પોતાના સુંદર ભવિષ્યની ઈમારત ચણી હતી, કેટલા ખુશ હતાં! પણ બાપુજી એ શ્રીધરરાય ને વચન આપ્યું હતું, એટલે એણે શ્રીકાંત સાથે લગ્ન થયાં. જોકે શ્રીકાંત ખૂબ સારાં સ્વભાવનાં હતાં, અને પોતે પણ નક્કી કર્યું હતું કે પતિ સિવાય કોઈ વિષે વિચારશે નહીં! અને આજ સુધી એણે એ જાણતી પણ નહોતી કે સુધીર ક્યાં છે? પણ વિધીને શું મંજૂર હશે કે, આમ એકાએક એનો ભેટો થયો! સુધીર વિશે વિચારતી હતી તો પહેલાં તો એને થયું કે આ પાપ છે! હું શ્રીકાંતની વિધવા છું! મારાથી પર પુરુષ વિશે વિચારાય નહીં.
AD..
શ્રીદેવી પોતાના માનસમાં ચાલતા આ વિચારોનાં ધમાસાણ યુદ્ધ ને રોકવા ઈશ્વર સ્મરણ કરવા લાગી,એ નવકાર મહામંત્રનો જાપ કરવા લાગી, અને લગભગ એક કલાક થયો, ત્યારે માંડ માંડ તેનું મન શાંત થયું! એણે પોતાના મોબાઈલમાં સેવ કરેલી ફાઈલમાં જોયું કે શ્રીકાંતનાં બીઝનેસ માંથી કંઈક જાણવા મળે તો! શ્રીદેવી જેમ જેમ ફાઈલ તપાસતી ગઈ, એમ એને ધ્યાનમાં આવ્યું કે શ્રીકાંત દર મહિને કોઈને રૂપિયા આપે છે, કોણ હશે એ? શ્રીકાંત એ તો આવી વાત કોઈ વાર કરી નથી! હા ડોનેશન કે ચેરિટી માટે એ વારંવાર રૂપિયા આપતાં હતાં, અને એ તો બંને જણાં સમાજસેવા કરતી સંસ્થાઓમાં સાથે જ દેવા જતાં હતાં. કોઈ વાર લાખ તો કોઈ વાર બે લાખ એમ શક્ય એટલી સમાજની સેવા તેઓ આ રીતે કરતા હતાં! તો પછી આ કોણ હશે જેને શ્રીકાંત એ દર મહિને 50,000 રૂપિયા આપવા પડતાં હતાં શું શ્રીકાંતને પણ કોઈ અફેર હશે કે પછી કોઈ બીજું કારણ હશે? ના ના શ્રીકાંત એવા બિલકુલ નહોતા, એના ચરિત્ર પર એક પણ ડાઘ હતો નહીં, તો રૂપિયા 50,000 જેવી મોટી રકમ કોઈ કોઈને આપે શું કામ? અને એ પણ લગભગ દસ વર્ષથી નિયમિત રૂપે પેલી અથવા બીજી તારીખે મોકલાયા હતાં એણે એમાંથી ડીટેલ મેળવવા કોશિશ કરી કે આ રૂપિયા આખરે કોને જાય છે ? પરંતુ બેંકમાંથી ખાલી ટ્રાન્ઝેક્શન થયાનું જ પ્રુફ મળતું હતું! એણે એકવાર ઓફિસ જઈ અને ત્યાંના સ્ટાફ સાથે વાત કરવા વિચાર્યું. કારણ કે કોઈને કોઈ તો આ વિશે જાણતું જ હશે, એમાં પણ ખાસ કરીને શ્રીકાંતનો ખાસ માણસ કહેવાય એવો શ્રીનિવાસ ચેટરજી જે માત્ર એમ્પ્લોઇડ નહોતો! એ તેનો ખાસ મિત્ર, હમદર્દ, અને હમરાજ પણ હતો. શ્રીકાંત ઘણી વાર કહેતા શ્રીદેવી કદાચ ને હું ન હોઉં! ત્યારે તું સૌથી વધુ ભરોસો શ્રીનિવાસ પર કરી શકે છે. શ્રીનિવાસ મારા જીવનના બધા જ રહસ્યને જાણે છે, અને તને સાચી સલાહ આપશે! આ ઉપરાંત બિઝનેસ સંભાળવામાં પણ મદદ કરશે! એવે સમયે તો શ્રીદેવી મીઠો છણકો કરીને કહેતી કે! એવું અશુભ શુ કામ બોલો છો? મને એવી કોઈ દિવસ જરૂર પડવાની જ નથી. તમારી પહેલા તો આ દુનિયામાંથી હું જવાની છું! પરંતુ વિધાતા ની વિચિત્રતાના કારણે શ્રીદેવી પહેલા જ શ્રીકાંત ચાલ્યા ગયાં, અને કોણ જાણે કેટલાય રહસ્યો એમની સાથે ચાલ્યા ગયાં!! આ મહિને એ વ્યક્તિને 50,000 નહીં મળે તો એનું જીવન ગાડું કેમ ચાલશે, એવો વિચાર પણ શ્રીદેવીને આવ્યો. શું કરું સુધીર દત્તને જ વાત કરું! કેપછી એકવાર શ્રીનિવાસને હું રૂબરૂ મળી આવું!!કારણ કે શ્રીકાંત સાથે જોડાયેલી આ ઘટના સુધીરને કહેવા શ્રીકાંતના કેરેક્ટર પર સવાલ પણ ઉઠે એટલે પોતે જ મનોમન એને મળવા જવાનું નક્કી કર્યું!
AD..
કોણ હશે એ વ્યક્તિ કે જેને શ્રીકાંત દર મહિને 50,000 રૂપિયા જેવી માતબર રકમ આપતો હતો શું એ સ્ત્રી હશે કે પુરુષ? શ્રીદેવીને બાળક ન થતા શ્રીકાંત કોઈ અન્ય સાથે સંબંધ બાંધ્યો હશે શું? એ સ્ત્રીને કોઈ બાળક હશે કે પછી અતીતના હજી કોઈ વધુ ઊંડા રહસ્ય વિશે શ્રીદેવીને જાણવા મળશે! શ્રીકાંતનો મર્ડર કેસ તો સુલજવાનું નામ જ લેતો નથી! અને સુરેખા સિદ્ધાર્થ ઉપરાંત હવે આ બીજું કોણ છે, જેને શ્રીકાંત સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબંધ છે, અને એને કારણે એ તેને દર મહિને 50000 રૂપિયા આપે છે! બાપ રે મારી તો બુદ્ધિ જ ઢેર મારી ગઈ છે! આ તો એક પછી એક પત્તા ઉંધા જ પડતા જાય છે, અને બિચારો ડિટેક્ટિવ સુધીર પણ હવે ક્યાં ચાલવું એ વિશે વિચારતો હશે, ત્યાં તો આ બીજી બાજુ પણ રહસ્યથી ભરેલી દેખાય છે. એટલે કે સુરેખા અને સિદ્ધાર્થની સચ્ચાઈ તો સામે આવી ગઈ, પરંતુ શું શ્રીકાંત પણ દૂધે ધોયેલો ન ન્હોતો?; ના!ના! એવું તો સાવ શ્રીકાંતનું કેરેક્ટર ના જ હોય! એમ શ્રીદેવી પોતાના મનને આશ્વાસન આપે છે. તો શું કોઈ તેને બ્લેકમેઇલ કરતું હશે! આમ આવાં કેટલાય તર્ક એની ચોમેર ઘુમતા હતાં,અને તૈયાર થઈને શ્રીકાંતની ઓફિસે જવાં નીકળે છે!
Ad..
ઓફિસમાં પહોંચીને જુએ છે તો શ્રીકાંતની ચેર પર શ્રીનિવાસ બેઠાં હતાં! અને શ્રીદેવી ને જોતાં જ એને પરસેવો છૂટી વળે છે. શ્રીદેવી વિચારે છે કે શું શ્રીકાંત નું મૃત્યુ એ શ્રીનિવાસ ચેટરજીની કોઈ ચાલ તો નહીં હોયને! શું સુરેખા એ એને રુપિયાની લાલચ આપી પોતાનાં વિશ્વાસમાં લઈ લીધો હશે? ન જાણે આવાં બધાં કેટલાય સવાલોના જવાબ તો હવે ખુદ શ્રીદેવી પણ આપી શકતી નથી. શું શ્રીનિવાસ પણ પહેલેથી જ વિશ્વાસઘાતી હશે? કે પછી સુરેખા એ તેને ફોડ્યો હશે! અને આ બધામાં શું શ્રીપાલ પણ સામેલ છે?, કે પછી એની આંખમાં પણ ધૂળ જોકવામાં આવી છે! અને પેલા પચાસ હજાર રુપિયા દર મહિને કોને મોકલવામાં આવતા! શ્રીદેવી નાં ન ઈચ્છવા છતાં શ્રીકાંત માટે એનું મન વિચારથી બદનામ ગલી તરફ વળ્યુ,અને એને થયું કે શું સુરૈયા સાથે કોઈને સંબંધ હશે? અને સૌથી વધુ અગત્યનું તો શું શ્રીદેવી સાર્થકનું ભવિષ્ય સર્વાઇવ કરી શકશે! આવાં તો કેટલાંય સવાલોના જવાબ જાણવાં માટે હજી થોડું થોભો!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)