ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શિક્ષકોનું સન્નમાન
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહ પ્રાથમિક શાળા નાનકપાડા માંડામાં યોજવામાં આવ્યો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહ, રોટરી કલબ વાપી પ્રમુખ કૃષિત રાજેશભાઈ શાહ, રોટરી ક્લબ સરીગામ અને ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેર આશિતભાઈ આરેકર, રોટરી કલબ વાપી લીટરસી ચેર લક્ષ્મણભાઇ પુરોહિત, વાપી રાજેશભાઈ શાહ,ઉદ્યોગપતિ દમણ અનિલભાઈ માલવીયા, અને દમણ હરીશભાઈ પટેલ કરવામાં આવ્યું હતું.(વલસાડ જિલ્લામાં એકમાત્ર શિક્ષક આદિવાસી ક્ષેત્રમાં કામ કરી નામના મેળવી)ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપ્યુ હતું. પોલિયો હાલમાં સંપૂર્ણ પણે નાબૂદ થયો છે. ઉમરગામના તાલુકાના શિક્ષકોની કામગીરી બિરદાવી હતી.સ્વાગત પ્રવચનમાં નિલેશભાઈ પટેલે જણાવ્યું કે નાનકપાડાની પ્રાથમિક શાળામાં 2000 માં 42 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આજે 480 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ દાતાના સહયોગથી કરવામાં આવી છે. દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહમાં પ્રાથમિક શાળા નાનકપાડા માંડાની સ્કૂલ નિલેશભાઈ પટેલ પ્રા.શાળા માલખેત નીતિનભાઈ પટેલપ્રા. શાળા ચીખલવાડા વિજયકુમાર જાનીપ્રા. શાળા કરમોડા હિરેનભાઈ પટેલપ્રા. શાળા નગામ મમતાબેન પટેલ નું ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાથના, સ્વાગત ગીત, હનુમાનજી ચાલીસા વિશેષ આદિવાસી નૃત્ય પ્રકૃતિ પૂજન બાળકો દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી .સી આર સી કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ અને મોટી સંખ્યામાં અગ્રણી ઉપસ્થિત રહયા હતા.
આભર વિધિ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ કાર્યક્રમ સંચાલન મુક્તિબેન પટેલે કર્યુ હતું કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.Ad.