Home Blog Page 8

કમલમ ખાતેથી વિકસિત ભારત મોદીની ગેરંટી વીડિયો વાનને પ્રસ્થાન કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ.

0

ગાંધીનગર, સંજીવ રાજપૂત:

લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જનતાના સુચનો માટે મોબાઇલ નંબર9090902024 પણ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ લોન્ચ કર્યો. આ નંબર પર મિસ કોલ મારી 30 સેકન્ડમાં પોતાના સુચનો પણ નોંધાવી શકે છે તેમજ ઇમેલ એડ્રેસ sankalppatra2024@bjpgujarat.org પર સુચનો પણ મોકલી શકાશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ મીડિયાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમા સમાવેશ કરી શકાય.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા આજથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્ર ની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે.

સી આર પાટીલએ વધુમાં જણાવ્યું કે, લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો,કોલેજો સહિત સ્થળોએ પેટી મુકાશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન દરેક લોકસભામાં બે વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમા આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે. ગુજરાતની જાહેરજનતાને વિનતીં છે કે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું.

Ad.

બાબરખડકનો ટેમ્પો ચાલક કાંતિ રોહિત બેદરકારીના કારણે બાઇક સવાર બે મિત્રો મોતને ભેટ્યા હતાં.

0

ટેમ્પો ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર બે મિત્રો મોતને ભેટ્યા હતાં. કાંતિ રોહિત બાબરખડક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો જેને મંગળવારે ઝડપી લીધો હતો.

નાનાપોઢાથી શક્કરિયા નો જથ્થો ભરી ટેમ્પો ચાલક બે મહિલા અને અન્ય એક વ્યક્તિને બેસાડી સુરત સરદાર માર્કેટ લઈ જઈ રહ્યો હતો ત્યારે ચીવલ રોડ પર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો રોડના નીચે ઉતરી
ગયો હતો અને એ જ સ્પીડે ફરી ટેમ્પો રોડ પર આવ્યો હતો અને ટેમ્પો લપેટા લઈ પલટી માર્યો હતો.આજ સમયે એક્ટિવા અને સ્પ્લેન્ડર બાઇક સામેથી આવતા
ટેમ્પાના અડફેટે આવી ચઢ્યા હતા.અને અને એકટીવા સવાર બે યુવાનો કાળનો કોળીયો બની ગયા હતા.

પારડીના ચીવલ ગામે નાનાપોઢા રોડ પર પીક અપ ટેમ્પો, મોપેડ અને બાઇક આમ ત્રણ વાહનો વચ્ચે સોમવાર રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ સવાર નાના વાઘછીપા છીત્રા પારડીના બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે.પારડીના નાના વાઘછીપા છીત્રાપારડીના ધગડ ફળિયામાં રહેતા પ્રદીપ સુરેશભાઈ પટેલ ઉવ 36 અને હિતેશ શંકરભાઈ પટેલ
ઉંવ 38 મોપેડ નં GJ-15-DH-8680પર સોમવારે રાત્રે 9 વાગ્યે નાનાપોઢા જઈ રહ્યા હતા.

Ad.

અરનાલાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામમાં શિવ ભક્તો દ્વારા ચાર પ્રહારની વિષેશ પાર્થિવ શિવલિંગની પૂજા

0

  • શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે.
  • 4 થી 8 એપ્રિલ 2024 સુધી દરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણ માં વલસાડ નવસારી ના શિવ ભકતો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં મહા શિવરાત્રી ના દિવસ શિવ ભક્તો દ્વારા ચાર પ્રહારની વિષેશ પૂજા કરવામાં આવી રહી છે.

સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે.શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવેછે.મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે.તા. 4 થી 8 એપ્રિલ 2024 સુધી દરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી દરવર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે. એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે. મહાશિવરાત્રી, સાથે જ પૂજા અર્ચના કરે છે.ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથની વિધિ શ્રધ્ધા પૂર્વક પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે, એની સાથે જ મહાશિવરાત્રીના દિવસે સવારથી લઇ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા કરે છે. લાલ રંગનું તિલક માનવામાં આવે છે.

પંચાંગ અનુસાર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત 8 માર્ચ 2024ની રાત્રે 9 વાગ્યાને 57 મિનિટ પર શરુ થશે અને 9 માર્ચ સાંજે 2024ની રાતે સાંજે 6 વાગ્યાને 17 મિનિટ પર થશે.

મહાશિવરાત્રી ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે શિવજી માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા. એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ 64 અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે. કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે, પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે.

સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલાના ભક્તો રમેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ઝવેરભાઇ પટેલ બહાદુરભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, નંદલાલ પટેલ , ગુલાબભાઈ એન.પટેલ ગુલાબભાઈ બી.પટેલ શામજીભાઈ પટેલ,અનામીભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ સફળતા માટે મહેનત રહ્યા છે.

Ad.

પારડીના ચીવલ ગામે પિકપ અને બાઈક વચ્ચે અકસ્માત, 2નાં મોત, 1 ગંભીર 2 ઈજાગ્રસ્ત

0

પારડીના ચીવલ ગામે પિકપ અને બાઈક વચ્ચે અકસ્માત, 2નાં મોત, 1 ગંભીર 2 ઈજાગ્રસ્ત

વલસાડ જિલ્લામાં માં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પારડીના ચીવલ માંથી સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર બે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત અનુસાર નેશનલ હાઇવે 848
નાનાપોઢા નજીક ના ચીવલ ગામ પાસે પિકપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં પારડી તાલુકાના છીત્રાપારડી
નાનાવાઘછીપા ના 2 વ્યક્તિ નું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત થતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ને હોસ્પિટલમાં ખસેડવામાં માટે ખૂબજ જહેમત ઉઠાવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ અને હોસ્પિટલ પહોંચી ગયા હતા.

Ad.

વલસાડની ભોળી જનતા સાથે કૌભાંડ કરનારી અનેક કંપનીઓ સામે જનહિત માટે સોસીયલ મીડિયામાં વીડિયો

0

દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે આદિવાસીઓનો સમાવેશ કરી કંપની પોતાના એજન્ટ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી લોકોની પાસેથી કરોડો ઉઘરાણી કરી ગયા.

વલસાડ જિલ્લામાં જેમાં માતૃભૂમિ ગૃપ, સહારા ગૃપ,સમૃદ્ધ જીવન, એસએસીબી, ટાયકોન, મોરગૃપ, ટ્વીનકલ, દિવ્યજ્યોત ગૃપ અને ક્લકામ ગૃપ ઓફ કંપનીઝ દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ કંપનીઓના સંચાલકો વિરૂદ્ધ વલસાડ જિલ્લામાં ગુના પણ દાખલ થયા છે. આ કંપનીમાં ફસાયેલા નાણાં હજુ સુધી અરજદારોને પરત થઇ નથી.


બીજી તરફ અનેક કંપનીઓ ફરીથી સક્રિય થઇ ગઇ છે. તેમને અટકાવવી જરૂરી બની છે. અગાઉ પણ સીએમડી જેવી કંપનીઓ સામે પગલાં ભરવા જિલ્લા પોલીસને અનેક અરજીઓ થઇ હતી.

ધરમપુરમાં ખારવેલ ગામે ચાલતી ઇગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્રા. લિ. નામની કંપની ચેઇન સ્કીમ થકી 33782 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતુ. આ કંપનીએ 5.74 કરોડની વસૂલાત કરી મોપેડ અને મોબાઇલ આપવાની વાત કરી હતી. જેમાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.

આવી જ રીતે કપરાડામાં ઉચા વ્યાજની લાલચ આપી રોકાણ કરવાની લાલચ આપનારી ડ્રીમ 900 અને ફિનો પેમેન્ટ બેંક નામના વોટ્સેપ ગૃપમાં ચાલતી સ્કીમના સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો

વલસાડની ભોળી જનતા સાથે કૌભાંડ કરનારી અનેક કંપનીઓ હોવાનું બહાર આવ્યું હતુ.

લાલચ આપી રોકાણ કરાવતા હોય છે.બોગસ ફાયનાન્સ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલતી વિવિધ ખાનગી ફાયનાન્સ કંપનીઓ ખાસ કરીને શહેરી નહી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કરે છે.જેમાં મોટે ભાગે મધ્યમ વર્ગીય આદિવાસીઓનો સમાવેશ થાય છે. કંપની પોતાના એજન્ટ પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવે છે. આ એજન્ટ તેમના જ વિસ્તારના પોતાના ભાઇઓને તેની સ્કીમની જાણકારી આપી રોકાણ કરાવે છે, જેમાં રોકાણકારો સાથે એજન્ટ પણ ફસાઇ જતા હોય છે.એજન્ટ પોતાના મોટું કમિશન લઈને લોકોની સાથે છેતરપીંડી કરતા હોય છે એવા એજન્ટ ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એ જરૂરી છે.ત્યારે આવી કંપની સામે સરકાર રોક લગાવે એ જરૂરી બન્યું છે.

નોંધ : વીડિયો સોસીયલ મીડિયા ના છે. સમભાવ સંદેશ દ્વારા જનહિત માટે છે. એમાં કોઈ પણ પ્રકારની જવાબદારી નથી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્નમાન કરવામાં આવ્યુ

0

ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શિક્ષકોનું સન્નમાન

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહ પ્રાથમિક શાળા નાનકપાડા માંડામાં યોજવામાં આવ્યો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહ, રોટરી કલબ વાપી પ્રમુખ કૃષિત રાજેશભાઈ શાહ, રોટરી ક્લબ સરીગામ અને ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેર આશિતભાઈ આરેકર, રોટરી કલબ વાપી લીટરસી ચેર લક્ષ્મણભાઇ પુરોહિત, વાપી રાજેશભાઈ શાહ,ઉદ્યોગપતિ દમણ અનિલભાઈ માલવીયા, અને દમણ હરીશભાઈ પટેલ કરવામાં આવ્યું હતું.(વલસાડ જિલ્લામાં એકમાત્ર શિક્ષક આદિવાસી ક્ષેત્રમાં કામ કરી નામના મેળવી)ડિસ્ટ્રિક્ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપ્યુ હતું. પોલિયો હાલમાં સંપૂર્ણ પણે નાબૂદ થયો છે. ઉમરગામના તાલુકાના શિક્ષકોની કામગીરી બિરદાવી હતી.સ્વાગત પ્રવચનમાં નિલેશભાઈ પટેલે જણાવ્યું કે નાનકપાડાની પ્રાથમિક શાળામાં 2000 માં 42 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આજે 480 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ દાતાના સહયોગથી કરવામાં આવી છે. દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહમાં પ્રાથમિક શાળા નાનકપાડા માંડાની સ્કૂલ નિલેશભાઈ પટેલ પ્રા.શાળા માલખેત નીતિનભાઈ પટેલપ્રા. શાળા ચીખલવાડા વિજયકુમાર જાનીપ્રા. શાળા કરમોડા હિરેનભાઈ પટેલપ્રા. શાળા નગામ મમતાબેન પટેલ નું ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાથના, સ્વાગત ગીત, હનુમાનજી ચાલીસા વિશેષ આદિવાસી નૃત્ય પ્રકૃતિ પૂજન બાળકો દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી .સી આર સી કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ અને મોટી સંખ્યામાં અગ્રણી ઉપસ્થિત રહયા હતા.
આભર વિધિ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ કાર્યક્રમ સંચાલન મુક્તિબેન પટેલે કર્યુ હતું કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.Ad.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી

0

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ
માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ
ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. જેથી રાજ્યની
તમામ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો,
વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા ધોરણ 10ના
તમામ ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવી.
આવી રીતે કરો ડાઉનલોડ
માર્ચ-2024ની જાહેર પરીક્ષા તા.11/03/2024થી
શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ)
તા.29/04/2024થી બોર્ડની વેબસાઇટ
ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org
પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી.
દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલટિકિટ ડાઉનલોડ કર્યા પછી શું કરવું?
પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના માર્ચ
2024 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/
માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે
નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી,
પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી
તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા
(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે)
કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. તેની સાથે
પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 10ની સૂચના (નં.
1 થી 13) પ્રવેશપત્ર (હોલટિકિટ)ના પાછળના ભાગે
પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે
ફરજિયાત આપવાની રહેશે.

કોઈ વિસંગતતા જણાય તો અહીયા કરો સંપર્ક
પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં
આવેલા વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા
સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની
તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં
જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા
જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની
માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.

ધ્યાનમાં લેવા જેવું
માર્ચ 2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલા છે. જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર (Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર (Assessment Order)ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે. નિમણૂકપત્રનીનકલ (શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.

જાણો બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન…
ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
(જીએસઈબી)ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે, તે
માટેનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15
લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગયા
વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ
પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી
રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી
રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી
રિપીટર છે.

ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર
યોજાશે ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે.

જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી
ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15
સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981
કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506
કેન્દ્ર પર અને 1 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર
યોજાશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે
બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.

અમદાવાદમાં 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધોરણ 10માં 1,04,666,
ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર અને રિપીટર મળીને
15,908 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 58,584
વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિવિધ વિદ્યાર્થીઓની વિસ્તૃત
આંકડાકીય વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં
આવી છે.

Ad..

ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન નવીનીકરણ ખૂલ્લું મૂકાયું

0

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧. પ૦ કરોડના ખર્ચે નવીનીકરણ ગાંધીનગર ખાતે સેક્ટર ૧૨ માં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧,૪૯,૩૧,૯૪૭ ના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે.

આ ભવન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો માટે ખુલ્લું મુક્યું હતું.
બાબાસાહેબ આંબેડકર ભવન જિલ્લાની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બને અને સમાજના નબળા વર્ગના માણસો માટે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. આંબેડકર ભવન બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. હાલમાં કુલ- ૨૫ જિલ્‍લાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર ભવનોના બાંધકામ કરવામાં આવ્યા છે.

આ ભવનનું કુલ-૩૦૦૦ ચો.મી જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૮૪ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વાતાનુકુલીન ઓડીટોરીયમ હોલ, ૨૫ વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો સમિતિખંડ, લાયબ્રેરી, સમિતિખંડ મુલાકાતી ખંડ મ્યુઝિયમ રૂમ, ગ્રીનરૂમ, તેમજ કાર્યાલય તેમજ આગળના ભાગમાં બગીચો બનાવવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર હિતેશભાઇ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ તેમજ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Ad..

વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા.

0

અચાનકજ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતા પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટ્રેસ છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.

મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટની સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર બનવાની તક સ્વીકારી લીધી. છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના સુરતના રિપોર્ટર તરીકે કાર્યરત હતા.

સોમવારે રાત્રે અચાનક જ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. જેની સાથે મીનીટો પહેલા વાત થઈ એ પત્રકાર અચાનક જ છોડી જતા મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ ગઈ.આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતું પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટેસ છે તેની ચર્ચાઓ શરૂથઈ છે.

મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટનીનાં પરિવારમાં તેમના એક ભાઈ છે. થોડા સમય પહેલા જ તેમના પિતા નૈષધભાઈનું અવસાન થયું હતું. આનંદ પટણીના સંતાનો વરિષ્ઠ બે અને લક્ષ પૈકી મોટો દીકરો હાલ અમદાવાદમાં કોલેજ કરી રહ્યો છે. જ્યારે નાનો દીકરો હાલ પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે.

પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે. નહીં કે હું સૌથી પહેલો એવી રીતે ઘટનાઓનું કવરેજ કરીને નામના મેળવી છે.

વાપીને કર્મભૂમિ બનાવ્યા બાદ આનંદભાઈએ નેશનલ ચેનલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ જોઈએ એવી મજા નહીં આવતા તેમણે પત્રકારત્વને બીજો વિકલ્પ રાખી સાથે કેટલાક ધંધા શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેમાં પણ જાજી ફાવટ નહીં આવતા તેમણે સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર
બનવાની તક સ્વીકારી લીધી.છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના રિપોર્ટર તરીકે
સુરતના કાર્યરત હતા.આનંદ પટનીના અચાનક અવસાનથી આઘાત અનુભવનારા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

ત્યાં પત્રકારોની દશા અને દિશા અંગેની ચર્ચાઓ શરૂ
થઈ હતી. જે સ્થિતિમાં આનંદભાઈ એમના સ્વજનોને
અચાનક છોડી ગયા છે.તેમની સાથે આવી ઘટના ઘટી
જાય તો સ્વજનોનું શું થાય એ ચિંતામાં ઘણા પત્રકારો સરી પડ્યાં હતાં. જીવનના આગળના વર્ષોમાં કેવી રીતે
પ્લાનિંગ કરવું તે બાબતની ચર્ચા કરતાં થઈ ગયા હતા.
ચેનલોની ગળાકાપ સ્પર્ધામાં સતત આવતું માનસિક તાણ કેવી રીતે હળવું કરવું તે અંગેના રસ્તાઓ શોધતા થઈ ગયા હતા.આનંદ પટણીના આઘાતજનક સમાચારથી દક્ષિણ ગુજરાતના પત્રકારો ચિંતામાં સરી પડ્યા છે. અને ચિંતા કરવી જ જોઈએ કારણકે આજની જે પરિસ્થિતિ છે, એમાં પત્રકારો સતત દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ન્યુઝ ચૂકી જવાનાં ડરને કારણે સતત દબાણમાં રહેવું પડે છે. ચેનલના પત્રકારોએ પણ ન્યુઝ કવરેજ કરવા જવું પડ્યું હોય છે. આ બધું કર્યા પછી જ્યારે કોઈ મહત્વના ચૂકી જવાય એટલે કે બીજી ચેનલોમાં ન્યુઝ ટેલિકાસ્ટ થઈ જાય અને પોતાની ચેનલમાં એ રહી જાય ત્યારે ઉપરીઓનો ઠપકો તો સાંભળવા જ પડે છે. અને સતત ઉપરી દ્વારા બેસ્ટ કરવા માટે દબાણ વધતું જ જાય છે. ઘણી વખત પત્રકારોને પર્ફોર્મન્સના આધારે
ચેનલોમાંથી છુટા કરવામાં આવશે એવો ડર પણ સતત
સતાવતો રહે છે. ૨૪ કલાક પણ ઓછા પડતા હોય તેમ સતત દોડતા રહેવાને કારણે શરીરની કાળજી લેવાતી નથી.આવી સ્થિતિમાં રિપોર્ટરએ માનસિક તાણ ઓછો કરવા માટે કોઈકને કોઈક રસ્તો કાઢવા જ પડશે અન્યથા ક્યારે શું થઈ શકે એ કશું જ નિશ્ચિત નથી.

હાલના સમયે સૌ ને અગ્રેસર રહેવું છે અને રહેવું પણ જોઈએ. પરંતુ ઘટનાઓમાં એક્સક્લુઝિવ અને હું સૌથી પહેલૉની પડો જણમાં પડ્યા વિના, સૌની સાથે સંબંધો ગાઢ કરી ઘટનાઓ મેળવી શકાય છે.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માલિકો પણ મહત્તમ જાહેરાતો ઉપર આધાર રાખે છે કારણકે સંસ્થાનો આખું તંત્ર જ સંસ્થાની જાહેરાતની આવક ઉપર ચાલતું હોય છે. અને જાહેરાતો ત્યારે જ મળે જ્યારે જે તે ચેનલ કે અખબારોની લોકપ્રિયતા સૌથી ટોચ પર હોય. પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે.અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે.

આપણે સ્થાનિક પત્રકારો સાથે મિત્રતાના સંબંધો રાખી આપણો હળવો કરી શકીએ છીએ.સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નાહકની દોડધામ ઓછી કરી શકીએ છીએ. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે. તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે.

પેટાચૂંટણી નું કવરેજ કરવા માટે કપરાડામાં કુદરરતી સૌંદર્ય ની ભરમાર વચ્ચે ફોટોગ્રાફી કરવા માટે અદભુત ફોટોગ્રાફી કરાઈ…..હતી…

(ફાઇલ ફોટાઓ)

લોકસભા 2024: વલસાડ સીટના ઉમેદવારો ભાજપની કવાયતમાં ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાયા જેમાં યોગેશ પટેલ (યોગી ) ડો.હેમંત પટેલ નવા ચહેરા લોકચર્ચા..

0

વલસાડમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપની
કવાયત, ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાયા હતા. જે નવ દાવેદારો પૈકી ડો.હેમંત પટેલ, યોગેશ પટેલ (યોગી) નો સમાવેશ થયો.

આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમદેવારો નક્કી કરવા માટે ભાજપે ગૂપચૂપ અને સાદગીભરી કવાયત શરૂ કરી દીધી છે. હાલમાં ઉમેદવાર નક્કી કરવા અંદરખાને કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં
ચહલપહલ જોવ મળી રહી છે.

વલસાડ જિલ્લામાં અચાનક પ્રદેશ નિરીક્ષકો
વલસાડ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો
કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં વર્તમાન સાંસદ સહિત 9 જેટલા દાવેદારો સામે આવ્યા હતા.આ તબક્કે ડાવેદરોના ટેકેદારોના કોઈ મોટો જથ્થો દેખાયો ન હતો.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ત્રણ પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રદેશ નિરીક્ષકો સરદવા, લલિત ઇપશાન સોની આવ્યા હતા.જેમની સમક્ષ વર્તમાન સાંસદ ડો.કે.સી.પટેલ, કપરાડાના ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઇ ચૌધરી,ધરમપુર અને તાલુકાના સામાજિક કાર્યકર અને સેવાભાવી તબીબ ડો.હેમંત પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, લોકસભાના ભાજપના સંયોજક ગણેશ બિરારી, ઘરમપુરના જિ.ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુરના તબીબ વલસાડના ડો.ડી.સી.પટેલ, તા.પં. પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ અને વલસાડ તાલુકાના બીનવાડાના રક્તદાન પ્રવૃત્તિના કાર્યકર ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન,9 હજાર ડોનર ઉભા કર્યા, વલસાડના રક્તવીરને ગ્લોબલ હ્યુમેનિટી ચેન્જમેકર એવોર્ડ મેળવનાર યોગેશ પટેલે દાવેદારી નોંધાવી હતી.આ તબક્કે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

દરેક દાવેદારોને સાંભળી પ્રદેશ નિરીક્ષકોએ હાથ ધરેલી ખુબ જ સાદગીભરી સેન્સ પ્રક્રિયામાં કોઇ ટેકેદારો કે દેખાડો જેવો કશું માહોલ જોવા મળ્યો ન હતો.દાવેદારોને કેબિનમાં નિરીક્ષકો સમક્ષ વન ટુ વન
એન્ટ્રી આપવામાં આવી હતી.જ્યાં તેમને રૂબરૂ સાંભળી સેન્સ લેવામાં આવ્યા હતા.મર્યાદિત પ્રમાણમાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.