.પ્રિય વાચકમિત્રો ,
સુપ્રભાત.. કેમ છો !▪️અત્યારે લગભગ દરેક ઘરમાં સમસ્યા સર્જાયેલી છે કે તરુણાવસ્થામાં પ્રવેશતા બાળકોના સ્વભાવ અને મૂડ બદલાઈ જાય છે. માતા પિતા બાળકોને કંઈપણ કહે છે તો તે તેમને ગમતું નથી. આ એવી અવસ્થા છે જ્યાં બાળકોને સંગ તેવો રંગ લાગી શકે છે. કોઈવાર તેમના જીવનમાં બનતી નાનકડી ઘટના તેમને ડિપ્રેશનમાં ધકેલી દે છે.આ અવસ્થામાં બાળક દિશા વિહીન બની જાય છે. બાળક તો ભટકી જાય છે, પરંતુ તેને સાચી દિશામાં લાવવાની ફરજ માતા પિતાની છે. પરંતુ માતા પિતા તેને સમજાવવાને બદલે ઠપકો આપે છે, કે અયોગ્ય વર્તન કરે છે ત્યારે તરુણ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. આપણે આવી અનેક ઘટનાઓ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. બીજી તરફ એ બાળકો માતા પિતાને સમજવા પણ તૈયાર નથી હોતા. જો મમ્મી કે પપ્પા તેમને કંઈપણ કહે તો સામે સણસણતો જવાબ મળી જાય છે. અત્યારે ટીનેજર્સ વ્યસન તરફ ધકેલાતાં જાય છે. વ્યસન કરવું એ હાનિકારક છે, એ જાણ હોવા છતાં તેમાંથી નીકળી નથી શકતાં. એમાં ડ્રગ્સનું વ્યસન તો એવું હોય છે કે છોડવું ખૂબ જ કઠીન છે…આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે..રંગોત્સવ પર્વની રંગબેરંગી શુભેચ્છાઓ…🔴🟠🟡🟢🔵🟣Ad.