Home Blog

સમસ્યા: પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર 3 દિવસ થી ફરી વળ્યાં છે

0

વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવને જોખમ માં મૂકી કોઝવે પર થી પસાર મજબૂર થયા છે.

ભારે વરસાદ ના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર 3 દિવસ થી ફરી વળ્યાં છે. આથી ગામનો રોડ માર્ગે સંપર્ક કપાયો છે.ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપ એ વહી રહી છે. વરસાદ ના કારણે જન જીવન પ્રભાવિત થયું છે.

વલસાડ, ધરમપુર ,પારડી, કપરાડા અને પારડી ચાર તાલુકાના લોકો હજારો કામદરો અવરજવર નો મહત્વ રોડ વાપી દમણ સેલવાસ હોવા છતાં પણ કેમ વહીવટી તંત્ર ધ્યાન આપતું નથી. તાલુકાના પાટીઅને અરનાલા ગામને જોડતા કોઝવે ઉપર નદીના પાણી ફરી વળ્યાં છે. વર્ષોથી પુલ બનાવવા માટે માંગ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં એકમાત્ર અરનાલા પાટી કોલક નદી નો પુલ છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3 દિવસ પડેલા ભારે વરસાદને લઈને કપરાડા તાલુકાની કોલક નદી અરનાલા પાટી કોઝવે પર પાણી છે.વાહન ચાલકો માટે એકમાત્ર વિકલ્પ નાનાપોઢા અને આંબચ પુલ પરથી જવું પડે.

અરનાલા અને પાટી ગામ કોલક નદી પર સાંકડો પુલ છે. જેના પરથી બાઇક અને નાના વાહનો અવર જવર થઈ શકે પરંતુ બે વાહનો સામ સામે આવી તકલીફ પડે અને મોટા ખાડા પડી ગયા છે. ખાડામાં પાણી છે. એ રીપેર કરવા માટે નહિવત ખર્ચો છે. થોડા ખાડા પુરવા પડે અને જે મોટા ખાડા છે પાણી નીકળે એ ખોદકામ કરવું પડે. બે ગ્રામપંચાયત ની જવાબદારી હોવી જોઈએ અગર હાલમાં મુખ્ય માર્ગ બંધ છે. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકલ્પ માં કામ કરવું જોઈએ.

કોલક નદી કોઝવે ના ફાઇલ ફોટો

(કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવને જોખમ માં મૂકી કોઝવે પર થી પસાર મજબૂર થયા છે. ભારે વરસાદ ના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં હતાં. આથી ગામનો રોડ માર્ગે સંપર્ક કપાયો હતો.)


કપરાડા તાલુકાની નામાંકિત પ્રાથમિક શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળામાં રજા આપવા આવતા શિક્ષકશ્રીઓ હેડ ક્વાટર પર ગુલ્લી મારી.

0

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે શાળામાં રજા આપવા આવતા શિક્ષકશ્રીઓ હેડ ક્વાટર પર ગુલ્લી મારી.નિયમો મુજબ વહીવટી તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી જરુરી છે ?

કલેકટરશ્રી,વલસાડ અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સુચનાથી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ (સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર) તાલુકા તમામ જિલ્લો વલસાડ અતિભારે વરસાદને કારણે શાળામાં રજા આપવામાં આવી.

જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું હતુ કે તમામ શાળાના આચાર્યશ્રી/મુખ્ય શિક્ષકશ્રી શિક્ષકશ્રી હેડ ક્વાટર કક્ષાએ હાજર રહેવું.

કપરાડા તાલુકાની નામાંકિત પ્રાથમિક શાળાઓમાં સુખાલા અને બાલચોંડી જિલ્લા વહીવટી તંત્રને ખૂલ્લી ચેલેન્જ કરતો તાલુકા શિક્ષક સંઘનો પ્રમુખ બાલચોંડી કેન્દ્રમાં કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ અને બાલચોંડી કેન્દ્ર શાળાનો વિવાદાસ્પદ એચટાટ આચાર્ય હેઠ ક્વાર્ટર પર ગેરહાજરી જોવા મળી હતી. એચટાટ આચાર્યની તાત્કાલિક અસરથી એચટાટ શિક્ષકોના નિયમો મુજબ વહીવટી તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી જરુરી છે.

માન.કલેકટરશ્રી,વલસાડ અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજર રહેવાની તાકીદ કરી છે.આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકરી રાખવી નહી.આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવા છતા સુચનાને પણ અવગણના કરવામાં આવી. શાળામાં એક પણ શિક્ષક હાજરના હોવાનું જોવા મળ્યુ હતું.

અતિભારે વરસાદને કારણે અવર-જવરની મુશ્કેલી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ કારણે તારીખ ૨૩/૦૭/ ૨૦૨૪ના (મંગળવાર) રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.તમામ વિદ્યાર્થી અને વાલીઓને તાત્કાલિક સૂચના આપવી.વધુમાં વિશેષમાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો Microsoft team ના માધ્યમથી અથવા અન્ય ઓનલાઇન શિક્ષણની જરૂરી વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ ચાલુ રાખવું.

વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રથી આવતા ૯ જેટલા પીકઅપ ચાલકોને ઝબ્બે કર્યા

0

  • નાનાપોંઢાથી પારડી રોડ પર બેફામ સ્પીડે વાહન ચલાવનારાઓ પર પારડી પોલીસની લાલ આંખ
  • કપરાડા અને નાનાપોઢા પોલીસ દ્વારા પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ એ જરૂરી છે.
  • પારડી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ઓવર સ્પીડે મહારાષ્ટ્રથી આવતા ૯ જેટલા શાકભાજી પીકઅપ ચાલકોને ઝબ્બે કર્યા

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ પણ નેશનલ હાઈવે 848 અને 56 પર જીવલેણ અકસ્માત થાય છે એ લોકોના સ્થાનિક કક્ષાએ અભિપ્રાય લે એ જરૂરી છે.

હાલમાં થોડા દિવસો પહેલા પારડી તાલુકાના નેવરી ગામ ખાતે નાનાપોંઢાથી પારડી આવતા રોડ પર દારૂનો નશો કરી બેફામ સ્પીડે બોલેરો પીકઅપ વાહન હંકારી પારડી તરફ આવી રહેલ રીક્ષાને ટક્કર મારતા ત્રણ જેટલા પેસેન્જરના સ્થળ પર જ મૃત્યુ થતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં થોડા દિવસો બાદ ઈજા પામેલ રીક્ષા ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા તપાસ દરમિયાન મહારાષ્ટ્ર થી શાકભાજી કે અન્ય ચીજ વસ્તુઓ ભરી પીકઅપ ચાલકો બેફામ સ્પીડે વાહન હકારતા હોવાનું જાણવા માળિયું હતુ.

પારડી પોલીસે ગઈકાલે મધ્યરાત્રી થી સવાર સુધી (૧.૦૦ વાગ્યા થી ૫.૦૦) વાગ્યા દરમિયાન પારડીથી નાનાપોંઢા રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાત્રે બેફામ સ્પીડે વાહન હકારતા નવ (૯) જેટલા પીકઅપ વાહન ચાલકોને પારડી પોલીસે ઝબ્બે કરી તેમના પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ઓ મહારાષ્ટ્ર માં ધાર્મિક સ્થળ નાસિક શિરડી તરબકેશ્વર અન્ય ધામમાં જતાં હોય છે.વલસાડ જિલ્લા માંથી પરિવારમાં મૃત્યુ થયું તો સારણક્રિયા માટે જતા હોય છે. એવા પરિવાર ને હેરાન કરવામાં આવે છે. ગુજરાતનું કોઈપણ વાહન પોલીસને નજરે પડતા દક્ષિણા આપવીજ પડે છે. કોઈપણ બહાનું શોધવામાં આવે છે.

ગુજરાત ના વાહન ચાલકોને મહારાષ્ટ્ર પોલીસ હેરાન કરવામાં આવે એ સમગ્ર ગુજરાતમાં ખબર છે. તો પછી આપણી પોલીસ દ્વારા પણ તમામ વાહનોની કાયદેસરની તપાસ કરે એ લોકોની માંગ છે.

વલસાડ જિલ્લા કલેકટર અનુસૂયા જહાંના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક મળી

0

  • રજૂ થયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા સુચના: વલસાડ જિલ્લા કલેકટર અનુસૂયા જહાંના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક મળી.
  • બેઠકમાં જિલ્લા કલેકટરે તમામ વિભાગોને તેમના હસ્તકના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
  • વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઇ પટેલે વાપી- શામળાજી હાઇવે ઉપર પડેલા ખાડાઓ, કપરાડા તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 848 ઉપર આવેલા વળાંકોને લીધે થઇ રહેલા અકસ્માતો બાબતે રજૂઆત

વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર અનુસૂયા જહાંના અધ્યક્ષસ્થાને મળી હતી.બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી.

બેઠકમાં વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઇ પટેલે વાપી-શામળાજી હાઇવે ઉપર પડેલા ખાડાઓ,કપરાડા તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 848 ઉપર આવેલા વળાંકોને લીધે થઇ રહેલા અકસ્માતો બાબતે રજૂઆત કરતાં, નેશનલ હાઇવે ઓથોરીટી વલસાડ દ્વારાહાલમાં ચોમાસાની ઋતુ હોઇ, મેટલ પેચ/પેવર બ્લોક નાખવામાં આવશે. ચોમાસા બાદ ડામર પેવર પટ્ટા કરવામાં આવશે. રસ્તાને પહોળો અને મજબૂત કરવાના કામની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે એમ જણાવ્યું હતું. સાંસદે પાણી પુરવઠા વિભાગને નળ સે જલ યોજના દ્વારા થયેલ કામગીરી અને અસ્ટોલ યોજના હેઠળ ચાલતા કામોની હાલની સ્થિતિ બાબતે રજૂઆત કરતાં કાર્યપાલક ઇજનેર અસ્ટોલ પ્રોજકેટ ધરમપુરે માહિતી આપતા જણાવ્યું કે,ધરમપુર તાલુકાના 50 ગામો (212 ફળિયા) તથા કપરાડા તાલુકાના 124 ગામો (816 ફળિયા) મળી કુલ 174(1028 ફળિયા) ગામો માટે દમણગંગા નદી ઉપર આવેલ મધુબન ડેમ આધારિત અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ- 1ના કામો તા. 31 મે 2022ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા છે.સાંસદે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી અંદાજીત 18 હજાર જેટલી પ્રમોલગેશનની અરજીઓ પડતર હોવા બાબતે રજૂઆત કરતા જિલ્લા નિરિક્ષક, જમીન દફતર દ્વારા જણાવાયું હતું કે, હાલની સ્થિતએ કુલ 23,498 અરજીઓ મળેલ છે. જેમાંથી 16,370ની માપણી કરી નિકાલ કરવામાં આવ્યો છે.12,900 અરજીઓની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે પૈકી 10,686 અરજીઓના હુકમો થઇ ગયા છે.હાલમાંજ જિલ્લામાં 15 સર્વેયરો ફાળવવામાં આવ્યા છે. સાંસદે જિલ્લામાં ચાલી રહેલા ઓવરબ્રીજના બાંધકામ બાબતે માહિતી મેળવી હતી.

ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં DGVCL દ્વારા સૂર્યોદય યોજનાના માધ્યમથી ખેડૂતોને દિવસ દરમિયાન ખેતી માટે સવારે વીજપુરવઠો આપવાની શરૂઆત કરાતાં DGVCL નેઆ બાબતે અભિનંદન આપ્યા હતા.ધારાસભ્યએ વલસાડ દૂધ ઉત્પાદક સંઘ આલીપોર છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના સભાસદો છે તેની જગ્યાએ વલસાડ જિલ્લા માટે એક અલગ જ દૂધ ઉત્પાદક સંઘ બનાવવા રજુઆત સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર વલસાડે દૂધ સંઘની નોંધણીની સત્તા રાજય રજીસ્ટ્રારને હોઇ આ બાબતે રાજય રજીસ્ટ્રારને દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યે ઉમરગામ તાલુકામાં આંગણવાડીઓના અધૂરા બાંધકામ બાબતે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી ઉમરગામે સંબધિત એજન્સીને આંગણવાડીના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા નોટીસ આપી, તાજેતરમાં એજન્સીને બ્લેક લીસ્ટ પણ કરવામાં આવી છે.જેથી રીટેન્ડરીંગ કરી નવી એજન્સીને કામ આપી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પોલ્ટ્રી ફાર્મથી પારનેરા પારડી જતી નહેરના દબાણ દૂર કરવા બાબતે રજૂઆત કરતા કાર્યપાલક ઇજનેર, અંબિકા વિભાગ, નવસારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુગર ફેકટરી વલસાડ દ્વારા ચણવઇ નહેર પર જે દબાણ
કરવામાં આવ્યું હતું તેને નોટીસ આપવામાં આવતાં તેમણે આ બાબતે નહેરનું પાણી વહન થઇ શકે તે રીતે નહેર બનાવવા માટે અનુમતિ આપી છે. પરંતુ હાલ ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ અથવા વરસાદ બંધ થયેથી નહેરની કામગીરી ચાલુ કરવામાં આવશે. વલસાડ મોગરાવાડી તળાવ બ્યુટીફિકેશનની કામગીરી બાબતે રજૂઆત કરતા ચીફ ઓફિસર વલસાડ દ્વારા આ કામ અમૃત 2.0 યોજના હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રૂા. 6.90 લાખનું મંજૂર કરવામાં આવ્યું છે. જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે બોર્ડર વીલેજ, આદિમજૂથ, હળપતિ વિકાસયોજનામાં આવાસોમાં ઘણાં લોકોને મળવાપાત્ર હપ્તા ન મળ્યા હોવાની ફરિયાદો બાબતે રજૂઆત કરતા પ્રાયોજના વહીવટદાર દ્વારા બોર્ડર વિલેજના 10 લાભાર્થીઓ માંથી 6 લાભાર્થી અને આદિમ જૂથના 48 લાભાર્થીઓ માંથી 16 લાભાર્થીને બાકી રહેલ આવાસના હપ્તાનું 10 દિવસમાં ચૂકવણું કરી દેવામાં આવશે એમ જણાવ્યું હતું. ધારાસભ્યે પણ વાપી- શામળાજી હાઇવે પર આંબાતલાટ થી પાર નદી સુધીનો હાઇવે પર ખાડાઓપડી જતાં તાત્કાલિક ધોરણે રીપેર કરવા રજુઆત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરે તમામ વિભાગોને તેમના હસ્તકના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત,પ્રોબેશનરી IAS પ્રસન્નજીત કૌર દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષક ઋષિરાજ પુવાર, નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાત અધિકારીઓ સર્વ શ્રીમત આસ્થા સોલંકી, અમીત ચૌધરી અને અકિંત ગોહીલ, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

Ad..

ABRSM દ્વારા ભગવદ્ ગીતા ના અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોપવામાં આવ્યુ.

0

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા બાબતનુ વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું જેમાં ABRSM વલસાડના અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર, મહામંત્રી શ્રી રામુભાઈ પટેલ, સંગઠનમંત્રી કિરણભાઈ પટેલ, વલસાડ તાલુકા અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, મહામંત્રી કલ્પેશભાઈ પટેલ, કપરાડા તાલુકા અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી ,વાપી તાલુકા અધ્યક્ષ હેતલભાઈ પટેલ, પારડી તાલુકા અધ્યક્ષ કેશવભાઈ રોહિત સાથે તમામ હોદ્દેદાર શ્રીઓ ની હાજરીમાં આશરે 100 જેટલા શિક્ષકોની સાથે કલેકટર શ્રી ને આવેદનપત્ર સોંપવામાં આવ્યું

Ad.

ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારે છે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ના જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા નો તબક્કા વાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચકોટીના જીવન મૂલ્યો શીખી શકશે. સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ નિર્ણયને હંમેશા યાદ રાખશે.
શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વલસાડ કડક શબ્દોમાં વખોડે છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી.

Ad..

શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન -ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતોને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે.
મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષો એ શ્રીમદ ભાગવત ગીતામાંથી સદજીવન માટે પ્રેરણા લીધી છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય, નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતિક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે.

Ad.

ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતના શ્લોકો નો આધાર લઈ સત્ય સ્થાપના તથા સત્યાગ્રહ નો આગ્રહ રાખી અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે.

અમુક વ્યક્તિઓ દ્વારા ભગવદ્ ગીતા નો વિરોધ કરે છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વખોડે છે તથા સરકારશ્રીને લાગણી અને માગણી કરે છે કે જે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે તે સદાય નિરંતર ચાલુ રાખવો એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા વિનંતી અને અપીલ છે.

લોકાર્પણ : વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કમ્પ્યુટર લેબ અને સર્વ  શિક્ષા અભિયાન અંતર્ગત ફળવાયેલ  સ્માર્ટ બોર્ડનુ લોકાર્પણ

0

ધરમપુર તાલુકાના નાનીવહીયાળની વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વલસાડ ડાંગ ના સાંસદ સભ્ય ધવલભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિ.પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે કમ્પ્યુટર લેબ અને સર્વ સ્માર્ટ બોર્ડ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.

વલસાડ ડાંગ ના સાંસદ સભ્ય ધવલભાઇ પટેલે જણાવ્યું કે કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ નો ઉપયોગ કરી ભણતર આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી ઉત્તરોતર પ્રગતિ સાથે દેશ પ્રેમી બનવા સૂચન કરવામાં આવ્યું હતુ. શાળાને જે કઈ ખુટતી સુવિધાઓ હોય તે પુર્ણ કરવાની ખાતરી આપી હતી.

વલસાડ જિ.પંચાયત શિક્ષણ અને કારોબારી સમિતિ સભ્ય વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળના પ્રિન્સીપાલ શૈલેશકુમાર આર.પટેલ ના પ્રયત્નો થકી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડના સહયોગ થી શાળાને ગુજરાત સરકારની આઇ સી ટી યોજના હેઠળ ફળવાયેલ કમ્પ્યુટર નંગ -15ની કમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફળવાયેલ સ્માર્ટ બોર્ડ નં-8 ના કુલ આઠ સ્માર્ટ ક્લાસનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં સરપંચ વિનોદભાઈ પઢેર, શાળા મંડળના પ્રતિનિધિ દિપકભાઇ ભટ્ટ વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ વાલી મંડળના સભ્યો જુગલભાઈ ,મંગુભાઇ પટેલ શિક્ષક મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલિભગતનો ચોંકાવનારો ખુલાસો

0

2735 ચો.મી જમીનના વેચાણની દસ્તાવેજની નોંધણી કરી હતી.

ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો થયો હતો. સબરજીસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ ખાનગી વ્યક્તિને જમીન વેચી હોવાનો ખુલાસો થયો હતો. વિષ્ણુ દેસાઈ સામે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલિભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના પીરોજપુર ગામમાં આવેલી લાખો રૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ સામે સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-3માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએપીરોજપુર ગામની સીમના સર્વે નં-179ના કુલ ક્ષેત્રફળમાંથી 50 ટકા એટલે કે 2735 ચોમી જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી અને ટાઈટલની ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ 59 લાખ 67 હજાર 770 રૂપિયા છે. હાલમાં તો સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કરી પોલીસે જમીન ખરીદનારા તથા વેચનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગાંધીનગરમા જમીન માફિયાઓ દ્વારા દહેગામનું વધુ એક ગામ બારોબર વેચી મારવામાં આવ્યું હતું. દહેગામના કાલીપુરા ગામના જમીન દસ્તાવેજોનો વીડિયો અને લેટર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં 50 વર્ષ જૂના 7 વિઘા ગામની 1.5 વિઘા જમીનનો દસ્તાવેજ થયો છે. આ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે અને મામલતદાર કચેરીમાં વાંધા અરજી પણ દાખલ કરી છે. આ દસ્તાવેજના લેટર અને વીડિયો સામે આવતા જ ગ્રામજનોએ દહેગામ મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી છે, અને હોબાળો મચાવ્યો છે. ખાસ વાત છે કે, મૂળ જમીન માલિકોના વારસદારોની જમીન જમીન માફિયાઓએ બારોબાર વેચી મારી છે. કાલીપુરા ગામ અંગે કહેવાય છે કે, કેટલાક લોકોએ વર્ષો પહેલા જમીન મેળવી આ ગામ વસાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે. જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે.

Ad.

રાજ્યના 4 મોટા શહેરોમાં ફક્ત 5 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 150 રૂપિયા પ્રતિ માસના ભાડા પર કામચલાઉ આવાસ આપવામાં આવશે.

0


ભાજપ શાસિત રાજ્યની સરકાર એક અનોખી યોજના લઈને આવી છે. આ યોજના હેઠળ રાજ્યના 4 મોટા શહેરોમાં ફક્ત 5 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 150 રૂપિયા પ્રતિ માસના ભાડા પર કામચલાઉ આવાસ આપવામાં આવશે. ગુજરાતમાં બાંધકામના કામમાં લાગેલા મજૂરો માટે મોટા રાહતના સમાચાર છે. હવે તેમને તેમના ઠેકાણા માટે ભટકવું નહીં પડે. તેઓને માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા પર કામચલાઉ આવાસ આપવામાં આવશે

‘શ્રમિક બસેરા’ યોજના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ શહેરોમાં બાંધકામના કામમાં રોકાયેલા મજૂરોને 17 રહેણાંક બાંધકામોનું ભૂમિપૂજન કર્યું હતું, એમ એક સત્તાવાર પ્રકાશનમાં જણાવાયું છે. અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવી જ એક જગ્યા પર રહેણાંક માળખાના શિલાન્યાસ માટે મુખ્યમંત્રી પટેલ પોતે હાજર રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ રીતે આવા 16 અન્ય રહેણાંક બાંધકામો માટે પાયો નાખ્યો હતો, રિલીઝમાં જણાવાયું છે. મુખ્યમંત્રી પટેલે શ્રમિક બસેરા યોજના માટે પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું.

મજૂરો માટે રહેણાંક માળખાના શિલાન્યાસ માટે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે રહેણાંક સુવિધા તૈયાર થઈ ગયા બાદ આશરે 15,000 બાંધકામ કામદારોને આ યોજનાનો લાભ મળશે. બાંધકામ કામદારોને પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાના દૈનિક ભાડા પર આવાસ આપવામાં આવશે. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં આશરે 3 લાખ બાંધકામ શ્રમિકોના લાભ માટે સમગ્ર ગુજરાતમાં આવા વધુ આવાસ કેન્દ્રો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પાછળ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જણાવ્યું હતું કે સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો અને બાંધકામ કામદારોના જીવનધોરણમાં તેમને ખોરાક, આરોગ્ય, આવાસ અને નાણાકીય સહાય પૂરી પાડીને ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે.

Ad…

સરકાર ઇન્કમ ટેક્સ શા માટે વસૂલે છે? આમાંથી તેને કેટલા પૈસા મળે છે અને પછી તે પૈસાનું શું થાય છે?

0

ઈન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. તેથી જ આઈટીઆર પૂરજોશમાં ફાઈલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સરકાર ઇન્કમ ટેક્સ શા માટે વસૂલે છે? આમાંથી તેને કેટલા પૈસા મળે છે અને પછી તે પૈસાનું શું થાય છે? ના જાણતા હોવ તો જાણી લો…

નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં, ભારત સરકારને અંદાજે રૂ. 14 લાખ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જેનો મોટો ભાગ આવકવેરામાંથી આવ્યો છે. જો કે આ આંકડો દર વર્ષે બદલાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંખ્યામાં વધારો થયો છે. 2022-23 સુધીમાં, આશરે 6 કરોડ ભારતીય નાગરિકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા. અહીં એ સમજવું જરૂરી છે કે આ તમામ લોકો ટેક્સ ચૂકવતા નથી, કારણ કે કેટલાકની આવક કરપાત્ર સ્લેબની નીચે છે.

આવકવેરાની આવકનું સરકાર શું કરે છે?

આવકવેરો એ સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, જેનો ઉપયોગ દેશના વહીવટના વિકાસ અને સુચારૂ સંચાલન માટે થાય છે. આવકવેરામાંથી મળેલી આવકનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ, માળખાકીય વિકાસ, સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક કલ્યાણ યોજનાઓ માટે કરવામાં આવે છે.

જાહેર સેવાઓનો વિકાસ: સરકાર કરના નાણાંનો ઉપયોગ રસ્તાઓ, પુલો, હોસ્પિટલો અને શાળાઓ જેવી પાયાની સુવિધાઓ બનાવવા અને જાળવણી કરવા માટે કરે છે.

સામાજિક સુરક્ષા: ગરીબ અને વંચિત વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વગેરે.

સંરક્ષણ અને સુરક્ષાઃ દેશની સરહદોની સુરક્ષા, પોલીસ દળ અને આંતરિક સુરક્ષા પાછળ ખર્ચ કરવામાં આવે છે.

આર્થિક સ્થિરતા: સરકારી યોજનાઓ અને સબસિડી દ્વારા આર્થિક સ્થિરતા જાળવવી એ પણ સરકારની જવાબદારી છે.

કરદાતાઓને વળતરમાં શું મળે છે?

ઈન્ફ્રાસ્ટ્રક્ચર: બહેતર રસ્તા, પુલ, જાહેર પરિવહન અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર.

શિક્ષણ અને આરોગ્ય: સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં મફત અથવા સબસિડીવાળી સેવાઓ.

સુરક્ષા: પોલીસ અને સંરક્ષણ દળો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

સરકારી યોજનાઓ: વિવિધ સરકારી યોજનાઓના લાભો, જેમ કે સબસિડી, પેન્શન યોજનાઓ વગેરે.

ટેક્સ ક્રેડિટ્સ અને રિફંડ: આવકવેરામાં ઘટાડો, વિવિધ રોકાણ યોજનાઓ પર કર મુક્તિ અને ચૂકવવામાં આવેલા વધારાના ટેક્સનું રિફંડ.

તમને જણાવી દઈએ કે હાલમાં સરકારે બે પ્રકારની ટેક્સ વ્યવસ્થા બનાવી છે. એક જૂની ટેક્સ સિસ્ટમ અને બીજી નવી સિસ્ટમ. નવી સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ટેક્સ ચૂકવવો પડશે. જો કે, અલગથી ટેક્સ છૂટ આપવાની કોઈ જોગવાઈ નથી. જૂની સિસ્ટમમાં 80C સહિત ઘણા સેક્શન છે, જેના પર ટેક્સ છૂટ મળે છે.

જૂના કર વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ

  • 0 – ₹2.5 લાખ: કોઈ ટેક્સ નથી
  • ₹2.5 લાખ – ₹5 લાખ: 5%
  • ₹5 લાખ – ₹10 લાખ: 20%
  • ₹10 લાખથી વધુ: 30%

નવી આવકવેરા વ્યવસ્થા

  • 0 – ₹2.5 લાખ: કોઈ ટેક્સ નથી
  • ₹2.5 લાખ – ₹5 લાખ: 5%
  • ₹5 લાખ – ₹7.5 લાખ: 10%
  • ₹7.5 લાખ – ₹10 લાખ: 15%
  • ₹10 લાખ – ₹12.5 લાખ: 20%
  • ₹12.5 લાખ – ₹15 લાખ: 25%
  • ₹15 લાખથી વધુ: 30%
કેન્દ્રીય બજેટ 2024 / અહીં ક્લિક કરો

Ad..

ત્રીજીવાર લગ્નના બંધનમાં બંધાશે 2 બાળકોની માતા આ અભિનેત્રી ? 4

0

x પતિ બીમારીમાં પણ કરતો હતો શરીર સુખની માંગ, કંટાળીને થઇ અલગ, હવે ત્રીજીવાર લગ્નના બંધનમાં બંધાશે 2 બાળકોની માતા આ અભિનેત્રી ? 4 વર્ષના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન ? જુઓ

Chahatt Khanna On Third Marriage : ટેલિવિઝન એક્ટ્રેસ ચાહત ખન્ના છેલ્લા ઘણા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ એક્ટર રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે.

ચાહત્ત ખન્ના અને રોહન ગંડોત્રા ઘણીવાર સાથે જોવા મળે છે. તે જ સમયે, બંને હોળી અને ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં, ટેલી ટોક સાથેની વાતચીતમાં, અભિનેત્રીએ પોતે જ તેના અને રોહન ગંડોત્રાના સંબંધો વિશેનું સત્ય જણાવ્યું છે, તેણે રોહન સાથેના લગ્ન પર પોતાનું મૌન તોડતા પોતાનું નિવેદન આપ્યું છે.

તેને કહ્યું કે ‘મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે મારા નામની જોડણી મીકા સિંહ સાથે કરવામાં આવી હતી, અમે માત્ર સારા મિત્રો હોવા છતાં પણ હોળી-દિવાળી પર વાત કરીએ છીએ. હવે મારું નામ રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે. રોહન મારી નજીક છે, પણ અમે લગ્ન નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે રોહન ગંડોત્રા ચાહત ખન્ના કરતા ચાર વર્ષ નાનો છે.

ચાહત ખન્નાએ આગળ કહ્યું, ‘અમે લગ્ન નથી કરી રહ્યા. હું આગળ વધી ગઈ છું અને લગ્ન કર્યા પછી પાછા જવા માનગતી નથી. એવું નથી કે હું લગ્ન નહીં કરું. હું લગ્ન કરીશ જો ભવિષ્યમાં મને કોઈ સારો છોકરો મળે અને મને લાગે કે હું મારી જિંદગી તેની સાથે વિતાવી શકીશ તો હું ચોક્કસ લગ્ન કરીશ. પરંતુ હાલમાં મેં લગ્ન વિશે વિચાર્યું નથી.

તમને જણાવી દઈએ કે, ચાહત ખન્નાએ બે વાર લગ્ન કર્યા છે અને બંને લગ્નનો અંત આવ્યો છે. ચાહતે 20 વર્ષની ઉંમરે 2006માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા અને બંનેએ એક વર્ષમાં જ છૂટાછેડા લઈ લીધા. ત્યારબાદ ચાહતે 2013માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને બે પુત્રીઓ છે, પરંતુ આ સંબંધ 2018માં સમાપ્ત થઈ ગયો.