1. News
  2. News
  3. દિવાળી નજીક આવતાં કપરાડા-નાનાપોઢા વિસ્તારમાં કથિત પત્રકારોની ઉઘરાણી સામે વેપારીઓ અને વહીવટી તંત્રમાં ત્રાહિમામ

દિવાળી નજીક આવતાં કપરાડા-નાનાપોઢા વિસ્તારમાં કથિત પત્રકારોની ઉઘરાણી સામે વેપારીઓ અને વહીવટી તંત્રમાં ત્રાહિમામ

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લાના ઉદ્યોગજગત અને વેપારીઓએ વહીવટી તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ જરૂરી છે.

કપરાડામાં સામાન્ય દિવસોમાં માત્ર 5થી7 સાચા પત્રકારો કાર્યરત છે, પરંતુ દિવાળીના દિવસોમાં 150 જેટલા નવા “મીડિયા પ્રતિનિધિ”ના નામે લોકો પ્રવેશે છે અને જાહેરાતના બહાને ઉઘરાણી કરે છે. વેપારીઓ અને તંત્રમાં ભય અને અસંતોષનું વાતાવરણ ફેલાય છે.

વલસાડ જિલ્લાના કપરાડા અને નાનાપોઢા વિસ્તારોમાં દિવાળીની સિઝન નજીક આવતાં કથિત પત્રકારોની ઉઘરાણીના કિસ્સાઓ ફરી વધ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તાર એવા તત્વો માટે ઉઘરાણીના હોટસ્પોટ તરીકે ઉભર્યો છે, જે “મીડિયા”ના નામે વેપારીઓ, દુકાનદારો તથા સંસ્થાઓ પાસેથી જાહેરાતના બહાને રકમ વસૂલ કરે છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ તત્વો પોતાના યુટ્યુબ ચેનલ અથવા સોશિયલ મીડિયા પેજ પર ખોટા સમાચાર પ્રકાશિત કરી જિલ્લા તેમજ સ્થાનિક તંત્રની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. ઘણા કિસ્સાઓમાં આવા કથિત પત્રકારો સરકારી અધિકારીઓ અને વિભાગો સામે “ભ્રષ્ટાચાર” કે “લાપરવાહી”ના આક્ષેપો લગાવી દબાણ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. પછી “સમાધાન”ના નામે પૈસાની માગણી કરે છે.

ગયા વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 150 જેટલા લોકો પત્રકાર તરીકે ઓળખ આપી કપરાડા અને નાનાપોઢા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ વર્ષે તે સંખ્યા વધીને 200 સુધી પહોંચવાની આશંકા છે. મોટાભાગના આવા લોકો પાસે કોઈ પણ પ્રકારનું આર.એન.આઈ. રજીસ્ટ્રેશન નથી, છતાં તેઓ “મીડિયા પ્રતિનિધિ” તરીકે ઓળખ આપી સરકારી કચેરીઓ અને ખાનગી સંસ્થાઓમાંથી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ છે. આ પ્રવૃત્તિએ સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ સરકારી કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે.

કપરાડા અને આસપાસના વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અજાણ્યા લોકો દુકાનો અને ઓફિસોમાં આવી “જાહેરાત”ના બહાને રકમ માગે છે. જો સહકાર ન મળે તો તેઓ નકારાત્મક વીડિયો મુકવાની ધમકી આપે છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ સરકારી કચેરીઓમાં જઈ અધિકારીઓને પણ ડરાવવાનો પ્રયાસ કરે છે, જેથી વહીવટી તંત્રના કર્મચારીઓમાં પણ ચિંતા અને અસ્વસ્થતા સર્જાઈ છે.

જિલ્લા માહિતી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આર.એન.આઈ. નોંધણી ધરાવતા અથવા સરકારની માન્ય યાદીમાં સમાવિષ્ટ પત્રકારો જ અધિકૃત ગણાય છે. અન્ય કોઈ વ્યક્તિ કે યુટ્યુબ ચેનલ ધારક દ્વારા પત્રકાર તરીકે ઓળખ આપી ઉઘરાણી કરવી કાયદેસર ગુનો ગણાય છે.

દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને, વેપારીઓ અને સરકારી અધિકારીઓએ વહીવટી તંત્રને રજૂઆત કરી છે કે કપરાડા-નાનાપોઢા તથા આસપાસના વિસ્તારોમાં આવા કથિત પત્રકારો સામે તપાસ હાથ ધરવામાં આવે અને જરૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

જિલ્લા પોલીસ અને માહિતી વિભાગે સામાન્ય જનતાને પણ ચેતવણી આપી છે કે કોઈ અજાણી વ્યક્તિ “મીડિયા પ્રતિનિધિ” તરીકે આવે તો તેની ઓળખ ચકાસ્યા વિના કોઈ સહકાર ન આપવો. અધિકૃત પત્રકારોની યાદી માત્ર જિલ્લા માહિતી કચેરી દ્વારા જ પ્રસિદ્ધ થાય છે.

દિવાળીના આ પર્વે સાચા અને ખોટી ઓળખ ધરાવતા પત્રકારો વચ્ચેનો ભેદ સમજવો હવે અત્યંત જરૂરી બની ગયો છે — જેથી વિસ્તારની શાંતિ, વિશ્વાસ અને વિશ્વસનીયતા જળવાઈ રહે અને લેભાગુ તત્વો સામે તંત્ર યોગ્ય રીતે કાર્યવાહી કરી શકે.

દિવાળી નજીક આવતાં કપરાડા-નાનાપોઢા વિસ્તારમાં કથિત પત્રકારોની ઉઘરાણી સામે વેપારીઓ અને વહીવટી તંત્રમાં ત્રાહિમામ
Comment

Your email address will not be published. Required fields are marked *