
વલસાડમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપની
કવાયત, ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાયા હતા. જે નવ દાવેદારો પૈકી ડો.હેમંત પટેલ, યોગેશ પટેલ (યોગી) નો સમાવેશ થયો.
આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમદેવારો નક્કી કરવા માટે ભાજપે ગૂપચૂપ અને સાદગીભરી કવાયત શરૂ કરી દીધી છે. હાલમાં ઉમેદવાર નક્કી કરવા અંદરખાને કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં
ચહલપહલ જોવ મળી રહી છે.
વલસાડ જિલ્લામાં અચાનક પ્રદેશ નિરીક્ષકો
વલસાડ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો
કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં વર્તમાન સાંસદ સહિત 9 જેટલા દાવેદારો સામે આવ્યા હતા.આ તબક્કે ડાવેદરોના ટેકેદારોના કોઈ મોટો જથ્થો દેખાયો ન હતો.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ત્રણ પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રદેશ નિરીક્ષકો સરદવા, લલિત ઇપશાન સોની આવ્યા હતા.જેમની સમક્ષ વર્તમાન સાંસદ ડો.કે.સી.પટેલ, કપરાડાના ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઇ ચૌધરી,ધરમપુર અને તાલુકાના સામાજિક કાર્યકર અને સેવાભાવી તબીબ ડો.હેમંત પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, લોકસભાના ભાજપના સંયોજક ગણેશ બિરારી, ઘરમપુરના જિ.ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુરના તબીબ વલસાડના ડો.ડી.સી.પટેલ, તા.પં. પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ અને વલસાડ તાલુકાના બીનવાડાના રક્તદાન પ્રવૃત્તિના કાર્યકર ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન,9 હજાર ડોનર ઉભા કર્યા, વલસાડના રક્તવીરને ગ્લોબલ હ્યુમેનિટી ચેન્જમેકર એવોર્ડ મેળવનાર યોગેશ પટેલે દાવેદારી નોંધાવી હતી.આ તબક્કે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
દરેક દાવેદારોને સાંભળી પ્રદેશ નિરીક્ષકોએ હાથ ધરેલી ખુબ જ સાદગીભરી સેન્સ પ્રક્રિયામાં કોઇ ટેકેદારો કે દેખાડો જેવો કશું માહોલ જોવા મળ્યો ન હતો.દાવેદારોને કેબિનમાં નિરીક્ષકો સમક્ષ વન ટુ વન
એન્ટ્રી આપવામાં આવી હતી.જ્યાં તેમને રૂબરૂ સાંભળી સેન્સ લેવામાં આવ્યા હતા.મર્યાદિત પ્રમાણમાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.