
અચાનકજ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતા પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટ્રેસ છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટની સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર બનવાની તક સ્વીકારી લીધી. છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના સુરતના રિપોર્ટર તરીકે કાર્યરત હતા.
સોમવારે રાત્રે અચાનક જ વલસાડ જિલ્લાના ઉત્સાહી પત્રકાર આનંદ પટનીનું સુરતમાં એટેકથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ અનેક પત્રકારો આઘાતમાં સારી પડ્યા. જેની સાથે મીનીટો પહેલા વાત થઈ એ પત્રકાર અચાનક જ છોડી જતા મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ ગઈ.આ ઘટના બાદ ખૂબ જ ચમકીલું લાગતું પત્રકારત્વના ફિલ્ડમાં કેટલી હતાશા અને સ્ટેસ છે તેની ચર્ચાઓ શરૂથઈ છે.
મૂળ ઉત્તર ગુજરાતના અને વાપીમાં સ્થાયી થયેલાં આનંદ પટનીનાં પરિવારમાં તેમના એક ભાઈ છે. થોડા સમય પહેલા જ તેમના પિતા નૈષધભાઈનું અવસાન થયું હતું. આનંદ પટણીના સંતાનો વરિષ્ઠ બે અને લક્ષ પૈકી મોટો દીકરો હાલ અમદાવાદમાં કોલેજ કરી રહ્યો છે. જ્યારે નાનો દીકરો હાલ પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે.
પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે. નહીં કે હું સૌથી પહેલો એવી રીતે ઘટનાઓનું કવરેજ કરીને નામના મેળવી છે.
વાપીને કર્મભૂમિ બનાવ્યા બાદ આનંદભાઈએ નેશનલ ચેનલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ જોઈએ એવી મજા નહીં આવતા તેમણે પત્રકારત્વને બીજો વિકલ્પ રાખી સાથે કેટલાક ધંધા શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેમાં પણ જાજી ફાવટ નહીં આવતા તેમણે સુરતમાં રિજનલ ચેનલના રિપોર્ટર
બનવાની તક સ્વીકારી લીધી.છેલ્લા ત્રણેક વર્ષોથી સુરતમાં ચેનલમાં રિપોર્ટર તરીકે કામગીરી સંભાળી. હાલમાં તેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલના રિપોર્ટર તરીકે
સુરતના કાર્યરત હતા.આનંદ પટનીના અચાનક અવસાનથી આઘાત અનુભવનારા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
ત્યાં પત્રકારોની દશા અને દિશા અંગેની ચર્ચાઓ શરૂ
થઈ હતી. જે સ્થિતિમાં આનંદભાઈ એમના સ્વજનોને
અચાનક છોડી ગયા છે.તેમની સાથે આવી ઘટના ઘટી
જાય તો સ્વજનોનું શું થાય એ ચિંતામાં ઘણા પત્રકારો સરી પડ્યાં હતાં. જીવનના આગળના વર્ષોમાં કેવી રીતે
પ્લાનિંગ કરવું તે બાબતની ચર્ચા કરતાં થઈ ગયા હતા.
ચેનલોની ગળાકાપ સ્પર્ધામાં સતત આવતું માનસિક તાણ કેવી રીતે હળવું કરવું તે અંગેના રસ્તાઓ શોધતા થઈ ગયા હતા.આનંદ પટણીના આઘાતજનક સમાચારથી દક્ષિણ ગુજરાતના પત્રકારો ચિંતામાં સરી પડ્યા છે. અને ચિંતા કરવી જ જોઈએ કારણકે આજની જે પરિસ્થિતિ છે, એમાં પત્રકારો સતત દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ન્યુઝ ચૂકી જવાનાં ડરને કારણે સતત દબાણમાં રહેવું પડે છે. ચેનલના પત્રકારોએ પણ ન્યુઝ કવરેજ કરવા જવું પડ્યું હોય છે. આ બધું કર્યા પછી જ્યારે કોઈ મહત્વના ચૂકી જવાય એટલે કે બીજી ચેનલોમાં ન્યુઝ ટેલિકાસ્ટ થઈ જાય અને પોતાની ચેનલમાં એ રહી જાય ત્યારે ઉપરીઓનો ઠપકો તો સાંભળવા જ પડે છે. અને સતત ઉપરી દ્વારા બેસ્ટ કરવા માટે દબાણ વધતું જ જાય છે. ઘણી વખત પત્રકારોને પર્ફોર્મન્સના આધારે
ચેનલોમાંથી છુટા કરવામાં આવશે એવો ડર પણ સતત
સતાવતો રહે છે. ૨૪ કલાક પણ ઓછા પડતા હોય તેમ સતત દોડતા રહેવાને કારણે શરીરની કાળજી લેવાતી નથી.આવી સ્થિતિમાં રિપોર્ટરએ માનસિક તાણ ઓછો કરવા માટે કોઈકને કોઈક રસ્તો કાઢવા જ પડશે અન્યથા ક્યારે શું થઈ શકે એ કશું જ નિશ્ચિત નથી.
હાલના સમયે સૌ ને અગ્રેસર રહેવું છે અને રહેવું પણ જોઈએ. પરંતુ ઘટનાઓમાં એક્સક્લુઝિવ અને હું સૌથી પહેલૉની પડો જણમાં પડ્યા વિના, સૌની સાથે સંબંધો ગાઢ કરી ઘટનાઓ મેળવી શકાય છે.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માલિકો પણ મહત્તમ જાહેરાતો ઉપર આધાર રાખે છે કારણકે સંસ્થાનો આખું તંત્ર જ સંસ્થાની જાહેરાતની આવક ઉપર ચાલતું હોય છે. અને જાહેરાતો ત્યારે જ મળે જ્યારે જે તે ચેનલ કે અખબારોની લોકપ્રિયતા સૌથી ટોચ પર હોય. પોતાની સંસ્થા કે ચેનલ આગળ વધે તે માટે દરેક પત્રકારે પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. પરંતુ શ્રેષ્ઠ આપવા માટેના ઘણા રસ્તાઓ હોય છે.અને એ માર્ગ આપણે નક્કી કરવાનો છે.
આપણે સ્થાનિક પત્રકારો સાથે મિત્રતાના સંબંધો રાખી આપણો હળવો કરી શકીએ છીએ.સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નાહકની દોડધામ ઓછી કરી શકીએ છીએ. દેશમાં જે પત્રકારો સૌથી ટોચે પહોંચ્યા છે. તેઓ ઇન્વેસ્ટિગેશન કરીને સ્પેશિયલ સ્ટોરીઓ કરીને નામના મેળવી છે.
પેટાચૂંટણી નું કવરેજ કરવા માટે કપરાડામાં કુદરરતી સૌંદર્ય ની ભરમાર વચ્ચે ફોટોગ્રાફી કરવા માટે અદભુત ફોટોગ્રાફી કરાઈ…..હતી…
(ફાઇલ ફોટાઓ)



