1. News
  2. धर्मदर्शन
  3. વિદેશી ધરતી પર કથાના સ્વરગુરૂનું ઉષ્માભર્યું સ્વાગત : પ્રફુલભાઈ શુક્લનું કેનેડામાં આગમન !

વિદેશી ધરતી પર કથાના સ્વરગુરૂનું ઉષ્માભર્યું સ્વાગત : પ્રફુલભાઈ શુક્લનું કેનેડામાં આગમન !

Share

Share This Post

or copy the link

ગુજરાતના લોકપ્રિય અને વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. પ્રફુલભાઈ શુક્લ અને ભાવેશભાઈ જોશી હાલમાં પોતાના વૈદિક જ્ઞાનના પવિત્ર સંદેશ સાથે કેનેડા યાત્રાએ પધાર્યા છે. તેમના આગમનથી માત્ર ભારતીય સમુદાય નહીં પરંતુ સમગ્ર આધ્યાત્મિક જગતમાં પણ આનંદની લહેર દોડી છે. આ યાત્રા અંતર્ગત તેઓ કેનેડાના વિવિધ શહેરોમાં શ્રી રામકથા અને ભાગવત કથાના માધ્યમથી સંસ્કૃતિ અને સત્યના અવાજને ઊંચો કરવાના છે.

ટોરન્ટો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જ્યારે પ્રફુલભાઈ શુક્લ અને ભાવેશભાઈ જોશી પધાર્યા ત્યારે તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જેમણે એ સ્વાગત કર્યું તેમાં શીતલબેન શુક્લ, ક્રિષ્ન શુક્લ, અક્ષય જાની, ખુશીબેન જોશી અને અમીબેન પ્રજાપતિ સામેલ હતા. એમની આંખોમાં ગર્વ અને આનંદની ઝલક હતી કે તેઓ આવી શક્તિપ્રદ વિભૂતિનું સ્વાગત કરવા માટે સહભાગી બન્યા.

આ અવસરે ખાસ ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં આવેલા કોશંબા-ભાગડાવડા વિસ્તારના જાણીતા બિલ્ડર કૌશિકભાઈ ટંડેલના પરિવારજનો દ્વારા પણ અતિશય આત્મીયતાપૂર્વક કથાકારશ્રીએ સ્વાગત પ્રાપ્ત કર્યું. કૌશિકભાઈ સાથે તેમના પરિવારજનો પ્રકૃતિ તેજ ટંડેલ, તેજશ્રી ટંડેલ અને હેતલબેન ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રફુલભાઈને હાર પહેરાવી તેમના Canada Dharma Yatra નો શુભ આરંભ કર્યો હતો.

કથાકારશ્રીએ આ પ્રસંગે ટંડેલ પરિવારને આશીર્વાદ આપતા જણાવ્યું કે, “વિદેશમાં ભલે આપણે માટીથી દૂર હોઈએ, પણ જ્યારે સંસ્કાર અને શ્રદ્ધા જીવંત હોય, ત્યારે ત્યાં પણ ભારતનો સુગંધ ભલેને વેરાય છે.” તેમણે ટંડેલ દંપતીની દીકરી ‘પ્રવ્યા’ને ખૂબ આશીર્વાદ આપીને તેના ઉજ્જળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવેશભાઈ જોશીએ પણ નમ્રતાથી સંબોધન કરતા જણાવ્યું કે, “આ યાત્રા માત્ર ધાર્મિક કથા માટે નથી, પરંતુ ભારતના સંસ્કાર અને મૂલ્યોને વિદેશી ભમિ પર જીવંત રાખવાની એક પ્રયાસ છે.”

વિશેષ વાત એ રહી કે, કેનેડાની ધરા પર આવનાર દરેક ગુજરાતી અને ભારતીય ભાવિકમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાય ભાવિકો તો પરિવાર સાથે ટોરન્ટો એરપોર્ટ પર કથાકારશ્રીને એક નજર જોવા અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

આ Canada Dharma Yatra દરમિયાન પ્રફુલભાઈ શુક્લની કથાઓ વિન્ડસરમાં 2 જુલાઈથી આરંભ થશે. તેમનું માર્ગદર્શન અને સત્સંગ કેનેડામાં “કથા તો માત્ર શ્રવણનું સાધન નથી, એ તો જીવન જીવવાની વિદ્યા છે.”

આ આગમન સાથે જ કેનેડા સ્થિત ભારતીય સમુદાયમાં એક નવી ધાર્મિક ચેતનાની શરૂઆત થઇ છે. આવા સંતસ્વરૂપ કથાકારોના સ્પર્શથી માત્ર ધરતી નહીં, પણ માનસપટ પણ પવિત્ર થાય છે.

વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયોની વચ્ચે આવા કાર્યક્રમો સંસ્કૃતિ અને મૂલ્યોની ધારા સતત વહાવા માટે અતિ મહત્વપૂર્ણ છે. પ્રફુલભાઈ શુક્લ જેવી વિભૂતિના આગમનથી કેનેડાની ભારતીય સંસ્કૃતિ નું દર્શન થશે.

વિદેશી ધરતી પર કથાના સ્વરગુરૂનું ઉષ્માભર્યું સ્વાગત : પ્રફુલભાઈ શુક્લનું કેનેડામાં આગમન !
Comment

Your email address will not be published. Required fields are marked *