1. News
  2. આદિવાસી સમાજ
  3. ચારણવાડાની દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની

ચારણવાડાની દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની

Share

Share This Post

or copy the link

આદિવાસી સમાજનું ગૌરવ ચારણવાડા ગામની પુત્રી વૈશાલીબેન જંબુભાઈ પટેલ કે, જેઓએ સરકારી
વિનયન અને વાણિજય કોલેજ વાંસદામાં અભ્યાસ કર્યો અનેએ જ કોલેજમાં પ્રોફેસર બન્યા.

કોઈપણ કોચિંગ વિના જાતે હેઠળ મહેનત કરીને જીસેટ, નેટ, જીપીએસસી વર્ગ-૨ ની પરીક્ષા પાસ કરી સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદામાં ભુતપૂર્વ વિદ્યાર્થીની આજે પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યાં છે.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામની દીકરી પટેલ વૈશાલીબેન જંબુભાઈએ ગુજરાત સરકાર દ્વારા લેવાતી ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસી)ની પરીક્ષા પ્રથમ પ્રયતે ઉત્તીર્ણ કરી,જે કોલેજમાં અભ્યાસ કરેલ તે જ માતૃ સંસ્થાની અંદર સંસ્કૃત વિષયના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ – ૨ તરીકે નિમણૂંક મળતા સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. તેમની કારકિર્દીની શરૂઆત ચારણવાડા પ્રાથમિક શાળાથી શરૂ થઈ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા તેમજ સ્નાતક સરકારી વિનયન અને વાણિજય કોલેજ વાંસદા અને ત્યાર પછીનું શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનમાં રહી અનુસ્નાતક,એમ.ફિલ,તેમજ એન.એફ. એસ.ટી ફેલોશીપ મેળવી હાલ ભવનનાં પ્રોફેસર આર. એન. કથાડનાં માર્ગદર્શન પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ છે. કોઈપણ કોચિંગ વિના જાતે હેઠળ મહેનત કરીને જીસેટ, નેટ, જીપીએસસી વર્ગ-૨ ની પરીક્ષા પાસ કરી સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંસદામાં ભુતપૂર્વ વિદ્યાર્થીની આજે પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યાં છે.આ સિદ્ધિથી માતા-પિતા, ગુરુજનો, મિત્રો, કુટુંબીજનો, શાળા, કોલેજ તથા સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.

Ad.

ચારણવાડાની દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની
Comment

Your email address will not be published. Required fields are marked *