ગયાં અંકમાં આપણે જોયું કે સુધીર દત્તે કઈ સિફ્તથી સુરેખા અને સિદ્ધાર્થને બંદી બનાવ્યાં, અને પોતાના ડોક્યુમેન્ટની ચોરીના ઈલ્ઝામમાં એ લોકોને જેલની સજા થશે, એવું કહી ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો, તો શું સાચે એ લોકો જેલ ભેગા થશે? રમેશ સાવંતે પોતાની રિવોલ્વરનો ઘા કરી અને આ આખું દ્રશ્ય ક્લિયર કર્યું, તો સુધીર અને રમેશની આગળની ચાલ શું હશે? બહાદુર નંબર ટુ નું દુબઈમાં શું થયું હશે? શું સુરેખા સાચે ચરિત્રના ભોગે પોતાની જાતને છોડાવી શકી? સિદ્ધાર્થે પણ કહ્યું કે સાહેબ હું સરકારી ગવાહ બનવા માંગુ છું, તો શું એ સાચે…. તો પાર્વતી એકદમ દોડી અને કુવા પાસે પહોંચી ગઈ, અખિલેશ એની પાછળ દોડ્યો અને એની પાછળ સુખવંત! જોરદાર ધબાકો થયો શું પાર્વતી… અખિલેશ શું પાર્વતી ને કૂવામાં પડતી બચાવી શકશે. પણ સૌથી વધુ ખતરનાક મોડ તો કિલ્લોલ બંગલોના પાડોશીનો ઇન્સ્પેકટર દિલીપ ચાવડાને ફોન કરે છે, કે એમાં એમણે કહ્યું કે કોઈ શ્રીકાંત જેવું દેખાયું! પોલીસ એ સીલ મારી દીધું હોવા છતાં એમાં કોણ છે? શું પોલીસ એમાં ભળેલી હશે! કે પછી કંઈક બીજું હશે! અને શ્રીદેવી અને સાર્થક વીણા માસીને ઘેર સુરક્ષિત ક્યાં સુધી રહી શકશે? હવે આ બધી સમસ્યાઓ સામે સુધીર દત્ત એકલો કઈ રીતે જ જુએ છે એ જાણવા વાંચો આગળ…
દિલીપ ચાવડા ને ફોન કર્યા બાદ સુધીર દત્ત જ્યારે એની પ્રતીક્ષા કરી રહ્યા હતાં, ત્યારે સિદ્ધાર્થ એને વારંવાર કહી રહ્યો હતો કે સાહેબ હું સુરેખાનો સાથ છોડવા માંગુ છું, તમે મારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લો, હું તમને બધી જ સાચી હકીકત જણાવી દઈશ, અને બીજી બાજુ સુરેખા જોર જોરથી રાડો પાડતી હતી કે, યુ બ્લડી રાસ્કલ, બેવફા, નાલાયક હું તને છોડીશ નહીં! સાહેબ તમે એની વાત નહીં સાંભળતાં આ બધાં જ કાંડમાં એ બિલકુલ બરોબરનો ભાગીદાર છે! એટલે કે જે કંઈ મળે એમાંથી 50/% નો ભાગ એનો રહેશે એ શરત પર જ એણે આમાં હામી ભરી છે! અને ઉપરથી મને પણ એક વર્ષથી ભોગવે છે! સિદ્ધાર્થ એ કહ્યું તે મે એકપણ વખત જબરજસ્તી નથી કરી! તું તારી મરજીથી મારી સાથે… સુધીર દત્ત એ રાડ પાડી અને કહ્યું ચૂપ… આ કંઈ કોઈ તમારી બદનામ ગલી નથી! તે બંને જણાં ગમેતેમ બોલો છો! મને કોઈ નું સાંભળવું નથી, મને હવે કોઈ પર ભરોસો નથી. હવે તો જે થશે એ કોર્ટમાં..
થોડી વારે ઇન્સ્પેકટર દિલીપ ચાવડાનો ફોન આવ્યો, અને કિલ્લોલ બંગલાના પાડોશી એ કરેલી વાત એમણે જણાવી, અને કહ્યું કે શ્રીકાંત કંઈ રીતે જીવી શકે,? શું શ્રીકાંત નું ભૂત હશે? ઇન્સ્પેકટર દિલીપ ચાવડાની ભૂત વાળી વાત સાંભળીને એકદમ હસ્યા, શું તમે પણ આ યુગમાં આવી વાત કરો છો! ઇન્સ્પેક્ટર એ કહ્યું કે તો શું શ્રીકાંત જીવતો હશે ? સુધીર દત્ત એ કહ્યું કે મેં ભી પોસિબલ! પરંતુ જે રીતે એક્સીડન્ટ થયો હતો, એ બતાવે છે કે શ્રીકાંતનું બચવું ના મુમકીન છે. પરંતુ શક્યતા બીજી રીતે વિચારી શકાય એટલે કે જે લાશ એની અંદર ગોઠવવામાં આવી હતી તે શ્રીકાંતની ન હોય એવું બની શકે, અને કોઈ મર્ડર થયેલી વ્યક્તિને એમાં રાખી હોય! એમણે કહ્યું કે તો પછી મુજરાનાં સંગીતનું કારણ શું હોય શકે ? અને એ જીવતો હોય તો અત્યાર સુધી પોતાની જાતને છુપાવી શું કામ રાખે છે? એ પણ એક પ્રશ્ન છે, કારણ કે એ પણ શ્રીદેવીને ખૂબ જ પ્રેમ કરે છે, અને પોતાની પત્નીને આમ દરદર ભટકતી ક્યો પતિ જોઈ શકે? એટલે કિલ્લોલ બંગલોમાં શ્રીકાંતનું દેખાવું એ પોલીસ ને ગુમરાહ કરવા માટેની કે કોઈ બીજી તરફ દોરવા માટે રચાયેલી કોઈ સાજીશ હોય શકે! એવું મારું માનવું છે. હકીકતમાં શું હોઈ શકે, એ વિશે આપણે પછીથી વિચારીશું. પણ અત્યારે તો આ બંને જણાને જેલ ભેગા કરવા એ મારી માટે સૌથી મહત્વનો અને પ્રાથમિક પ્રશ્ન છે, માટે તમે જેમ બને એમ જલ્દી આવી અને બંનેને એરેસ્ટ કરી લો!
દિલીપ ચાવડાનો ફોન ચાલતો હતો, અને એ ફોનમાં વાત કરતાં કરતાં સહેજ બહાર બાલ્કની નીકળી ગયાં હતાં, અને ત્યાં જ રુમમાં જોરથી અવાજ આવ્યો! અને સુધીર દત્ત દોડીને અંદર આવ્યાં. અંદર આવીને જોયું તો સિદ્ધાર્થનાં માથા માંથી લોહી નીકળતું હતું! સુધીર દત્તને કંઇ સમજાયું નહીં કે શું થયું? તો રમેશ સાવંત જોરજોરથી હસતો હતો, અને કહ્યું કે લે હવે! તો આજીવન કેદ થશે, અને સુરેખા રાડો પાડી પાડીને કહેતી હતી,અને કહેતી હતી કે મેં કંઈ નથી કર્યું! સુધીર દત્ત એ કહ્યું કે તો કોણે કર્યું? અને બીજા ને સિદ્ધાર્થ સાથે શું દુશ્મની હોય? એ ચાર્જ તો હવે તારે માથે જ ચડશે! એમ કરીને સુધીર દત્ત પણ જોરજોરથી હસવા લાગ્યાં! સુધીર દત્ત એ કહ્યું સુરેખા આ તે બહુ મોટી ભૂલ કરી સિદ્ધાર્થ ને જો કંઈ થશે તો તું એટર્મ ટુ મર્ડર ના ચાર્જમાં ફાંસી એ પણ લટકી શકે છે! મારવું હતું તો પગે મારવું હતું! કે પેટમાં! કે પછી હાથે ! કે પછી વાંસામાં મારવું હતું, આમ માથામાં નહોતું મારવું! સુરેખા કહી રહી હતી કે પ્લીઝ મારી વાત માનો મેં નથી માર્યું! તો પછી આ હોકી સ્ટીક તારાં હાથમાં શું કામ છે? એણે હોકી સ્ટીક ફેંકી દીધી પણ સુધીર દત્ત એ કહ્યું કે હવે શું? એની પર તારાં ફીંગર પ્રીન્ટ તો છે! પોલીસ અને કોર્ટ બંને જગ્યાએ સબૂતની જ ભાષા બોલાય છે. સુરેખા બિચારી કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. રમેશ સામે જોઈને કહ્યું સાહેબ ઇસકા ક્યા કરના હૈ, બસ અભી પોલીસ આતી હી હોગી, કરના હૈ વો પુલીસ કો હી કરના હૈ! ઔર યાદ રખના તુ સુરેખા ઓર સિદ્ધાર્થ કા આદમી થા, ઓર તુને યે સબ કુછ અપની આંખો સે દેખા હૈ! રમેશ સાવંત વિચારતો હતો, કે તો સાહેબે અત્યાર સુધી મને એટલે જ ઓળખવાની ના પાડી હતી. થોડીવારમાં એમ્બ્યુલન્સ સાથે દિલીપ ચાવડા આવી ગયાં, સુરેખા વિચારતી હતી કે ઇન્સ્પેક્ટરને કેમ ખબર કે સિદ્ધાર્થના માથામાં હોકી વાગી છે?? તો શું એ પણ આ આખા કાવતરાના ભાગીદાર હશે! હવે તો હું કેમ એ કરીને બચી નહીં શકું. મેં શું કામને હાથે કરીને સુધીર દત્તનાં ઘરમાં આવવાનું વિચાર્યું! હે ભગવાન મારી મતિ મારી ગઈ હતી. ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ સુરેખા પર બે ત્રણ જાતના ચાર્જ લગાવ્યાં, એક તો સુધીર દત્તના ઘરમાં ઘૂસી અને તેના કીમતી સામાનની ચોરી કરવાનો, અને બીજો સિદ્ધાર્થના માથામાં હોકી મારી તેનું મર્ડર કરવાનો, તેમજ દુબઈ પોલીસ એ પણ સુરેખા પર સ્મગલિંગનો ચાર્જ લગાવ્યો, અને એટલે જ એ રાતોરાત અહીંથી ભાગી ગઈ હતી, એવું કહ્યું. એટલે ઇન્ટરનેશનલ ગુનેગાર હોય એને તો અમે અહીંથી દૂર એવી એક જેલમાં મોકલીએ છીએ, કે જ્યાં કોઈ એટલે કોઈ આવી જઈ શકતું નથી, અને અંધારી કાળી કોટડીમાં એને દિવસો વિતાવવાના હોય છે. સુરેખા રડતી રડતી બોલતી હતી ઇન્સ્પેક્ટર પ્લીઝ મને છોડી દો, આમાંનું એક પણ કૃત્ય મેં કર્યું નથી. બિલકુલ નિર્દોષ છું અહીં આવી એ મારી સૌથી મોટી ભૂલ છે, પણ મેં એના ડોક્યુમેન્ટ ચોર્યા નથી મેં સિદ્ધાર્થના માથામાં હોકી પણ મારી નથી, અને દુબઈથી કોઈ વસ્તુની સ્મગલિંગ કરીને પણ હું આવી નથી. ત્યાંથી હું નિર્દોષ સાબિત થઈને જ અહીં આવી છું, પણ એનું કોણ સાંભળે? ઇન્સ્પેક્ટર એ એના હાથમાં હાથકડી પહેરાવી દીધી અને સિદ્ધાર્થને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધો. રમેશ સાવંત તરફ જોઈને કહ્યું કે તારી માથે પણ એકાદ ચાર્જ તો લાગશે જ અઠવાડિયું તો તારે પણ જેલની હવા ખાવી પડશે. રમેશ સાવંત હસતો હસતો બોલ્યો ઓકે નો પ્રોબ્લેમ! અને તેના હાથમાં પણ હથકડી પહેરાવી દીધી. સુરેખાએ જતા જતા સુધીર સામે કાતર મારતી નજરે જોવાની બદલે એકદમ રડમસ નજરે જોયું, અને કહ્યું પ્લીઝ મને બચાવો, મને કંઈક મદદ કરો, પણ સુધીર દત્ત ના મગજમાં ત્યારે કિલ્લોલ બંગલાની ઘટના નું દ્રશ્ય આંટા મારવા લાગ્યું હતું.
પાર્વતી પાર્વતી કરીને અખિલેશ દોડીને ત્યાં પહોંચવા જતો હતો, ત્યાં જ દબાક કરતો કુવામાં પડવાનો અવાજ આવ્યો. પરંતુ એ પાર્વતી નહોતી એણે જોયું તો પાર્વતી તો હજી કુવાની કોર પર ઉભી હતી. કારણ કે મરવાની વાત કરવી, અને મરી જવું એ બંને વસ્તુમાં ઘણો ફેર છે. છેલ્લી ઘડીએ સુખવંત નો વિચાર બદલાય અને એ રહેમ નજરે જોઈ મને ના પાડશે, એવી આશાએ તે પગ ઊંચો કરીને ઉભી હતી. પરંતુ સુખવંતે પાર્વતી ને ડરાવવા માટે પિસ્તોલ ની ગોળી છોડી અને જે ઝાડ નીચે કૂવો હતો ત્યાંથી પક્ષી સાથે ઝાડની એક મોટી ડાળી કુવામાં પડી અને એનો અવાજ આવ્યો! અખિલેશ ને ખ્યાલ આવી ગયો કે સુખવંત નું આ એક નાટક છે, અને તે પાર્વતી ને ગમે ત્યારે ગોળી મારી શકે તેમ છે, માટે તેના પગ ઢીલા પડી ગયાં, અને તે જ્યાં પહોંચ્યો હતો ત્યાં જ ઉભો રહી ગયો. પાર્વતીને પણ થયું કે હવે તો બચવાના કોઈ ચાન્સ નથી, હવે મારે કુવામાં કુદકો મારવો જ પડશે! પરંતુ જેનું કોઈ નથી એનો ઈશ્વર છે, એમ બરાબર એ જ સમયે જ્યાં પાર્વતી ઉભી હતી કૂવાની પાળી પિસ્તોલ ના અવાજથી હલબલી ગઈ, અને પાર્વતી અંદરની બદલે બહારની બાજુએ પડી અને એને માથામાં એ જ જગ્યાએ વાગ્યું,અને એની ચાલી ગયેલી વાંચા પાછી આવી અને તે એકદમ બોલવા લાગી,અને “સુખવંત હવે હું તને નહીં છોડું” તું તારા મનમાં સમજે છે શું? એમ એના મોઢા માંથી પહેલું વાક્ય નીકળ્યું, એક મિનિટ માટે તો સુખવંત પણ સ્તબ્ધ થઈ ગયો! કારણકે આવું પણ કંઈક થઈ શકે એવું તો એણે વિચાર્યું જ નહોતું! પાર્વતી મા દુર્ગાનો અવતાર હોય એમ સુખવંતનાં જ માણસ પાસેથી ધારદાર કટારી ખેંચી અને સુખવંત તરફ એકદમ વેગથી દોડી. સુખવંત પાર્વતીનું રુપ જોઈને બે ડગલાં પાછળ હટી ગયો! આ તકનો લાભ લઈને અખિલેશ પણ બીજા એક માણસ પાસેથી તલવાર લઈને સુખવંત તરફ દોડ્યો! આમ જુવો તો આખું ગામ એનાં ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યું હતું, એટલે સૌ સુખવંત ને મારવા માટે પોત પોતાના હથિયાર લઇને એની તરફ વેગથી ધસ્યા! સુખવંત સમજી ગયો કે હવે મરવું એની કરતાં ભાગવું એ હિતાવહ છે! અને એ પોતાની જીપમાં બેસીને ગામ લોકો ને ચકમો આપીને ભાગ્યો! પરંતુ ગામ લોકો જાણતા હતા કે સુખવંત એટલી ઝડપથી હાર માની લે એ માનો નથી, માટે એમણે પાર્વતી અને અખિલેશ ને કહ્યું કે તમે લોકો આ તકનો લાભ લઈને અહીંથી ફરાર થઈ જાઓ. સુખવંત આવશે તો અમે ફોડી લેશું, અને તમે લોકો નીકળી ગયા છો, એ જાણ્યા પછી એ વધી વધીને કરી પણ શું શકે! પાર્વતીએ અખિલેશ સામે જોયું અખિલેશે કહ્યું કે ગામ લોકોની વાત સાચી છે, આવી તક જિંદગીમાં વારેવારે આવતી નથી માટે ચાલને! સુખવંત જાણતો હતો કે અખીલેશ ભાગે તો પણ એના ઘરના ભોયરા માંથી હાઇવે પર નીકળશે, પરંતુ અહીં પાર્વતીએ કહ્યું કે સુખવંત કદાચ આપણી ત્યાં જ રાહ જોતો હોય એવું પણ બને, આપણે કોઈ બીજો માર્ગ શોધવો પડશે, અને તેઓ અંદરના રસ્તેથી બીજા ગામમાં નીકળાય, એ રસ્તે અખિલેશની મોટર બાઈક પર બે ચાર જોડ કપડાં અને થોડા રૂપિયા લઈને નીકળી ગયાં!
સુધીર દત્ત કિલ્લોલ બંગલામાં આખરે કોણ હોઈ શકે, અને એ પણ બીજું કંઈ નહીં ને મુજરાનું સંગીત વાગતું હતું, એ શું દર્શાવે છે?આ બંને વચ્ચેનું કનેક્શન શોધવાની માટે ખૂબ જ ઊંડું વિચારી રહ્યો હતો, અને તરત જ એને લાઈટ થઈ ગઈ, કે સુરેખા બદનામ ગલી માંથી આવી હોવાથી, આ બદનામ ગલી વાળા કોઈ આ બંગલાનો ઉપયોગ કંઈક બીજા કાર્ય માટે કરી રહ્યા હોય, અને પોલીસ તેમજ અન્ય લોકોની નજરથી બચવા માટે શ્રીકાંત જેવું મોહરું પહેરીને કોઈ ફરતું હોય! જેના કારણે લોકોની નજરમાં તેમજ પોલીસની નજરમાં ધૂળ નાખી શકાય, અને ત્યાં તો ભૂત છે! ભૂત છે! અથવા તો શ્રીકાંત જીવે છે, એવી હવા કે ચર્ચા સમાજમાં બની રહે! બસ આ એક તર્ક સૌથી વધુ યોગ્ય લાગતો હતો. કારણ કે શ્રીકાંત તો 99% એક્સિડન્ટમાં જ ગુજરી ગયો છે, અને સુરેખા, સિદ્ધાર્થ, શ્રીદેવી, સાર્થક, બહાદુર નંબર ટુ, બધા જ જ્યારે કે કિલ્લોલ બંગલામાંથી બહાર નીકળી ગયાં, ત્યારે આસાનીથી કોઈએ પોતાનો ગેરકાનૂની વહીવટ માટેનો અડ્ડો બનાવી લેવો, એવું વિચાર્યું હોય. હવે આ અંદરની વાત મોટેભાગે સુરેખા ના રિલેશન વાળા જ કોઈને ઝડપથી ખબર પડી હોય, બાકી શહેર વાસીઓને ત્યાં આગળ આ પ્રકારનું દ્રશ્ય ઊભું કરવાનું કોઈ કારણ નથી. હા કોઈને બંગલો પચાવી પાડવો હોય તો, એ વાત અલગ છે, અને એવી કોમ પણ સમાજમાં છે જ! એટલે એવું પણ થઈ શકે. પરંતુ શ્રીકાંતને ત્યાં આગળ દેખાડવાનું મુખ્ય કારણ પોતાના ધંધાને સમાજની નજરથી બચાવવાની વાત હોઈ શકે. સુધીર દત્તે વિચાર્યું કે એ આજે રાત્રે પોતે કિલ્લોલ બંગલા પાસે જઈ અને ઇન્વેસ્ટીગેશન કરશે, જરૂર પડે તો પોલીસને પણ સાથે લઈ જશે, કારણ કે પોતાને કાનુન હાથમાં લેવાનો અધિકાર નથી! એ વાત એ સારી રીતે જાણતો હતો, અને સીલ કરેલા બંગલોમાં તેનું જવું એટલે એ કાનૂન તોડવાની વાત હતી! એને થયું કે સુરેખાનો પણ આ પ્લાન હોઈ શકે! માટે ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને સુરેખા ના રિમાઇન્ડરમાં આ વાત પૂછવાનું પણ જણાવી દઉં, એમ કરીને એમણે ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો, અને સુધીર દત્ત હજી તો કંઈ બોલે, એ પહેલાં જ એણે કહ્યું કે, સાબ બહોત બડા લોચા હો ગયા! સુરેખા એ ઘેનની ગોળી ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, અને એને હોસ્પિટલાઈઝ કરવી પડી. એને પોતાના હાથમાં એક સુસાઇડ નોટ પણ રાખી હતી, અને જે એનાં વકીલના હાથમાં આવી ગઈ છે. એણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, વગર કારણે મને જેલમાં ધકેલવામાં આવી, અને એની માટે આટલાં આટલાં જણ જવાબદાર છે. એ ઉપરાંત હું એક સ્ત્રી હોવા છતાં આ લોકોએ મારી સાથે સાલુકી ભર્યા વ્યવહાર કર્યા નથી. મારા શરીર પર ચાબુકથી માર મારવામાં આવ્યો છે, મારા કપડાં ખેંચી નાખવામાં આવ્યાં, અને જેલમાં મને નિર્વસ્ત્ર જેવી હાલતમાં રાખવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર મને હથકડી પહેરાવીને ગમે ત્યાં અડીને ચેનચાળા કરે છે, વગેરે વગેરે લખ્યું, અને આવું બધું હવે મારાથી વધુ વખત સહન થાય એમ નહોતું એટલે મેં આત્મહત્યા કરી! સુધીર દતે કહ્યું કે સુરેખા બહુ ચાલાક છે, સિદ્ધાર્થને કંઈ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, એણે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં જ્યાં સિદ્ધાર્થ છે ત્યાં જ સુરેખા પણ પહોંચી ગઈ છે. સુરેખાએ કેટલી ગોળી લીધી, એના જવાબમાં દિલીપ ચાવડાએ કહ્યું કે અંદાજે બોટલમાં 30 ગોળી આવે છે, અને ગોળી તો 15 ઓછી છે, પણ સુરેખા એમાંથી વધીને ત્રણ કે ચાર ગોળી લીધી હશે બાકીની ગોળી એણે ફ્લ્સમાં નાખી દીધી હોય, એવું મારું માનવું છે. સુધીર દત્ત એ કહ્યું કે એકઝેટલી યુ આર રાઈટ! કારણ કે એટલી આસાનીથી સુરેખા હાર માની જાય એમાંની નથી! આ બધું જ એનું નાટક છે. સિમ્પથી મેળવવા માટે એ ગમે તે હદે જઈ શકે તેમ છે! ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ કહ્યું પરંતુ સર મારું શું? હું તો ફસાઈ ગયો ને! સુધીર દત્તે કહ્યું કે એવું વિચારવાની બિલકુલ જરૂર નથી. તમે તમારી ડ્યુટી જ કરી છે, એની પર જે ચાર્જ છે એ તમે પ્રૂવ કરી શકો એમ છો, એટલે એવી કોઈ ચિંતાનું કારણ નથી! સુધીર દત્તે કહ્યું કે કિલ્લોલ બંગલામાં ઇન્વેસ્ટિગેશન કરવા માટે જવા હું વિચારું છું, પરંતુ ગભરાયેલા ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ ચોખ્ખી ના પાડી દીધી, અને કહ્યું કે એવા ભૂત ભૂતાવળ રહેતી હોય ત્યાં મારે આવવું નથી!
સુધીર દત્ત વિચારવા લાગ્યો કે હવે એને શું કરવું, અને તે પોતાના કબાટ પાસે આવ્યો. કબાટ ખોલ્યો અને એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની વર્ધી કાઢી, પોતે પહેર્યો. બે ચાર ફોન કર્યા, અને બીજા ચાર પાંચ પોલીસનો ડ્રેસ પહેરેલા માણસો આવી ગયાં, એમાંનો એક માણસ પોલીસની જ જીપ લઈને આવ્યો હતો, એમાં બધા ગોઠવાઈ ગયા અને કિલ્લોલ બંગલા તરફ પોલીસની ઝીપ ચાલી…..
કેટલા સવાલોનો ગૂંચવાડો થઈ ગયો છે? પરંતુ એક વાત છે. જેમ સુધીર દત્ત દરેક સમસ્યા સુલજાવે છે, એમ સુરેખા કોઈ નવી ને નવી સમસ્યા સુધીર માટે ઊભી કરવામાં પણ સફળ થાય છે, એ પણ સ્વીકારવું પડે! અખિલેશ અને પાર્વતી સુખવંતની નજરથી એ ગામ સુધી પહોંચી શકશે? સુરેખા બચી જશે, અને તેની પર લાગેલા બધા જ ચાર્જ ને ખોટા સાબિત કરી શકશે કે કેમ ? સુધીર દત્ત કિલ્લોલ બંગલામાંથી આખરે શ્રીકાંત છે? કે હકીકત શું છે, તે જાણી શકશે? સિદ્ધાર્થનાં માથામાં વાગી ગયું છે, તો શું એ બચી જશે આ બધા જ સવાલોના જવાબો વાંચવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે..
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)