9 મી ઓગષ્ટ વિશ્વ આંતર રાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે સુથારપાડામાં વીર બિરસામુંડા સર્કલ જાહેર કરવામાં આવ્યું

0
355

9 મી ઓગષ્ટ વિશ્વ આંતર રાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે સુથારપાડા ખાતે જય આદીવાસી મહાંસઘ સુથારપાડા તથા ગ્રામજનો તેમજ આજુ બાજુ ના ગામના આદીવાસી વિચાર ધારા વાળા આગેવાનો એ સુથારપાડામાં વીર બિરસામુંડા સર્કલ જાહેર કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

સર્કલનું ઉદ્દઘાટન સુથારપાડા ગામના વડીલ વ્યક્તિઓ ચેંદરભાઈ જાદવ, મોન્ડે બાબા, અમરતભાઈ ગાયકવાડ સુથારપાડાના પૂર્વ સરપંચ હરિભાઈ ગુંબાડે તથા વડીલ આગેવાનો દ્વારા બિરસા મુંડાના ફોટા ને હાર દોરા પહેરાવી પુજા વિધિ કરવામાં આવી.

જય આદીવાસી મહાસંઘ કપરાડાના પૂર્વ પ્રમુખ ભાસ્કરભાઈ શિંગાડે એ કાર્યક્રમ વિશે માહિતી આપી, તેમજ સુથારપાડા ગામના આગેવાનો ચેતનભાઈ, દશરથભાઈ,રાજેશભાઈ ગુંબાડે એ કાર્યક્રમ ના અનુસંધાને વક્તવ્ય રજૂ કર્યું તથા આજુબાજુના ગામથી પધારેલ આદીવાસી વિચારધારા ધરાવતા આગેવાનો માહદુભાઈ રાઉત , ભાસ્કરભાઈ ફોદાર, શંકરભાઈ ખુરકુટે,મનુભાઈ જાદવ, એ આદીવાસી દિનનું મહત્વ તથા બીરસા મુંડા ના જીવન પરિચય વિશે જાણકારી પૂરી પાડી હતી.

Ad..

કાર્યક્રમમાં ઉપસ્થિત હરેશભાઈ પટેલ, વિજયભાઈ , સુથારપાડા સરપંચ ,તેમજ સુરેશભાઈ કામડી, ધનસુખભાઈ કડું , ચિંતાભાઈ દળવી, મહેશ વળવી, માહદુભાઇ ગાયકવાડ, સદુભાઈ ખુરકૂટે વિરક્સેત સરપંચ, કાંતુભાઈ સરનાયક, સુનીલ ગુંબાડે, યુવરાજ જાદવ, કાશીનાથ સાહલે તથા સુથારપાડા ગામના જાગૃત યુવકો તથા તેમની ટીમ,તેમજ આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સમર્થન આપ્યું . અંતમાં મનુભાઈ જાદવ દ્વારા આભાર વિધિ પૂરી કરી કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here