ધરમપુર સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનો, ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા

On: March 1, 2026 1:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુરના પવિત્ર વ્યાસ તીર્થ ખાતે તા. 1 થી 7 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી વેદ વ્યાસજીની કૃપા અને પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના સંકલ્પથી યોજાતી આ કથા આ વર્ષે વિશેષ ઐતિહાસિક બનવા જઈ રહી છે. પ્રથમવાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્તરૂપે ભાગવત કથાનું વાચન કરશે. આ અનોખી ક્ષણને ધાર્મિક જગતમાં અત્યંત યાદગાર પ્રસંગ તરીકે જોવામાં આવી રહી છે.
કથાનો પ્રારંભ 1 માર્ચે સવારે 9:30 વાગ્યે ભવ્ય પોથીયાત્રાથી થશે. 4 માર્ચે સાંજે 5:30 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ અને 6:30 વાગ્યે નંદ મહોત્સવ તથા ફૂલ હોળી ઉત્સવ ઉજવાશે. 6 માર્ચે બપોરે 12:00 વાગ્યે શ્રી ગોવર્ધન પૂજન અને સાંજે 6:00 વાગ્યે શ્રી રુક્મિણી વિવાહનો વિશેષ ધાર્મિક પ્રસંગ યોજાશે. આ તમામ કાર્યક્રમો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
દૈનિક કથાનો સમય સવારે 9:30 થી 12:00 તથા સાંજે 4:00 થી 6:30 રહેશે. સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવતના પવિત્ર પ્રસંગો દ્વારા ભક્તિ, જ્ઞાન અને સંસ્કારનો અમૃતવર્ષા થશે. આયોજકોને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિની આશા છે.
આ પાવન આયોજનના યજમાન શ્રી અલકાબેન તથા ભાવેશભાઈ ભીડે પરિવાર (મુંબઇ) અને શ્રી પાર્વતીબેન તથા શિવગણાલાલ રામાણી પરિવાર (બેંગલોર) છે. તમામ ધાર્મિક ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક પ્રસંગનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!