કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું !

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. ૮૪૮ પર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ૭ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી કુલ રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેનું પ્રમાણપત્ર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિતરણ … Read more

કપરાડા વિસ્તારમાં 12 રોડ માટે 10.59 કરોડ ફાળવાયા – આદિવાસી વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

વનબંધુ યોજના હેઠળ 79.37 કરોડના 114 રોડને મંજૂરી કુલ 79.37 કરોડના ખર્ચે 114 રોડને મંજૂરી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં માર્ગ કામો હાથ ધરાશે શાળાએ જવા માટેના પાકા રસ્તાઓને પ્રાથમિકતા કપરાડા વિધાનસભા વિસ્તારમાં 12 રોડ માટે 10.59 કરોડ મંજૂર ચીવલ, કોઠાર, ખડકવાળ, કોલવેરા, કસ્તુનિયા, સુખાલા, નાંદગામ, મોટાપોઢા, ચેપા, વારણા અને નિલોશી ગામોનો સમાવેશ ગ્રામ્ય અને આદિવાસી … Read more

ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના વિકાસ કમિશનર સંદીપ કુમારે પંચાયત સેવાના માળખાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે એકસાથે 150 જેટલા અધિકારીઓના બદલી અને બઢતીના આદેશ જારી કર્યા છે. આ આદેશ અંતર્ગત 118 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO – વર્ગ 2) … Read more

કપરાડા તાલુકાના બોર્ડર વિલેજમાં 8.25 કરોડના રોડ કામોનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કાર્યક્રમ યોજાયો !

By: Hardik Patel કપરાડા તાલુકાના અંતરિયાળ અને બોર્ડર વિસ્તારમાં આવેલ ગુજરાત–મહારાષ્ટ્ર સીમા નજીકના ગામોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે રૂ. 8.25 કરોડના વિવિધ રોડ કામોનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી તથા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામલોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી બાકી રહેલા રસ્તાના પ્રશ્નો … Read more

વલસાડમાં છ વર્ષથી ચાલી રહેલા નિશુલ્ક યોગ ક્લાસમાં લેખિત પરીક્ષા યોજાઈ, તમામ સાધકો સફળ – ત્રણ બહેનોને ઉત્તમ ગુણ સાથે સન્માન !

વલસાડ શહેરના રાજનગર વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલી રહેલા નિશુલ્ક યોગ ક્લાસમાં રવિવાર તા. 29 માર્ચ 2026ના રોજ યોગ વિષયક લેખિત પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન અને સૂચના હેઠળ આયોજિત આ પરીક્ષામાં મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે સમગ્ર યોગ ક્લાસમાં આનંદ અને ઉત્સાહનો માહોલ … Read more

PSI ભરતી: 19 એપ્રિલે લેખિત પરીક્ષા, 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ શરૂ

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતી (PSI Recruitment) માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. PSI કેડરની લેખિત પરીક્ષા 19 એપ્રિલે યોજાશે, જ્યારે પરીક્ષાના કોલલેટર (Admit Card) 13 એપ્રિલથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. કોલલેટર OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ થશે ઉમેદવારો પોતાના કોલલેટર OJAS Portal પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા માટે હાજર રહેવા કોલલેટર … Read more

પારડીના રોહિણાની આશ્રમશાળામાં ૯ વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કોમ્યુનિટી હોલ, સોલાર સિસ્ટમ સહિત સુવિધાઓ ખુલ્લી મુકાઈ વર્ષ 1967માં આશ્રમશાળાની સ્થાપના થઈ હતી ગરીબ અને આદિવાસી બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ ઉદ્દેશ્ય સાથે તા. તા. 10/09/1967ના રોજ આ આશ્રમશાળાની સ્થાપના શ્રી ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, શ્રી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (માજી કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી) … Read more

કપરાડા વિસ્તારમાં ‘મન કી બાત’ના 132મા ભાગનું સામૂહિક નિહાળન, વિકાસ અને ચૂંટણી તૈયારીઓ પર ભાર

કપરાડા વિધાનસભા વિસ્તારમાં રવિવાર તા. 29 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસારિત થયેલ ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા ભાગનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા વિધાનસભા ભાજપ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ … Read more

૧ એપ્રિલથી દેશમાં કર્મચારીઓના પગાર નિયમોમાં મોટો ફેરફાર થશે. દેશના દરેક કર્મચારીને ચૂકવવામાં આવતો પગાર.

આવકવેરા કાયદામાં મહત્વપૂર્ણ ફેરફારો આવી રહ્યા છે. બહુચર્ચિત નવો રોજગાર કાયદો અને બજેટમાં જાહેર કરાયેલા નવા નિયમો કર્મચારીઓના પગાર માળખાને સંપૂર્ણપણે બદલી નાખશે. આ ફેરફારો તમારા પગાર અને બચતને કેવી રીતે અસર કરશે તેની સંપૂર્ણ સમજૂતી અહીં છે: 1. 50% પગાર નિયમ નવા કાયદા અનુસાર, કર્મચારીનો મૂળ પગાર (મૂળભૂત પગાર) તેના કુલ પગાર (CTC) ના … Read more

રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરફાર

રાજ્યના મહેસૂલ વિભાગ(Revenue Division)માં મોટાપાયે પ્રશાસનિક ફેરફારો(Change) કરવામાં આવ્યા છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને કુલ 49 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત મામલતદાર કક્ષાના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. વિભાગમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે … Read more

error: Content is protected !!