
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નર્મદા કેનાલના કાંઠે નવનિર્મિત શાંતિગ્રામ ગુરુકુલના ઉદ્ઘાટન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાન પધારી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરના એસ.જી. હાઈવે પર 10 એકરના વિશાળ વિસ્તારમાં સંસ્થાની 61મી નવી શાખા નિર્મિત થઈ છે.
આ કેમ્પસ 4.5 લાખ સ્ક્વેર ફૂટના ભવ્ય બાંધકામ અને આધુનિક રમતગમતના મેદાનોથી સજ્જ છે. રાજકોટ ગુરુકુલની નવી શાખાનો ઉદ્ઘાટન મહોત્સવ 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2026 દરમિયાન દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે.






