
રાજ્યના મહેસૂલ વિભાગ(Revenue Division)માં મોટાપાયે પ્રશાસનિક ફેરફારો(Change) કરવામાં આવ્યા છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને કુલ 49 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
આ ફેરફારો અંતર્ગત મામલતદાર કક્ષાના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.
વિભાગમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.






