કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું !

On: March 31, 2026 4:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. ૮૪૮ પર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ૭ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી કુલ રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેનું પ્રમાણપત્ર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.સહાય પરિવાર બેંક ખાતા જમા કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કુંભઘાટ નજીક બનેલો આ અકસ્માત ખૂબ જ દુઃખદ ઘટના હતી અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ, મામલતદાર,સ્થાનિક આગેવાનો તેમજ મીડિયા ના સહકારથી મૃતકોના પરિવારને તાત્કાલિક અસરથી આર્થિક સહાય મળી છે. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને બાળકોના શિક્ષણ સહિત અન્ય જરૂરી સહાય માટે પણ હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી.
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ મૃતકદીઠ રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સા તરીકે મંજૂર કરવામાં આવી છે. આ મુજબ કુલ રૂ. ૨૮ લાખની રકમ તા. ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કલેકટર, વલસાડના નામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેશન રોડ શાખાના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ સહાય રકમ ડી.બી.ટી. પદ્ધતિ દ્વારા મૃતકોના વારસદારોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં માં આંબાજંગલ અને આસપાસના ગામોના રહેવાસીઓના મોત થયા હતા. દેવકીબેન કિશનભાઈ ગાંગોડા, દક્ષાબેન શિવરામભાઈ માંગી, કવસીબેન ગણેશભાઈ મિશાળ, જહિરામભાઈ લાહનુભાઈ સાનકરા, જયાબેન વિનોદભાઈ રાઉત અને સુરેખાબેન નરેશભાઈ પવાર સહિતના પરિવારજનોને સહાય આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ સરકારના આ નિર્ણયને પરિવાર માટે રાહતરૂપ ગણાવ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા–નાનાપોઢામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ : સિલ્વર હોટલ, કાકડકોપર ખાતે નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારી ઇચ્છુકો ઉપસ્થિત !

વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખપદ માટે રોટેશન ઓર્ડર જાહેર, રાજકીય માહોલ ગરમાયો !

આવી ગઈ તારીખ, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વસ્તી ગણતરી; પ્રથમ તબક્કાનું આખું શિડ્યુલ જાહેર, જાણો

કપરાડા વિસ્તારમાં 12 રોડ માટે 10.59 કરોડ ફાળવાયા – આદિવાસી વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી

કપરાડા તાલુકાના બોર્ડર વિલેજમાં 8.25 કરોડના રોડ કામોનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કાર્યક્રમ યોજાયો !

error: Content is protected !!