દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં મોરારીબાપુ ની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુરમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.
આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે ધરમપુરના
ખાંડા ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની કથાનો
પ્રારંભ ….
મોરારીબાપુ ધરમપુર ખાતે હેલિકોપ્ટરમાં ઉતરતાં આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી સ્વાગત કરાયુ હતું.
ગુજરાતના ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઇ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યુ હતું.
ધરમપુરના ખાંડામાં મંગળવારથી શરૂ થનારી રામકથા
માટે માલનપાડા હેલિપેડ ઉપર પૂ.મોરારીબાપુના
આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ધરમપુરની
ધરા ઉપર હેલિકોપ્ટર મારફતે પધારેલા બાપુને શ્રીમદ્દ
રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી, આત્માર્પિત કોઠારીજી, આત્માર્પિત અપૂર્વજીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું.
ધરમુપુરના ભાગવત ઉપાસક યુવા કથાકાર આશિષભાઈ વ્યાસે માલ્યાર્પણ કરી હતી. આ પાવન અવસરે ધરમપુરના પ્રદ્યુમન વ્યાસ, અમીન ડેવલપર્સના હાર્દિક અમીન,કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો.પ્રજ્ઞાબેનક્લાર્થી સહિત ઉપસ્થિતોએ બાપુના દર્શન કરી આગમનને વધાવી ધન્યતા અનુભવી હતી. હેલીપેડથી કાર મારફતે ખાંડા ગામે પોહચેલા બાપુનું આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું.
ધરમપુરના માલનપાડા હેલિપેડ ઉપર બાપુના આગમનને લઈ પીએસઆઇ આર.કે.પ્રજાપતિ, સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલની કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ મુકવામાં આવી હતી. આજથી ચૈત્ર નવરાત્રી દરમ્યાન બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.