વલસાડના અબ્રામામાં પિયરમાં પતિ સાથે રહેતી પત્નીની પતિએ હત્યા કરી…

0
38

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી મારબલની
દુકાનમાં છૂટક મજૂરી કામ કરતા પરિવારની મોટી
દીકરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. યુવકના માતા પિતા
પુત્રવધુને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી યુવક તેના
સાસરે પત્ની અને સાસુ સસરા સાથે રહેતો હતો
રવિવારે બપોરે દીકરી જમાઈને સુતેલા જોઈ સસરા
છૂટક મજૂરી કરવા ગયા હતા. જે બાદ પરત ફર્યા
ત્યારે દીકરી ને બેડ ઉપર બેભાન હાલતમાં મળી હતી.
તેમજ મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા
મળ્યા હતા. નજીકની હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડતા ફરજ ઉપરના હાજર તબીબે યુવતીને મૃત
જાહેર કરી હતી. યુવતીની લાશનું PM કરાવતા ગળું
દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી
યુવતીના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હતી.
વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા શ્રમિક
અનિલભાઈ કિશનભાઈ રાઠોડ તેમની 2 દીકરીઓ
અને પત્ની સાથે રહે છે. અબ્રામા ખાતે આવેલી
માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનું
ગુજરાન ચલાવે છે. તેમની પત્ની ઘરકામ કરવા
જાય છે. 22 વર્ષીય તેમની મોટી દીકરી જિજ્ઞાએ

14 ડિસેમ્બર 2023ના રોજ વૈભવ નાયકા સાથે
કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ વૈભવના પરિવારના
સભ્યો જિજ્ઞાને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી
વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ
જૂજવાં ખાતે રહેતા મામાના ઘરે રહેતો હતો. જિજ્ઞા
વાવ ફળીયામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી
કરતી હતી. જિજ્ઞા અને વૈભવ વચ્ચે લગ્નના માત્ર 4
માસમાં છૂટાછેડા લેવા જેવી બાબતે ઝઘડાઓ થતા
હતા. છુટાછેડા આપવા માટે વૈભવ વારંવાર મેરેજ
સર્ટી માંગતો હતો. અને જિજ્ઞા તેની સાસરીમાં તેને
સ્વીકારતા ન હોવાથી મનમાં દુઃખ થતું હતું. જિજ્ઞાની
બહેન અને માતા 19 એપ્રિલના રોજ જિજ્ઞાના નાના
ના ઘરે કામ અર્થે ગયા હતા. અને 20 એપ્રિલના રોજ
અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા. બપોરે
આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું.જેથી અનિલભાઈ
સુઈ ગયા હતા.
અનિલભાઈ બપોરે 3 વાગે ઉઠયા ત્યારે દીકરી જિજ્ઞા
અને વૈભગ બેડરૂમની સેટી ઉપર સુતા હતા. અને
અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા. છૂટક
મજૂરી કરીને ઘરે 4 કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર
ભીડ જોઈ હતી. ઘરમાં જઈને ચેક કરતા જિજ્ઞા સેટી
ઉપર સતેલી હતી. અનિલભાઈની પત્ની અને નાની

દીકરી તેમજ વૈભવ ઘરે હજાર હતા અને જિજ્ઞાને
ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા. અનિલભાઈએ શુ થયું
તેમ પૂછતાં જિજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની
પત્નીએ જણાવ્યું હતું. જિજ્ઞાની ગરદન ઉપર ઇજાના
નિશાનો જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિક
લોકોએ 108 બોલાવી હતો. જિજ્ઞાને 108માં
નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ખાનગી
હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે જિજ્ઞાને મૃત
જાહેર કરી હતી. ઘટના અને સીટી પોલીસની ટીમને
ઘટનાની જાણ થતાં સીટી પોલીસે લાશનો કબ્જો
મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ
સિવિલ હોસ્પિટલ ખાતે જિજ્ઞાની લાશનું PM કરાવતા
જિજ્ઞાનું ગાળું દબાવવાથી હત્યા થઈ હોવાનું પ્રાથમિક
તારણ PM ના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું
હતું. વલસાડ સીટી પોલીસે જિજ્ઞાનની લાશનું PM
થયા બાદ લાશનો કબ્જો પરિવારને સોંપ્યો હતો.
PM રિપોર્ટના આધારે જિજ્ઞાના પિતા અનિલભાઈએ
જમાઈ વૈભવ સુરેશ નાયકાએ જિજ્ઞાનું ગળું દબાવી
હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
વૈભવે જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માટે મેરેજ સર્ટીની
જરૂર હતી. જે જિજ્ઞા પાસે મેરેજ સર્ટી હોવાથી જિજ્ઞા
વૈભવને મેરેજ સર્ટી આપતી ન હતી. રવિવારે બંને

વૈભવે જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માટે મેરેજ સર્ટીની
જરૂર હતી. જે જિજ્ઞા પાસે મેરેજ સર્ટી હોવાથી જિજ્ઞા
વૈભવને મેરેજ સર્ટી આપતી ન હતી. રવિવારે બંને
વચ્ચે છૂટાછેડા લેવાના મુદ્દે ઝઘડો થયો હશે. જેમાં
વૈભવે જિજ્ઞાનું ગળું દબાવી હત્યા કરી હશે તેવી
આશંકા અનિલભાઈએ FIRમાં દર્શાવી હતી.
વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI ભાવિક
જીતિયા અને DySP એ કે વર્માએ જિજ્ઞાના
પરિવારના સભ્યો અને વૈભવના પરિવારના સભ્યો
અને વૈભવનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી
છે. નિવેદનના આધારે કેસની ઝીણવટ ભરી તપાસ
હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here