દેવી ભાગવત કથા માં ડો, શેલજા મહસ્કર દ્વારા બેટી બચાવો ઉદબોધન થયું,

0
89

વલસાડ ગીતા સદન માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની દેવી ભાગવત કથા માં આજે વલસાડ ના પ્રખ્યાત ડો, શેલાજા બેન મહસ્કર દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત પ્રવચન કરવામાં આવ્યું હતું કથા માં ઉપસ્થિત શ્રોતા ઓં એ સઁકલ્પ ધારણ કર્યા હતાં વ્યાસ પીઠ પર થી કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ પાર્વતીવિદાય ની કથા નું ભાવવાહી સહેલી માં વર્ણન કર્યું હતું મુખ્ય યજમાન અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું ગુરુવારે કથામાં અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે જેની તૈયારી આયોજક લક્ષ્મીબેન બારોટ અને શારદાબેન ટંડેલ દ્વારા થઇ રહી છે દીપકભાઈ જોશી, હર્ષદભાઈ દવે, લલિત ઓઝા, અને જ્યા નંદ મહારાજ દ્વારા દેવી કવચ નૉ પાઠ કરવામાં આવ્યો હતો હવન પૂજા અને કથા પછી માતાજી ની 108 દીવડા ની મહા આરતી ઉતારવામાં આવી હતી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here