
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રાબડી ટેકરી ફળીયામાં નરેન્દ્રસિંહ ગમનસિંહ ગોહિલ ના દીપડાએ ગામમાં ઘુસીને ઘર આંગણે બાંધેલી ગાયનું મારણ કર્યું હતું. જો કે અવાજ આવતા લોકો જાગી ગયા હતા, તે છતાં પણ દીપડાએ ગાયનું મારણ કરી નાખ્યું હતું અને અંધકારમાં અદ્રશ્ય થઇ ગયો હતો.

નરેન્દ્રસિંહ ગમનસિંહ ગોહિલના ઘરે 14 જેટલા નાના મોટા ગાય અને વાછરડા હોઈ હાલમાં ગાયોને રહેવા કોઢારુનું કામ ચાલી રહ્યું હોવાથી ઘરની બહાર બાંધવામાં આવેલ ગાયને દીપડાએ હુમલો કરીગાયનું મારણ કરી નાખ્યું હતું.
Ad.
અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. મહત્વનું છે, કે થોડા દિવસ અગાઉ જ ગામમાં દીપડો દેખાયો હોવાનું જાણવા મળ્યુ છે. હતો. ગામના સરપંચ ને જાણ કરવામાં આવી છે.ત્યારે જંગલ ખાતા દ્વારા આ દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી લોકોની માંગ ઉઠી છે.
Ad.











