10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ સાંઈ મંદિર, સાંઈ ગાર્ડન સુખાલા તારીખ ૨૮/૦૧/ ૨૦૨૪ રવિવારના રોજ

વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના સુખાલા શરદભાઈ વ્યાસ પ્રેરિત
સમભાવ સત્સંગ પરિવાર આયોજીત 10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ સાંઈ મંદિર, સાંઈ ગાર્ડન સુખાલા તારીખ ૨૮/૦૧/ ૨૦૨૪ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

સેવા પરમો ધર્મ…’ને સાર્થક કરતા આશિષભાઈ વ્યાસ ધરમપુર અને શરદભાઈ વ્યાસ પ્રેરિત સમભાવ સત્સંગ પરિવાર દ્વારા 10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ એ કપરાડાના આદિવાસી વિસ્તારમાં આશીર્વાદ સમાન છે.આજે પણ એવા અનેક પરિવાર રહે છે. આજની પરિસ્થિતિ મોંઘવારીમાં દીકરી કે દિકરા ના લગ્ન કરવા મુશ્કેલીઓ પડે છે. જરૂરિયાત મંદ પરિવારો માટે સંયોજક આશિષભાઈ વ્યાસ , પ્રકાશભાઈ પટેલ સાંઈ ગાર્ડન સુખાલા, શંકરભાઈ પટેલ સરપંચ સુખાલા, મોહનભાઈ પટેલ અરનાલા અને ગામના યુવાનો વડીલો જેઓ સમુહ લગ્નને સફળ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે આશિષભાઈ વ્યાસ જણાવ્યું કે સમુહ લગ્ન માટે ફંડ ફાળો લેવામાં આવતો નથી અને દિકરીઓ પાસેથી ફી લેવામાં આવતિ નથી.
Ad.











