
પારડી તાલુકાના ગામોમાં વાવાઝોડા ના કારણે ઘરોમાં થયેલ નુકશાની નું સ્થળ નિરીક્ષણ કરી તાગ મેળવી વહીવટીતંત્ર ને જરૂરી સૂચનો કરતા નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

લોકસભા ના દંડક વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ રહ્યા હાજર

ગત દિવસોમાં દક્ષિણ ગુજરાત માં વાતાવરણ માં આવેલ પલટા ના કારણે વવાઝોડાથી વલસાડ જિલ્લા ના પારડી તાલુકાના બાલદા સહિત વિવિધ ગામોમાં કુદરતી આપતી ના કારણે અનેક ઘરોમાં થયેલ નુક્શાની માં લોકોને હાલાકીઓ નો સામનો કરવો પડ્યો હતો, નુકશાની નો તાગ મેળવવા આજરોજ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિક્લસ વિભાગના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ ની આગેવાની માં લોકસભાના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત કરી હિંમત આપી હતી અને સરકારશ્રી તરફ થી આપવામાં આવતી વિવિધ સહાયો વહેલી તકે પુરી પાડવા માટે બાંહેધરી આપી હતી
આ તબબકે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ,વહીવટી તંત્ર ના અધિકારીઓ,સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






