સંસ્કાર અને શિક્ષણ: સુખી લગ્નજીવન માટે મહત્વપૂર્ણ માપદંડ

On: February 18, 2025 3:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના વાપી શહેરના જાણીતા આર્ટિસ્ટ અને સમાજસેવી હરીશભાઈ પટેલ (Harish Art Vapi) કહે છે કે લગ્ન માટે જીવનસાથી પસંદ કરતી વખતે માત્ર નોકરી અને મિલકતને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી. એક સુખી અને સ્થિર લગ્નજીવન માટે શિક્ષણ, સારા સંસ્કાર અને પરિવારનું પાશ્વભૂમિ (background) મહત્વનું હોય છે.

તેઓ વધુમાં કહે છે કે આજના યુગમાં ઘણા માતાપિતા તેમના દીકરા કે દીકરી માટે જીવનસાથી પસંદ કરતી વખતે સામાજિક પ્રતિષ્ઠા, નોકરી કે સંપત્તિને મુખ્યત્વે જોતા હોય છે. પરંતુ વાસ્તવમાં, એક સારી શિક્ષણ પદ્ધતિથી સમૃદ્ધ અને સંસ્કારી વ્યક્તિ જીવનમાં વધુ પ્રગતિ કરી શકે છે. લગ્ન માત્ર એક વ્યક્તિ વચ્ચેનો સંબંધ નથી, તે બે કુટુંબ વચ્ચેનું પણ જોડાણ છે. અહીં સમાન મૂલ્યો, પારિવારિક સંસ્કૃતિ અને સમજદારી વધારે મહત્વ ધરાવે છે.

શિક્ષણ અને સંસ્કાર મહત્વનું કેમ?

હરીશભાઈ પટેલનું માનવું છે કે જો કોઈ યુવક અથવા યુવતી સારા શિક્ષિત અને નૈતિક સંસ્કારો ધરાવતા હોય, તો તેઓ એકબીજાને સારી રીતે સમજતા હોય છે અને દરેક સંજોગોમાં સાથે રહી શકે છે. તેવા સંબંધોમાં મોટાભાગે પ્રેમ, સહાનુભૂતિ અને સમજૂતી વધુ હોય છે, જેના કારણે વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ વધુ રહે છે.

આજના સમયમાં મિલકત અને નોકરી પાછળ ભાગીને લોકો જીવનસાથીની સાચી પસંદગી કરવામાં ભૂલ કરી બેસે છે. સંપત્તિ સમયસર મળી શકે, પણ સારા સંસ્કાર અને શિક્ષણ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત ગુણ છે, જે જીવનભર સાથ આપે છે.

પારિવારિક પાશ્વભૂમિ મહત્વનું કેમ?

પરીવારનું સંસ્કાર અને પાશ્વભૂમિ પણ લગ્ન માટે મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ વ્યક્તિ કેવા વાતાવરણમાં મોટો થયો છે, તેમના માતા-પિતાની પરવરિશ કેવી છે અને કુટુંબના મૂલ્યો શું છે – આ બધું જ તેમના ભવિષ્યના વ્યવહારને અસર કરે છે. સુખી લગ્નજીવન માટે આ બાબતો નિર્ણાયક સાબિત થાય છે.

સત્યઘટના પરથી ઉદાહરણ:

વાપીના એક દંપતિનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું, જેમણે માત્ર નોકરી અને ધનને જોતા લગ્ન કરી લીધા, પરંતુ થોડા વર્ષોમાં જ સંસ્કાર અને સમજણની કમીને કારણે તેમના લગ્નજીવનમાં તણાવ ઊભો થયો. બીજી તરફ, એક યુગલે એકબીજાના શિક્ષણ, કુટુંબ અને સંસ્કારને વધુ મહત્વ આપ્યું, જેનાથી તેમનું જીવન વધુ સુખદ અને સંતોષપ્રદ બન્યું.

હરીશભાઈ પટેલના મતે, લગ્ન માટે જીવનસાથી પસંદ કરતી વખતે મિલકત અને નોકરીથી વધુ શિક્ષણ, સંસ્કાર અને કુટુંબની પાશ્વભૂમિ જોવા જોઈએ. આટલું કરવાથી ન માત્ર સુખી લગ્નજીવન પ્રાપ્ત થાય, પણ સમાજમાં પણ એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિત થાય.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!