
ગુજરાત ની જનતા ને નમ્ર અપીલ
અમારા અર્ધ લશ્કર ના જવાનો એ પોતાના માંગ સન્માન અને સુવિધા માટે ખૂબ સરકાર સમક્ષ રજૂઆત કરી છતાં આ સરકારે અમારી કોઈ માંગ નથી સ્વીકારી પરંતુ અર્ધ લશ્કર ના શહીદ પરિવાર ની વિધવા બહેનો તેમજ નિવૃત જવાનો જેમણે દેશ ની સરહદ ની સુરક્ષા મા પોતાનું સર્વસ્વ અર્પણ કરેલ તેમના ઉપર પોલીસ દ્વાર દમન કરવામાં આવ્યો લાઠી ચાર્જ અને કદાચ અસામાજિક તત્ત્વો દ્વારા પત્થર મારો પણ કરવામાં આવ્યો માટે અમારા અર્ધ લશ્કર પરિવાર ના સદસ્યો દ્વાર નિર્ણય કરવામાં આવ્યો કે જે સરકાર જવાનો ની વાત ના સાંભળતી હોય એ જનતા ની વાત શું સાંભળતી હસે જેથી હવે દેશ ની સેવા પછી હવે લોક સેવા માટે ચુંટણી મા પોતાની ઉમેદવારી નોંધાવવા ના છે તો આપ સર્વે કૃપા કરી જવાનો ને તન મન થી સહકાર આપવાની કૃપા કરશો
ગુજરાત મા જે ત્રણ પાર્ટી છે તે બેઈમાન છે લોકો ને બેવકૂફ બનાવી લૂંટી રહી છે ખોટા ખોટા પ્રલોભન આપી જનતા ની મશ્કરી કરે છે જનતા ને ગાંડી સમજી રહી છે માટે મારા ગુજરાત ના ભોળા ભલા ખાસ ૭૦% માધ્યમ અને ગરીબ વર્ગ જેમને અનેક પ્રકારની સમસ્યા છે ખુબ જ મુશ્કેલી થી પરિવાર નું પાલન પોષણ કરતા હોય છે માટે જાગો હવે દેશ ના અસલી ચોકીદાર લોક સેવા માટે આપની દુઃખ તકલીફ ના નિવારણ માટે આ વિધાનસભા મા ઉમેદવારી નોંધાવી રહ્યા છે તો કૃપા કરી સાથ સહકાર આપવા નમ્ર વિનંતિ .
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349






